સૃષ્ટીકર્તા પરમેશ્વરની સ્તુતિ
(મિત્રો તમારા મનને સંપુર્ણ રીતે દીન અને નમ્ર કરી આ લેખ વાંચશો તો હુ તમને વચન આપુ છુ કે તમારા દરેકે દરેક પાપો, સ્રાપો, ચિંતાઓ,જીવલેણ બિમારી, દુષ્ટાત્માઓ તમારા જીવનમાંથી નાશ પામશે.
ડોક્ટરની, વકીલની, વૈજ્ઞાનિકોની, નેતાઓની, અધિકારીઓની, વગેરે વગેરે મનુશ્યોની વાતો પર તો વિસ્વાસ કરો છો અને અંતે દુખ પામો છો, પણ એ કરતા પહેલા હુ આપને માટે પરમેશ્વરના આશિષ અહિ મુકુ છુ. જે મે અનુભવ્યુ એવુ આપ પણ અનુભવો અને અંધકારમાંથી છુટકારો પામો એવી મારી આપને નમ્ર વિનંતિ છે.
જેટલો વિશ્વાસ કરશો એટલો ચમત્કાર થશે, ચમત્કાર એટલે કે તમારો આત્મા શક્તિ પામશે એટલે હુ તમને પ્રથમથી જ ચેતવુ છુ કે અભિમાન ત્યાગી, સંપુર્ણ તન, મન અને ધનથી, આ લેખ વાંચજો અને વિશ્વાસ કરી સફળતા પામો…..પ્રભુ યેશુના નામે તમારુ કલ્યાણ થશે……….આમીન )
*****************************************************************************************************************
વહાલા પ્રભુ પુત્રો, આવો સૌપ્રથમ આપણે સૃષ્ટીકર્તા પરમેશ્વર યાહની સ્તુતિ (સામ-ભજન-૧૦૪) અર્પિત કરી લઈએ……
૧. હે મારા મન, તુ (પરમેશ્વર) યહોવાને ધન્ય કહે ! હે મારા પરમેશ્વર યહોવા, તુ અત્યન્ત મહાન છે ! તુ તો વૈભવ અને ઐશ્વૈર્યના વસ્ત્રો પહેરેલ છે. હે (ઐશ્ચર્યપતેશ્વર્યાહ જગદીશ્વર પિતા) યહોવા હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.(જગદીશ્વર = જગત+ઈશ્વર)
૨. હે (તેજેશ્વર્યાહ) યહોવા,તુ પ્રકાશને ચાદર સમાન ઓઢે રાખે છે, અને આકાશને તારલાઓના તમ્બુ સમાન તાણી રાખે છે. હે મહાસામર્થ્યવાન, પિતા હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૩. હે સર્વવ્યાપી પિતા, તુ તારા નિવાસ રુપી તરાપાને જળના વાદળોમાં પધરાવે છે,અને (હે મેઘેશ્વર યહોવા તુ તો) મેઘોને પોતાનો રથ બનાવે છે, અને (હે પવનપતિ તુ) પવનની પાંખોથી ચાલે છે. સ્વર્ગના રાજા હે મારા પિતા હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૪. હે સર્વેશ્વર પિતા યહોવા, તુ પવનને પોતાનો દુત, અને ધધકતી આગને પોતાના સેવક ઠરાવે છે. સર્વસામર્થી (મારા વહાલા પવનેશ્વર્યાહ, અગ્નેશ્વર્યાહ) પિતા હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૫. (પ્રભુ યેશુના ખભા પર, હે પિતા) તે જ પૃથ્વીને એની ધરી ઉપર સ્થિર કરી છે, જેથી એ () ક્યારે પણ ના ડગે. હે સૃષ્ટીપતિ યહોવા, હે મારા પિતા હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૬. (હે વાતાવરણપતિ યહોવા,) તે એને (આકાશમાં) વસ્ત્ર રુપી વિશાળ (વાતાવરણરુપી) સાગરથી ઢાંપી દીધી છે, (હે જળેશ્વર તે જ) જળ પહાડો પર સ્થિર કર્યા છે. (હે હિમેશ્વર) તુ હિમને ઉન ના જેમ ધરતી પર વર્ષાવે છે અને પૃથ્વી પર હિમયુગ પથરાઈ જાય છે, હે (સૃષ્ટીપિતા) યહોવા હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૭. હે (ગર્જકેશ્વર) યહોવા, તારા થડકારથી એ ભાંગી ગયા, તારા ગર્જનનો શબ્દ સાંભળતા જ, એ ઉતાવળેથી (પીગળીને) વહી ગયા. (હે મહાગર્જક) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૮. (હે સૃષ્ટીપતિ યહોવા તારા હુકમથી), એ જળ પહાડો પર ફરી વળ્યા, અને ખીણૉના મારગે એ સ્થાન પર ઉતરી ગયા જે તે એના માટે તૈયાર કર્યા છે. હે (તૃપ્તિકર્તા) પિતા હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૯. (હે સરહદેશ્વર પિતા યહોવા,) તે એક સરહદ ઠરાવી જેને એ (જળ) કદી લાંઘી નથી શકતુ, અને ન તો ફરીવળી ને સ્થળને ઢાંપી શકે. હે સમુદ્રપિતા હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૧૦. (હે જળેશ્વર યહોવા,) તુ નાળાઓ માં ઝરણાઓ વહાવે છે; એ પહાડો વચ્ચેથી વહે છે, (હે તૃપ્તિકર્તા પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૧૧. (હે મેદાનેશ્વર પિતા યહોવા) એનાથી મેદાનમાંના સર્વ જીવ-જન્તુઓ જળ પીવે છે; જગલી ગધેડાઓ પણ પોતાની તરસ મટાડે છે. (હે સર્વતૃપ્તા પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૧૨. એની પાસે જ આકાશના પક્ષીઓ વસવાટ કરે, અને ડાળીઓ વચ્ચેથી (મીઠીમીઠી) કીકીયારીઓ કરે છે. (હે સર્વાશ્રયા પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૧૩. તમે તમારી અવકાશી અટારીઓમાંથી પહાડોને સીંચો છો, તમારા અદભુત કાર્યોથી પ્રુથ્વી ત્રુપ્ત થતી રહે છે. (હે સર્વતૃપ્તા પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૧૪. તે પશુઓ માટે ઘાસ, અને મનુષ્યોના કામો માટે અસંખ્ય ઉપજાવે છે, અને એવી રીતે ભુમી દ્વારા ભોજન વસ્તુઓ ઉત્પન્ન કરે છે. હે યહોવાનિસ્સી (સર્વ ઈચ્છાપુર્તા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૧૫. અને દ્રાસરસ જેનાથી મનુષ્યનુ મન આનંદિત થાય છે, અને તેલ જેનાથી એનુ મોઢું ચમકે છે, અને અન્ન જેનાથી એ સ્વસ્થ બને છે. (હે સર્વાનંદા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૧૬. પરમેશ્વર યહોવાના વૃક્ષો (સદા આત્મિક રીતે) તૃપ્ત રહે છે, અર્થાત લબાનોન ના દેવદાર જે એ પરમેશ્વરના જ રોપાયેલા છે. (હે સર્વદ્રષ્ટા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૧૭. એના ઉપર ચકલીઓ પોતાનો માળો બનાવે છે, લગલગ નો માળો સનોવરના વૃક્ષો માં હોય છે. (હે સર્વપ્રેમી પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૧૮. (હે પહાડેશ્વર,) ઉંચા પહાડો જંગલી બકરાઓના ચરવા માટે છે, અને શિખરો શાપાનો ના શરણસ્થાન છે. (હે સર્વ જીવોના પરમપિતા સર્વજીવા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૧૯. (હે કાળેશ્વર યહોવા,) તમે જ નિયત સમય (નક્કિ કરવા) માટે જ ચંદ્રમાને બનાવ્યો છે; સુર્ય પોતાનો અસ્ત થવાનો સમય જાણે છે. (હે સર્વસૃષ્ટા સૃષ્ટીપિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૨૦. (અંધકારેશ્વર યહોવા,) તુ અંધકાર કરે છે, ત્યારે રાત થઈ જાય છે, જેમાં વનમાંના દરેક જીવ-જન્તુઓ ઘુમતા ફરે છે. હે વનના સ્વામિ પિતા હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૨૧. (હે અન્નેશ્વર યહોવા,) જવાન સિંહ ખોરાક માટે ગરજતા હોય છે, અને ઈશ્વર પાસે પોતાનો આહાર માંગે છે. (હે વનજીવનના સ્વામિ) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૨૨. સુર્યોદય થતાં જ તેઓ જતા રહે છે અને પોતાની માંદોમાં જઈ બેસે છે. (હે સર્વપિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૨૩. ત્યારે મનુષ્ય પોતાના કામ માટે અને સંધ્યા સુધી પરિશ્રમ કરવા માટે નિકળી પડે છે. (હે સર્વપુર્તીકર્તા પુજ્ય પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૨૪. (હે બુધ્ધિશ્વર્યાહ,) પરમેશ્વર યહોવા તમારા કામ તો અસંખ્ય છે ! આ દરેક વસ્તુઓને તમે બુધ્ધિથી બનાવ્યા છે. પૃથ્વી તમારી સંપત્તિથી પરીપુર્ણ છે. (હે મારા દયાળુ પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૨૫. (હે અનંતેશ્વર્યાહ,) એવી જ રીતે સમુદ્ર ખુબ જ મોટો અને વિશાળ છે, અને એમા અસંખ્ય જળચર જીવ-જંતુઓ, શું નાના, શું મોટા, ભરેલા પડ્યા છે. (હે ઐશ્ચર્યના આકાશ,) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૨૬. (હે સમુદ્રેશ્વર્યાહ,) એમાં જહાજ પણ આવ-જા કરતા રહે છે, અને લિબ્યાતાન (વ્હેલ) પણ જેને તમે જ એના રમવા માટે બનાવ્યો છે. હે (સમુદ્રસ્વામિ સમુદ્રપિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૨૭. (હે સર્વાશ્રયેશ્વર્યાહ,) એ બધાને તમારો જ આશરો છે, કે તમે એમનો આહાર સમય પર આપ્યા કરો. (હે સર્વાશ્રયા પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૨૮. (હે સર્વતૃપ્તેશ્વર્યાહ,) તમે તેઓને આપો છો, તેઓ (યોગ્ય ખોરાક) ચુંટી લે છે; તમે તમારી મુઠ્ઠી ખોલો છો અને તેઓ ઉત્તમ પદાર્થોથી તૃપ્ત થઈ જાય છે. (હે સર્વતૃપ્તા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૨૯. (હે પ્રાણપતિશ્વર્યાહ,) તમે મોઢુ ફેરવી લો છો, અને તેઓ ગભરાઈ જાય છે; તમે તેઓનો સ્વાસ લઈ લો છો, અને તેઓના પ્રાણ છુટી જાય છે, અને તેઓ માટીમાં પાછા ભળી જાય છે. (હે સર્વપ્રાણપતિ પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૩૦. (હે જગદીશ્વર્યાહ,) પછી તમે તમારી તરફથી સ્વાસ (જીવ) મોકલો છો, અને તેઓ (એ જ માટીમાંથી) નવુસર્જન (નવુ રુપ) પામે છે. અને તમે જ ધરતી (એવી રીતે) નવપલ્લવીત કરી દો છો. (તમને કોટી કોટી ધન્યવાદ). (હે જગદીશ્વર પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૩૧. પરમેશ્વર યહોવાની મહિમા સદા સર્વદા બની રહે, પરમેશ્વર યહોવા પોતાના કામોથી સર્વદા આનંદિત થતા રહે (એવી પ્રાર્થના).
૩૨. એમની દ્રષ્ટીથી જ પૃથ્વી કાંપી ઉઠે છે, અને એમના સ્પર્શ માત્રથી જ પહાડોમાંથી ધુમાડો નિકળી પડે છે. (હે જગદીશ્વર્યાહ પિતા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
૩૩. હુ તો જીવનભર (અદશ્ય) પરમપિતા પરમાત્મા યહોવાના ગીતો ગાતો રહિશ; જ્યાં સુધી હુ જીવતો રહિશ ત્યાં સુધી મારા પરમેશ્વર યહોવાના ભજન ગાતો રહીશ.
૩૪. મારુ (એ અદશ્ય પણ મહાસામર્થી પિતાનુ) ધ્યાન કરવાનુ, પરમેશ્વરને પ્રિય લાગે, કેમ કે હુ તો યહોવાના કારણે આનંદિત રહિશ.
૩૫. (પ્રભુ યેશુના પિતા યહોવાને ન માનનારા) પાપી દંભી લોકો પૃથ્વી પરથી નષ્ટ થઈ જાય, અને દુષ્ટ લોકો ભવિષ્યમાં જોવામાં જ ના આવે! (એ માટે) હે મારા મન પરમપિતા પરમેશ્વર યહોવાને ધન્ય કહે, પરમપિતા પરમાત્માની સ્તુતિ કરો.
(હે જગદાધાર પિતા યહોવા એલોહીમ, યહોવા રાફા, યહોવા શાલોમ, યહોવ સીદકેનુ, યહોવા શામા) હુ તમને કોટી કોટી પ્રણામ કરુ છુ.
*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!*
એલોહીમ = સૃષ્ટીકર્તા, યહોવા નિસ્સિ = ઈચ્છા પુર્તીકર્તા, યહોવા રાફા = ચંગાઈદાતા,
યહોવા શાલોમ = શાંતિદાતા (શાલોમ એલોખીમ = તમને શાંતિ હો અને મુસ્લીમ બ્રધર્સ એકબીજાને મળે ત્યારે સલામ આલેકુમ કહે છે એ હિબ્રુ ભાષામાં બોલાતુ શલોમ એલોખેમ જ છે જેનો અર્થ ‘તમને પરમશાંતિ થાઓ.’)
*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!**!*!*!*!*!*!*!*!*
અસતો મા સદ ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મ્રુત્યોર્મા અમ્રુતં ગમય !! (બ્રુહદારણ્યકોપનિષદ ૧.૩.૨૮ તથા શત્પથબ્રામ્હણ ૪.૩.૧.૩૦)
હે પરમપિતા અસત્ય થી મુક્ત કરી મને સત્યમાં પહોચાડો, અંધકારથી મુક્ત કરી ને જ્યોતિમાં લઈ જાઓ પિતાજી, અને મૃત્યુથી પાર કરીને અમરત્વમાં પ્રવેશ અપાવો પિતાજી. અને પ્રભુ યેશુ કહે છે “માર્ગ, જીવન અને સત્ય” હુ જ છુ જે મને સત્ય અને પરમેશ્વરનો પ્રકાશ પહોંચાડે છે.
અશ્રધ્ધા પરમ પાપં, શ્રધ્ધા પાપ પ્રમોચીની (મહાભારત.શાંતિ પર્વ ૨૬૪.૧૫-૧૯)
પરમ્પિતા પર અશ્રધ્ધા પરમ પાપ છે પણ પરમપિતા પર શ્રધ્ધા સર્વ પાપોનો પરમ નાશ કરે છે. (મહાભારતના લેખકને કદાચ પરમપિતા પરમેશ્વરનુ જ્ઞાન જ ન હતુ કેમ કે એ મહાશયે પરમાત્માની નહિ પણ જે પરમાત્મા નથી એના વખાણ કર્યા છે જે મને પરમપિતાથી વિમુખ કરે એવા નરકમાં લઈ જતા લખાણને વાંચવાથી જ આત્મા અપવિત્ર થઈ જાય છે જેને પવિત્ર કરી શકનારુ બીજુ કોઈ સાધન એમાં મને જડતુ નથી. એટલે એનાથી દુર રહેવુ જ સારુ.)
પુનર્જ્ન્મને “ગીતા” ૮.૧૫ પ્રમાણે “દુઃખાલયમશાશ્વતમ” અર્થાત દુઃખોનુ નિવાસ્થાન
જે અમરત્વથી પ્રતિકુળ છે એવુ સુચવે છે.
(અને મારા શુદ્ર કે અશુદ્ર જાતિભાઈ બહેનો ૮૪ લાખ યોનિના ચકડોળ એવા અંધકારને હજુ પણ ચિપકી રહ્યા છે તો એમને કોણ બચાવશે? એવા અંધકારને જ્યાં સુધી મનથી અને જીહ્વાથી નકાર ન કરીએ ત્યાં સુધી એ અંધકાર આત્માને પણ દુષિત કરતો રહે છે અને સદા અશાંતિ જ ભોગવતા રહે છે, કોણ બચાવશે મારા ભાઈ બહેનોને?)
અને..
ઋગ્વેદ ૪.૧૭.૧૭ પણ અદશ્ય પરમ્પિતા પરમેશ્વરને “ત્રાતા” તથા “પિત્રુતઃ પિત્રુણાં” દરેક પિતાથી પણ ઉત્તમ પિતા, સર્વ પિતાઓના પિતા કહ્યા છે.
અને જે પરમપિતા નથી એવા દરેકે દરેક દેવી કે દેવતાઓને ભજવુ એ મોક્ષથી વંચિત કરનારુ કાર્ય છે. મોક્ષ એટલે પરમપિતા જોડે મિલન થવુ અને જે પરમેશ્વર જ નથી એવા દરેકે દરેકે પુજ્યોને પુજવથી પાપ ઉત્પન્ન થાય છે જે પરમેશ્વરને ઘ્રુણિત કરે છે અને મોક્ષથી વંચિત થવાનુ કારણ પાપનુ બંધન છે, સ્વાર્થનુ બંધન જે, કામ-ક્રોધ-લોભનુ બંધન છે જે મનુશ્યોથી તોડી શકાતુ નથી.
અને
(૧) પુનર્જન્મનો અર્થ છે મોક્ષથી વંચિત થવુ,
બ્રુહ્દારણ્યકોપનિષદ ૧.૩.૨૮ ”પુનર્જન્મને પુનર્મ્રુત્યુ કહે છે કેમ કે પુનઃ મ્રુત્યુ પુનર્જન્મ વગર શક્ય નથી. ઘણા જન્મો એટલે ઘણા મૃત્યુ.” એટ્લે કે જન્મ લઈને ફરીથી મરવુ, એવુ ફરી ફરી થવુ એટ્લે ફરી ફરી મરવુ જ્યાં સુધી ઉધ્ધારકર્તા (મસીહા) પવિત્ર પ્રભુ યેશુ ન અપનાવે.
કેમ કે મુણ્ડકોપ્નિષદ ૩.૧.૮ કહે છે “ન ચક્ષુષા ગૃહ્યતે નાપિ વાચા ! નાન્યૈઃ દેવૈઃ તપસા કર્મણા વા”
ન આંખથી, ન વાચા, ન તપ, ન કર્મ અને ન અન્ય કોઈ યુક્તિથી પરમ્પિતા પરમેશ્વરને પામી શકાય. એ તો ફક્ત જે પવિત્ર હોય એવા પરમેશ્વરના પુત્રને અનુસરવાથી જ શક્ય છે અને આખાયે જગતમાં પ્રભુ યેશુથી પવિત્ર બીજુ કોઈ છે જ નહિ. ચકાસી જુઓ, જગતના દરેકે દરેક પુજ્યોને ચકાસી જુઓ, સત્ય આપોઆપ સમજાઈ જશે. જે પરમેશ્વરમાં માનતા નથી એવા દરેકે દરેક સારા સારા કે સાચા લાગતા દરેક પુજ્યો અને વિચારકો શૈતાનના અધિકારીઓ છે જે પરમેશ્વરના સંતાનોને પરમેશ્વર વિમુખ લઈ જાય છે.
એટ્લે જ દરેક પ્રકારના માનવિય ઉપાયો દ્વારા પાપથી છુટી ન શકતા મનુશ્યને કાયમનો છુટકારો આપવા પ્રભુ યેશુએ સંપુર્ણ માનવજાત માટે ફક્ત એક વખત જ પવિત્ર બલિ આપીને ને સદાને માટે અમરત્વ પામી પરમ્પિતા પરમેશ્વરને જમણે જઈ સ્વર્ગ અને પૃથ્વીના ન્યાય કર્તા બની ગયા.
અને આજે આખાયે જગત પર સત્ય, પ્રેમ, કરુણા, સેવા દ્વારા રાજ કરનારા અદશ્ય અધિકારી બની ગયા છે. આજે જગત જે સ્થિતીએ પ્રેમ, દયા, સેવા, ભાઈચારો અનુભવે છે એનો સંપુર્ણ યશ ખ્રિસ્તીઓને જ મળે છે બીજા કોઈએ અવુ માનવ ઉધ્ધાર, શાંતિ અને દયાનુ કાર્ય હોય એવુ આજના હયાત ઈતિહાસમાં મને તો નથી જડ્યુ, અને જે કોઈ બીજાને આજના જગતના અલગ અલગ દેશોના જંગલીપણામાથી છુટકારો અપાવનાર કોઈ હોય તો એ ફક્ત ખ્રિસ્તીઓ જ છે.
મુસ્લીમોએ એવુ કર્યુ નથી. સિકંદરે પણ એવુ કર્યુ નથી. ચંગેઝ ખાને પણ એવુ નથી કર્યુ. પણ ખ્રિસ્તીઓએ જ્યાં પણ પગ મુક્યો ત્યાં આજે પ્રકાશ છે, પ્રગતિ છે, અંધકાર મટીને દિશા છે. પણ આપણા દેશમાં હજુ સંપુર્ણ પ્રકાશ નથી, શાંતિ નથી કે દિશા નથી કેમ કે જાતિવાદ, કામ, ક્રોધ, લોભ, મોહ અને ખોટનુ કાળુ ડિબાંગ અંધકાર ફેલાયેલુ છે. જે લોકો પ્રભુ યેશુનો વિરોધ કરે છે એ લોકોમાંથી અંધકાર દુર થયો જ નથી. આગળ વાચો…
(૨) મોક્ષ એટલે શારીરીક દેહ મ્રુત્યુ પામી આત્મિક દેહમા જીવી ઉઠી પરમપિતામાં લીન થવુ.
(૩) પણ નરકમાં જવાનો અર્થ છે શારીરીક મૃત્યુ પછી આત્માનુ પણ મૃત્યુ.
(૪) અને આત્મિક મૃત્યુ નાશવાન કામો કરવાથી થાય છે.
(૫) અને નાશવાન કામો કામ, ક્રોધ, લોભ અને મોહને અનુસરવાથી જે ફળ ઉપજે છે એ નાશવાન કામો.
અને
ઋગ્વેદ ૪.૧૭.૧૭ પણ પરમ્પિતા પરમેશ્વરને “ત્રાતા” તથા “પિત્રુતઃ પિત્રુણાં” દરેક પિતાથી પણ ઉત્તમ પિતા, સર્વ પિતાઓના પિતા કહ્યા છે.
અને મોક્ષથી વંચિત થવાનુ કારણ પાપનુ બંધન છે, સ્વાર્થનુ બંધન જે, કામ-ક્રોધ-લોભનુ બંધન છે જે મનુશ્યોથી તોડી શકાતુ નથી.
પરમેશ્વરથી દુર ભાગવાનુ ફળ નરક છે.
અદશ્ય પરમેશ્વરના બદલે ઘડી કાઢેલાઓને પરમેશ્વર માની એમને ભજવા એ મોક્ષનુ દ્વાર બંધ કરેછે કેમ કે એ મનઘડંત પુજ્યો અસામર્થી છે, લીલા કરનાર માયાવી છે, હત્યા કરનાર છે અને જે કોઈ હત્યા કરે છે એ નરકના ભાગીદાર બને છે એટલે શત્રુનો વધ કરનારા દેવી-દેવતાઓને પણ મોક્ષ શક્ય નથી અને એને ભજનારાઓને ક્યાંથી નસીબ થાય. અહિ જુઓ….->
ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ ! સત્વં પ્રક્રુતિજૈર્મુક્તં યદેભિઃ સ્યાત્ત્રિભિર્ગુણૈઃ !! (ગીતા ૧૮.૪૦) ->
હે અર્જુન, પૃથ્વીમા, સ્વર્ગમાં અને દેવોમાં એવુ કોઈ પ્રાણી નથી જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ત્રણે ગુણો, સત્વ, રાજસ અને તામસથી યુકત ન હોય, એટલે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સહિત દેવો સહિત સંપુર્ણ જગત ક્ષણભંગુર અને નાશવાન છે. (એમને ભજવા નકામુ છે.)
એટલે હુ પ્રેમથી ચેત્વુ છુ કે……
પાપઃ ફલં નરકાદિમઅસ્તુ (બ્રહ્મોપનિષદ ૨.૪)
પાપનુ પ્રતિફળ અનંત નરક છે.
*
ગીતા ૧૬.૨૧ કહે છે -> “નરક માટે કામ, ક્રોધ તથા લોભ એ ત્રણ દ્વાર ખુલ્લા જ છે”,
અને જે કોઈ જાણી જોઈને અથવા અજાણતા એમા પ્રવેશે છે એ નરક જ પામે છે.
જે પોતાની અજ્ઞાનતાથી ભ્રમિત છે, એ ઘૃણિત નરકમાં જઈ પડે છે. (ગીતા.૧૬.૧૬)
દુશ્ટ્કર્મી પાપયોનિમાં ધકેલી દેવામાં આવે છે. (ગીતા ૧૬.૧૯)
દુષ્ટ કર્મી એટલે પરમપિતા પરમેશ્વરનો, એમના ઉપદેશોનો અને પરમેશ્વરના સેવકોનો જે કોઈપણ પ્રકારે વિરોધ કરે ્છે તેઓ આપોઆપ ગીતા.૧૬.૧૬ મુજબ દુષ્ટકર્મી ઠરી જાય છે અને ગીતા.૧૬.૧૯. મુજબ નરકમાં જ જાય છે, માનો કે ન માનો આ જ સત્ય છે.
*
એટલે
*
પાપોહં પાપકર્માહં પાપાત્મા પાપસંભવઃ !
ત્રાહિમામ પુંડરીકાક્ષં સર્વ પાપ હર હરે !!
હે પરમપિતા પરમેશ્વર, હુ તો પાપી, પાપકર્મી, પાપિષ્ટ તથા પાપમાં ઉત્પન્ન થઈ (પાપમાં જ લીપ્ત રહુ છુ) ! હે પરમ આત્મા પરમેશ્વર, મને ઉગારો અને મારા સર્વ પાપોથી મને મુક્તિ આપો, પ્રભુ યેશુના નામે…….આમેન (તથા અસ્તુ).
*
મુંડકોપનિષદ ૩.૧.૮ કહે છે
“પાપ(મય સ્વભાવ) ના કારણે જીવાત્માનુ પરમેશ્વર શરણ પામવુ અશક્ય છે”
*
એટલે દરેક જીવાત્માએ પરમપિતાના મિલન માટે પવિત્ર બનવુ અતિઆવશ્યક, જરુરી છે.
એટલે બધુ કોરાણે મુકે સૌ પ્રથમ એ કરવુ અતિઆવશ્યક છે,
નહિ તો જે કંઈ પણ કરશો એમાં અશાંતિ જ મળશે.
અને
સર્વ પાપ પારીહારં રકતપ્રોક્ષણં આવશ્યકં !
જીવાત્માના દરેક પાપોના નિવારણ માટે પવિત્ર જીવના પવિત્ર લોહિ ની જરુર પડે જ છે જે પ્રભુ યેશુએ ૨૦૦૦ વરસ પહેલા જ સુળી ઉપર બલિદાન રુપે જગતને અમુલ્ય ભેંટ આપી છે.
એટલે
*
પાપોહં પાપકર્માહં પાપાત્મા પાપસંભવઃ !
ત્રાહિમામ પુંડરીકાક્ષં સર્વ પાપ હર હરે !!
પરમપિતા પરમેશ્વર, હુ તો પાપી, પાપકર્મી, પાપિષ્ટ તથા પાપમાં ઉત્પન્ન થઈ (પાપમાં જ લીપ્ત રહુ છુ) ! હે પરમ આત્મા પરમેશ્વર, મને ઉગારો અને મારા સર્વ પાપોથી મને મુક્તિ આપો, પ્રભુ યેશુના નામે…….આમેન (તથા અસ્તુ).
*
આદિ શ્રી શંકરાચાર્યરચીત વિવેક્ચુડામણી મંગલાચરણ સ્લોક ૩-૪-૫-૬-૭- કહે છે ઃ
૩. ભગવતક્રુપાથી જ પ્રાપ્ત મનુષ્યત્વ, મુમુક્ષુત્વ (મુક્ત થવાની ઈચ્છા) અને મહાન પુરુષોનો સંગ- આ ત્રણ તો અતિ દુર્લભ જ છે.
૪. કોઈ પણ પ્રકારે આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને એમાં પણ શ્રુતિના સિધ્ધાંતનુ જ્ઞાન થયુ હોય એવા પુરુષત્વને પામીને જે મુઢ બુધ્ધિ પોતાના આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો, એ નિશ્ચય જ આત્મઘાતી છે; અને એ અસતમાં આસ્થા રાખવાના કારણે પોતાને નષ્ટ કરે છે.
૫. દુર્લભ મનુષ્યદેહ અને એમાં પણ પુરુષત્વ પામીને જે સ્વાર્થ સાધનામાં પ્રમાદી-રત રહે છે, એનાથી અધિક મુઢ કોણ હશે?
૬. ભલે કોઈ પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરે, દેવતાઓના યજ્ઞો કરે, નાના પ્રકારર્ના શુભ કર્મો કરે અથવા દેવતાઓને ભજે, તથાપિ જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ નથી થતો ત્યા સુધી સો બ્રહ્માઓના વીતી જવા પર પણ (અર્થાત સો કલ્પો વીતી જવા પર પણ) મુક્તિ તો થઈ શકતી જ નથી.
૭. કેમ કે “ધનથી અમ્રુતત્વની આશા નથી” આ શ્રુતિ “મુક્તિના હેતુ કર્મ નથી” એ વાત સ્પષ્ટ દર્શાવે છે.
આ સીવાય ગીતા ૮.૨૮ પણ કહે છે
“વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ, દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ !
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા, યોગી પરં સ્થાનમુપૈતિ ચાધ્યમ !!
યોગી પુરુષ આ તત્વ રહસ્યને તત્વથી જ જાણીને વેદો પઠનમાં તથા યજ્ઞ, તપ અને દાનાદિ કરવામાં જે પુણ્યફલ કહ્યુ છે, એ બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જઈને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે.
ગીતા ૯.૨૫ કહે છે
“યાન્તિ દેવવ્રતા દેવાન્પિત્રુન્યાન્તિ પિત્રુવ્રતાઃ !
ભુતાનિ યાન્તિ ભુતેજ્યા યાન્તિ મધ્યાજિનોયપિ મામ !!
દેવતાઓને પુજનાર દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિત્રુઓને પુજનાર પિત્રુઓને, ભુતોને પુજનાર ભુતોને અને જે મારુ (અદેહી-પરમેશ્વરનુ, વિષ્ણુનુ નહિ) પુજન કરનાર મને (નીરાકાર પરમેશ્વરને) જ પ્રાત્પ થાય છે. એટલે મારા (નીરાકાર, અદશ્ય પરમેશ્વરના) ભક્તો પુનર્જન્મ નથી પામતા.
ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ !
સત્વં પ્રક્રુતિજૈર્મુક્તં યદેભિઃ સ્યાત્ત્રિભિર્ગુણૈઃ !! (ગીતા ૧૮.૪૦) ->
હે અર્જુન, પૃથ્વીમા, સ્વર્ગમાં અને દેવોમાં એવુ કોઈ પ્રાણી નથી જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ત્રણે ગુણો, સત્વ, રાજસ અને તામસથી યુકત ન હોય, એટલે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સહિત દેવો સહિત સંપુર્ણ જગત ક્ષણભંગુર અને નાશવાન છે.
અને ૪૨ વરસે મને મુર્તી પુજા છોડી પરમેશ્વરને પામવાની ઈચ્છા થઈ અને મેં ખોળગત કરવાની શરુઆત કરી. પ્રભુ યીશુ કહે છે “હુ જ માર્ગ, સત્ય અને જીવન છુ, અને મારા સિવાય પરમેશ્વરનો મિલાપ કરાવનાર આ જગતમાં બીજુ કોઈ નથી.” અને મને પણ તે સત્ય લાગે છે કે બીજા બધા જુઠ્ઠા છે કેમકે તેઓ પવિત્ર નથીજ કારણ કે કોઈ જુઠો, કોઈ ખૂની છે, કોઈ માયાવી, કોઈ જુઠ્ઠુ બોલનારો છે, બીડી, તંબાકુ, ભાંગ તો વળી પાછો પોતાના પુજ્યને ચડે છે એટલે તેઓ પણ એ શરીર-વાસના, શબનુ માંસ, મલ-મુત્ર, ઝેર, પાન, તંબાકુ, બીડી, ભાંગ, નશો વગેરે પીવા જોઈએ જ, વગેરે વગેરે.
ભકતિ તો ખુબ કરે છે, ઉપવાસ-દાન પણ ખુબ કરે છે, પણ દયા કોઈની કરતા નથી, સાચાનુ જુઠુ અને જુઠાનુ સાચુ તો ચકપટીક વગાડાતા જ કરે છે. મનના ઉપરથી તો સારા, તનના રુપાળા, રીતભાત સારી, આવડત-સમજણ સારી, જાત પણ સારી, સારા કપડા ઉજળા, ભણેલા-ગણેલા, ઊંચા હોદ્દેદાર પણ ખાટલે મોટી ખોડ એ છે કે “પરમ પિતા”ને જાણતા જ નથી અને પરમપિતા પરમાત્માથી ડરતા પણ નથી અને ખોટા અભિમાનમાં, ગુમાનમાં ભટકેલા, સદાના ભટકતા અને ભટકાવી મુક્નારા અને ખોટા અભિમાનમાં, ગુમાનમાં ભટકેલા અને ભટકાવી મુક્નારા છે.
સૌથી મોટી વાત એ કે તેઓ માનવો પ્રત્યે ભેદભાવ રાખે છે, ઉચ-નીચ, કાળો-ગોરો, દેશી-પરદેશી વગેરે વગેરે અને લોકોનુ જોઈ જોઈને હુ પણ ગરીબોથી છો્છ રાખતો હતો. પણ જ્યારે બાઈબલ હાથ લાગ્યુ અને ખબર પડી કે આપણે બ્રહ્માના નહિ પણ પરમપિતા પરમેશ્વરના સંતાનો છીએ અને આપસમાં સગ્ગા ભાઈ-બહેન છીએ અને મારી આંખો પરથી અંધકારના અને અજ્ઞાનતાના પડળ ખરી પડ્યા અને મે યીશુજીના વચનો પર શોધખોળ કરવાની શરુઆત કરી અને રામાયણ-મહાભારત-ભાગવત બાજુ પર મુકીને, ગીતા, વિવેક ચુડામણી, બ્રહ્મ સુત્ર, યોગસુત્ર, ઉપનિષદો વાંચ્યા, જેનો એકેશ્વરવાદ વાંચ્યા,
ब्रह्म ही सभी सुखों का मूल स्रोत है. समस्त सांसारिक आनन्द उसी के क्षुद्र कण हैं. (बृहदारण्यक उपनिषद्)
બ્રહ્મ જ સર્વ સુખ નુ મુળ સ્ત્રોત છે. સમસ્ત સાંસારીક આનન્દ એમનો ક્ષુદ્ર કણ છે. (બ્રુહદારણ્યક ઉપનિષદ).
एष योनिः सर्वस्य (माण्डुक्य उपनिषद)
જગદુત્પત્તિ અને કર્મફળ પ્રદાન કરનાર બ્રહ્મ જ સર્વના કારણ રુપ છે.
स कारणं करणाधिपाधिः
એજ સર્વના કારણ છે અને કરણ-ઈંદ્રિયો ના જે અધિપતિ આત્મા છે, એ આત્માઓના પણ અધિપતિ બ્રહ્મ છે.
યજુર્વેદ મા કહ્યુ છે – इंद्रो-विश्वस्य राजति – પરમાત્મા જ સર્વના નિયંતા છે
યતઃ પ્રવ્રુત્તિર્ભુતાનાં યેન સર્વમિદં તતમ !
સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિધ્ધિં વિન્દતિ માનવઃ !!
જે પરમાત્માથી સમસ્ત પ્રાણીમાત્રની ઉત્પત્તિ થઈ, જેનાથી આ સંપુર્ણ જગત જેવી રીતે બરફ જળથી વ્યપ્ત છે એવી જ રીતે પૃથ્વી પરમપિતા પરમેશ્વરથી વ્યાપ્ત છે તે પરમેશ્વરની તુ સ્વકર્મણા (તારા સ્વભાવથી ઉત્પન્ન થયેલા) કર્મથી પુજા કર અને પરમસિધ્ધિને પ્રાપ્ત કર.
એટલે બ્રહ્માથી માંડીને કીટ-પતંગ સર્વજગત, ક્ષણભંગુર અને જીવન-મરણશીલ છે. ત્રણ ગુણોની અંદરજ છે. અર્થાત દેવો પણ ત્રણ ગુણોનો વિકાર હોઈને, નશ્વર જ છે.
આ વાત સાત, નવ સત્તર અને અઢારમાં અધ્યાયમાં કરી છે. બધાનો એક જ અર્થ છે કે દેવતાઓ ત્રણે ગુણોની અંતર્ગત છે, જે એને ભજે છે એ નશ્વરની પુજા કરે છે, જેનુ ફળ શુન્ય જ છે. પણ પરમપિતા પરમાત્મા આ ત્રણે ગુણોથી પર છે, અને આ જગતમાં દશ્ય અને અદશ્ય જે કંઈ પણ છે એ સર્વ પરમપિતા પરમાત્માથી જ ઉત્પન્ન થયેલ છે અને એ સર્વ ઉપર પરમપિતા પરમત્માનો જ અધિકાર છે એટલે એમને ભજવાથી અને અનુસર્વાથી મોક્ષ દ્વાર ખુલે છે.
બ્રુહદારણ્યક માં પણ કહ્યુ છે – स वा अयवात्मा सर्वेषां भूतानां राजा
હવે આ “બ્રહ્મ” કોણ છે?? એ બ્રહ્મા નથી. ભાર દઈને ખાસ કહુ છુ એ બ્રહ્મા નથી કેમ કે ત્રિગુણ્દોષી બ્રહ્મા પોતે અને વિષ્ણુ-મહેશ પણ એ આકાશવાણી કરનારા, બ્રહ્મવાણી કરનારા, અદ્શ્ય, અકલ્પનીય, અતિમહાન, અતિબુધ્ધિશાળી, અતિદયાળુ, અતિસામર્થી ”બ્રહ્મ” ની ઉપાસના કરે છે અને કૈલાશ પર્વત અને શેષનાગ શૈયા પર ધ્યાનમાં તલ્લીન થઈ જાય છે.
એ “બ્રહ્મ” ને જ ખ્રિસ્તી લોકો “ખ્રિસ્ત” (ક્રાઈસ્ટ અથવા ગોડ) કહે છે, યહુદી લોકો “યહોવા” કહે છે એટલે અદશ્ય પરમેશ્વર “યહોવા” ને પુજનારા યહુદી કહેવાણા અને પ્રભુ યીશુ પોતે યહુદી હતા. અને એમનો દેશ ઈઝરાયેલ છે, અંગ્રેજ કે અમેરીકન ન હતા, એતો આપણા દેશના સ્વ સ્વાર્થે જ ઠોકી બેસેલા નરાધમોએ જ પ્રભુ યીશુને પરાયા ધર્મના ગણાવીને મારા જેવા ભટકેલાઓને સ્વર્ગીય આશિષોથી, મારા સાચા પિતા થી મને, મારા વડાવાઓને, મારા ગુજરાતને, મારા ભારત દેશને આંખે પાટા બાંધી નરકમાં જવા માટે અંધ બનાવી દિધેલા છે અને નરકના ૮૪ લાખ ના ચક્કરમાં મરાવી નાખ્યા છે. અને જુઓ આજે પણ આપણૉ દેશ અશાંત છે, ભણેલો ગણેલો અને ધાર્મિક હોવા છતાંય અજ્ઞાની છે, અંધકારમય છે, અને લોકો દુઃખી છે.
મુસલમાનો એ જ “બ્રહ્મ” ને પરવરદિગાર, “અલ્લાહ” ના નામે ઓળખે છે અને આરાધના (ઈબાદત-નમાજ) કરે છે. મસ્જીદમાં કે ચર્ચમાં કોઈ મુર્તિ નથી હોતી. મુસલમાનો ફક્ત “અલ્લાહ” ને અને ખ્રિસ્તીઓ ગોડને-ખ્રિસ્તને હાજર માનીને, સર્વવ્યાપી માનીને એમની બંદ આંખોએ, પોતાના અને જગતના પાપો માટે પશ્ચાતાપ કરીને દીન અને નમ્ર બનીને પ્રાર્થના જ કરતા હોય છે.
આવુ બધુ સમજ્યા પછી રામાયણ-મહાભારત -ભાગવત વેદ વ્યાસજીની કથા મિથ્યા લાગ્યા, જે સત્ય નહિ પણ સંસ્ક્રુતના સુગઠીત રીતે માનવોએ રચેલા કાવ્ય લાગે છે એ સાચુ-બંધબેસતુ લાગે છે કેમ કે એ દરેક મંત્ર કોઈને કોઈ છંદમાં રચાયેલા છે જે સાફ સાફ મનુષ્યની જ રચના જણાય છે.
મને એક વાત નથી સમજાતી કે પુરાણો, વેદો, અને અન્ય પુસ્તકો ગીતા-રામાયણ-મહાભારત સહિત, સર્વ ગ્રંથો લખાયેલા છે એ તો કોઈને કોઈ છંદ પ્રમાણે જ લખાયેલા છે, જે ગાઈ શકાય એવા છે. અને યુગો પુરાણી (કુ)વાયકા તો કહે છે કે એ ભગવાને લખાવેલુ સાહિત્ય છે જે ઘરમાં રાખી શકાય એવુ નથી અને જે કોઈ રાખે છે એમના ઘરમાં અશાંતિ ફરી વળે છે. અને ફરીથી મારા મનમાં પ્રશ્ન ઉઠે છે કેઃ
હવે ધારો કે કોઈ અભણ અથવા સંસ્ક્રુત ન જાણતો હોય એ, કોઈ સ્લોક ગોખીને લાખ બે લાખ જપે અને એનો પુજ્ય, એ પુજક પર પ્રસન્ન થઈ બેસે અને એને જે સ્લોકની ભાષાથી આકર્શાઈ ને અથવા પ્રસન્ન થઈને એને એ જ સંસ્ક્રુતના સ્લોકના બંધારણ પ્રમાણે જ સંસ્ક્રુતમાં જ ઉત્તર આપશેને? ત્યારે એ ભાઈ કે બેના ને એ ઉત્તર ક્યાંથી સમજાશે, કેમ કે એમને તો સંસ્ક્રુતનુ જ્ઞાન જ નથી હોતુ. એટલે મારા ભોળા ભાવ મુજબ ભગવાન તો પોતાના બાળકોની જ ભાષા બોલે એવા હોવા જોઈએ, નહિ કે એના બાળક ને પિતાની વાતો સમજવા અસામાન્ય અને અઘરી ભાષા શીખવી પડે જે બોલચાલના વ્યવહારમાં વપરાતી જ ન હોય. આ મુદ્દા ઉપર કોઈએ ઉંડાણ પુર્વક સંશોધન કરવુ જોઈએ.
વધુમાં એ ગ્રંથોના ચોક્ક્સ પ્રમાણ કે સમય-તારીખ નથી,પવિત્રતા નથી અને સચ્ચાઈ નથી કેમ કે વાયકા એવી છે કે અમુક ગ્રંથો ઘરમાં રાખવાથી ઘરમાં જ કંકાસ-અશાંતિ ઘર કરી જાય છે. એ સીવાય, એક જ વ્યક્તિ ૪-૫ પેઢીની ગુપ્તઅતીગુપ્ત વાતો કેવી રીતે પામી શકે અને એ પણ બે યુગની વાતો, એ માની શકાતુ નથી અને રામ-કૄષ્ણને પરમાત્મા માનવા એ બ્રહ્મસુત્ર અને વિવેક ચુડામણીની નિર-આકાર ની કથા વાંચ્યા પછી મન મુર્તિઓમાં માનતુ નથી.
-
आत्मा एव इदं सर्वम् (छान्दोग्य उपनिषद् 7-25-2) यह आत्मा ही सब कुछ है. આ આત્મા જ સર્વ કાંઈ છે.
-
सर्वं खलु इदं ब्रह्म (छान्दोग्य उपनिषद्)सब कुछ निश्चय ही यह ब्रह्म ही है. સર્વ જે કંઈપણ છે, એ નિશ્ચીત આ ‘બ્રહ્મ” જ છે.
-
सदेव सौम्य इदम् अग्रे आसीत्, एकम् एवं अद्वितीयम् (छान्दोग्य 6-2-1) पहले सत् ही था, अकेला और अद्वितीय. સર્વ પ્રથમ આ સત જ હતુ, એકલુ અને અદ્વિતીય. (તો પછી હુ જેને પુજતો હતો એ ૩૩ કરોડ કોણ હતા?)
-
अयम् आत्मा ब्रह्म (बृहदारण्यक उपनिषद् 2-5-19) यह आत्मा ही ब्रह्म है. આ આત્મા જ “બ્રહ્મ” છે.
-
एकं सद् विप्रा बहुधा वदन्ति (ऋग्वेद)
-
ન માં દુષ્ક્રુતિનો મુઢાઃ પ્રપધ્યન્તે નરાધમાઃ ! માયયાપહ્યતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ !! (અટપટી, નવી નવી, આધુનિક (માન્યતાઓ ભરી) માયાઓ દ્વારા જેનું જ્ઞાન હરણ થઈ ગયુ છે એવા આસુરી સ્વભાવને ધારણ કરેલા(ઉચ્ચ કહેવાતા) નીચ, દુષિત કર્મ કરનારા મુઢ લોકો જ પરમપિતા પરમેશ્વરને નથી ભજતા, તેઓ જ અવનવા દેવી-દેવતાઓનુ વર્ણન અને ભજન કરે છે, અને સત્ય પરમેશ્વરને ભજનારાઓની ઉપેક્ષા અને તાડના કરે અને કરાવે છે.)
કેમ કે આ અતિમુલ્ય, અમુલ્ય, અતિવિશાળ, અને અતિસિક્ષ્મ એવુ આ એક જ સત્ય સમજાણુ કે મનુષ્ય મરી ગયા પછી એનો આત્મા કોઈ ભગવાન કે દેવી-દેવતા ઓ પાસે નથી જવાનો, એ તો પરમાત્મા પાસે જ જવાનો છે અને એના પાપ અને પુણ્ય પ્રમાણે ફળ પરમાત્મા જ આપશે.
તો પછી જેની પુજા ૪૨ વરસ સુધી મે કરી હતી એ શકિત કોણ હતી???
અને હુ પરમાત્માને ના ઓળખુ કે ના પુજુ જેની પાસે મારે જવાનુ છે, જે મને જીવંત રાખે છે, મારી સર્વ રીતે દેખભાળ કરે છે, તો પછી જેને પુજુ છુ એ મને કાયમનો છુટકારો આપવાને સક્ષમ તો નથી જ કેમ કે એ તો સર્વોપરી શક્તિ તો નથી.
ધારો કે હુ અમુક ભગવાનને ભારતમાં ભજુ છુ, શું મુસ્લીમ દેશમાં અથવા અન્ય દેશોમાં એ જ ભગવાનનુ સ્થાન અથવા સામર્થ હોવાનુ? કેમ કે એ ભગવાનનુ મુળ સ્થાનક તો ભારતમાં છે. અને એ સર્વ વ્યાપી છે તો એના વિશે તે તે દેશના લોકો આજ સુધી કેમ અજાણ છે? કેમ એ ભગવાનોને ભજતા નથી અથવા તો એને માનતા જ નથી. અને એ પણ લાખો વરસોથી કેમ કે એક એક યુગ લાખ લાખ વરસ નો ગણાયોલો છે. મારુ તો માથુ જ ભમી જાય છે આવા આવા વિચારોને સાબીત કરવા બેસુ ત્યારે, કેમ કે…………??
એ જ દેવી-દેવતાઓ પોતે જ બીજા કોઈને ભજે છે, જેવી રીતે હનુમાન રામને, અને રામ શીવને અને શીવ કદાચ વિષ્ણ કે જગદંબા ને જે આખરે તો આકાશવાણી દ્વારા હુકમ આપનારા પરમ્પિતા પરમેશ્વરનુ જ તો ધ્યાન કરે છે.
सभी विशेषणों से परे रह कर ब्रह्म निर्गुण ब्रह्म या पर ब्रह्म कहलाता है. सत्, चित् तथा आनन्द इसका स्वरूप होता है. સર્વ વિશેષણો થી પણ પરે રહીને “બ્રહ્મ”, “નિર્ગુણ બ્રહ્મ” અથવા “પરબ્રહ્મ” કહેવાય છે. સત, ચિત તથા આનંદ એ એમનુ સ્વરુપ છે.
એ સિવાય, મને જે આત્મા અપાયેલો છે એ આપનાર પણ પરમ્પિતા પરમાત્મા જ છે તો પછી ૩૩ કરોડ દેવી-દેવતાઓ કોણ છે? અને એમની સંખ્યા ૩૩ કરોડ જ છે, એવુ કઈ રીતે માની શકાય, શુ આ એક ગપ નથી? અભણ અને ભોળા એવા મારા પુર્વજોને ક્ષુદ્ર અને મુરખ બનાવનારાઓને મારો સાચ્ચો પિતા પરમેશ્વર “બ્રહ્મ” કદિ જ માફ નહિ કરે અને એ સર્વ અને એમના વેતેરો નરકમાં જ નાખી દેવાયા છે અને હજુ પણ સુધરશે નહિ તો નરકમાં જ જવાના છે, ગમે તે કરી લે તો પણ નરકના દંડથી એમને કોઈ છોડી શકવા સમર્થ નથી. એમના જ મન દ્વારા ઘડી કાઢેલા ઉપાયો જ એમના ઘરમાં અશાંતિ, ચાલાકી, નફરત, ઈર્ષ્યા, જુઠ્ઠાણુ એવા એવા પાપના અને નરકના ગુણો થી ભરાયેલા પટારાઓ પડેલા જ હોય છે. જરા નજીક જઈને ડોકિયુ કરી લેવા નમ્ર વિનંતી છે.
મને હવે સમજાયુ કે આખુ જગત- આખી સ્રુષ્ટી આત્મામય છે. અને આ સ્રુષ્ટીમાં જ પરમાત્માએ સ્વર્ગ અને નરક પણ બનાવ્યા છે. અને સ્વર્ગની અને નરકની સેનાઓ આપણા ચારો તરફ ફરતા જ હોય છે, જે આંખોથી જોઈ શકાતા નથી પણ અનુભવી શકાય છે. અબઘડીએ જ આ વાંચનારની ચારો તરફ, આજુબાજુ જેને પુજતા હશે એ લોકના આત્માઓ એમની ચારો તરફ એવુ જ રાજ્ય બનાવી રાખે છે. ભારતમાં એટલે જ એકતા નથી, પવિત્રતા નથી, કેમ કે એક ઘરમાં એક દેવતાની પુજા થતી હોય અને એના પાડોશમાં બીજા જ દેવી કે દેવતાની પુજા થતી હોય છે.
જ્યારે બે મનુષ્યો આપસમાં જ પોતાની સર્વોપરીતા માટે લડતા હોય છે તો પછી એ અસામર્થી પુજ્યો પણ પોતાના વેતરો ને બીજાથી અળગા જ કરાવે એવુ શીખવે કે નહિ?? એટલે એ રાજ્યને ઓળખવુ અતિ મહત્વનુ છે. વિવિધતામાં એકતાનુ કે એકતામાં વિવિધતા કરાવે એવુ?? સ્વર્ગનુ કે નરકનુ. ઓળખો એને.
સ્વર્ગના આત્માઓ જેને પવિત્ર આત્માઓ કહેવાય છે, પરમેશ્વરના સંતાનોને પરમેશ્વરના નામથી જ પરમેશ્વરની સામર્થ દ્વારા પરમેશ્વરની મહિમા માટે જ સ્વર્ગીય કામો કરાવે છે પોતાના નામ માટે નહિ.
સ્વર્ગીય કામો જેવા કે પ્રેમ, દયા, કરુણા, સેવા, ધીરજ, સંયમ, સહનશીલતા, વિશ્વાસ, ભક્તિ, આરાધના, શુધ્ધ, સર્વ માનવ પ્રેમ, વગેરે વગેરે…… પવિત્ર કામો કરીને, અનુસરીને મનુષ્ય ખુદ પરમેશ્વરના સામર્થને પ્રુથ્વી પર પોતાના માનવ દેહ દ્વારા જ, માનવો પર પોતાના દ્વારા પ્રગટ કરી શકે છે.
જેમ કે કોઈ નિઃસ્વાર્થ બની ગરીબને જમાડે, કોઈ બીમારની સેવા કરે, ભુખ્યાને ભોજન અને નંગાને વસ્ત્રો, ફુટપાથ પડેલાઓ પ્રત્યે પ્રેમ, દયા, કરુણા કરે, ઝુંપડાઓમાં રહેનારાઓને સુવિધાઓ પ્રદાન કરે, હોસ્પિટલોમાંથી, સરકારી દફતરોમાંથી બદીઓ, ચોરીઓ, ભ્ર્ષ્ટાચાર દુર કરે, શુદ્રોને, કંગાલોને અને જે કાંઈ છે જ નહિ એવા લોકોમાં પરમેશ્વરીય સામર્થ ઉત્પન્ન કરે, જે મજબુરીથી, લાચાર બનીને વેશ્યાવ્રુત્તિ કરે છે એમને પ્રેમ્થી સમજાવે અને છોડાવે, નશેડીઓને છુટકારો અપાવે, વ્યભિચારીઓને વાસનામુક્તી અપાવે, અનેક એવા દયાના કામો ફક્ત પરમેશ્વરીય કામો પરમેશ્વરના પ્રેમ અને સામર્થ દ્વારા જ કરી એ ભટાકેલાઓનો ઉધ્ધાર કરી શકે છે.
અને જે સ્વાર્થી લોકો, પોતાની જ મહિમા માટે આવુ કરે છે એ તો નરકના જ ગુલામો છે, સૈતાનના દાસ છે, અને નરકમાં જ નષ્ટ થાય જ છે.
નરકના આત્માઓ જે દુષ્ટાત્માઓ તરીકે કુખ્યાત છે. એ દુષ્ટાત્માઓ જ મનુષ્યના અજ્ઞાનનો લાભ લઈને એ અજ્ઞાની અને કમજોર મનુષ્યને લોભ લાલચમાં પાડી, ભટકાવી મારીને એના શરીર દ્વારા ઉપર દર્શાવેલા પાપના કામો કરાવે છે જેવા કે જુઠ્ઠાણુ, ચાલાકી, બેઈમાની, લુંટફાટ, ગંદા કામો, ગંદા વિચારો, ગંદી બોલી, વ્યાભિચાર, દુરાચાર, અશિષ્ટતા, જાતિવાદ, ભેદભાવ, લડાઈ, ઝઘડા, અભિમાન, દંભ, જ્ઞાન નો દંભ કરવો, અને લોકોને ભરમાવવા, ઉંધે રવાડૅ ચડાવી પિતાથી દુર કરવા, આવા આવા પાપના કામો કરાવીને પરમેશ્વરના સંતાનોને પરમેશ્વરથી અળગા કરીને જે તે લોકોમાં લઈ જઈને નરકમાં ભટકાવી મારે છે એ લોકોને કદીએ શાંતિ નહિ મળે અને મર્યા પછી પણ મુક્તિ તો મળતી જ નથી.
એટલે જ્યા સુધી પરમપિતાને જે કોઈ સમજી શકતા નથી અને સમજી ગયા પછી પણ એમને ભજતા કે માનતા જ નથી અને લોકોને પરમેશ્વરની સચ્ચાઈ થી વંચિત રાખવા નવા નવા પંથો બનાવતા જ જાય છે,સરકારી અથવા પડાવી પાડેલી જમીનો પર મહેલો જેવા મંદીરો બનાવતા જ જાય છે, મુર્તીઓ ઘડતા જ જાય છે અને એમ કરી તેઓ પરમેશ્વરના જ સંતાનોને પરમેશ્વરથી જ વધુ ને વધુ વિમુખ કરીને લુંટારા અને અપહરણકર્તા જેવુ પાપ કરે છે તેઓ ચોક્કસ નરકમાં જ જાય છે. એ સત્યમાં છે કોઈ ને શક?? જાગો લોકો જાગો !! આવા લોકોને પરમેશ્વરના સ્રાપથી બચાવવા માટે પ્રાર્થના કરો કે પિતા તેઓને માફ કરે અને એમની આંખો ખોલે અને સચ્ચાઈ સમજાવે.
યજુર્વેદના ૩૨માં અધ્યાયમાં પરમાત્મા વિશે કહેવાયુ છે કે “એ “બ્રહ્મ” જ અગ્ની છે, આદિત્ય, વાયુ, ચંદ્ર અને શુક્ર પણ એ જ છે, જળ અને પ્રજાપતિ અને સર્વવ્યાપી તો ફક્ત પરમાત્મા જ છે. તેઓ પ્રત્યક્ષ જોઈ શકાતા નથી, ના તો એમની કોઈ મુર્તી છે (ન તસ્ય પ્રતિમા). એમનુ નામ જ મહાન છે. એ સર્વ દિશાઓને વ્યાપ્ત કરીને એમા જ સ્થિત છે. સ્પષ્ટ છે કે વેદાનુસાર એમની કોઈ મુર્તિ કે પ્રતિમા છે અને ના એમને પ્રત્યક્ષ રુપમાં જોઈ શકાય છે. કોઈ મુર્તીમાં ઈશ્વરનુ વસવુ અથવા ઈશ્વરના દર્શન કરવાનુ કથન વેદસમ્મ્ત પણ નથી.
આ જ સત્ય વેદ દ્વારા વિવેક્ચુડામણી, ગીતા ૯.૨૮ સ્લોક પણ કહે છે કે પરમાત્મા નુ જ ભજન કરનાર મોક્ષ ને પામે છે નહિ તો ૮૪ લાખના ચકડોળમાં ફર્યા જ કરો
કેમ કે આદિ શ્રી શંકરાચાર્યરચીત વિવેક્ચુડામણી મંગલાચરણ સ્લોક ૩-૪-૫-૬-૭- કહે છે ઃ
૩. ભગવતક્રુપાથી જ પ્રાપ્ત મનુષ્યત્વ, મુમુક્ષુત્વ (મુક્ત થવાની ઈચ્છા) અને મહાન પુરુષોનો સંગ- આ ત્રણ તો અતિ દુર્લભ જ છે.
૪. કોઈ પણ પ્રકારે આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને એમાં પણ શ્રુતિના સિધ્ધાંતનુ જ્ઞાન થયુ હોય એવા પુરુષત્વને પામીને જે મુઢ બુધ્ધિ પોતાના આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો, એ નિશ્ચય જ આત્મઘાતી છે; અને એ અસતમાં આસ્થા રાખવાના કારણે પોતાને નષ્ટ કરે છે.
૫. દુર્લભ મનુષ્યદેહ અને એમાં પણ પુરુષત્વ પામીને જે સ્વાર્થ સાધનામાં પ્રમાદી-રત રહે છે, એનાથી અધિક મુઢ કોણ હશે?
૬. ભલે કોઈ પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરે, દેવતાઓના યજ્ઞો કરે, નાના પ્રકારર્ના શુભ કર્મો કરે અથવા દેવતાઓને ભજે, તથાપિ જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ નથી થતો ત્યા સુધી સો બ્રહ્માઓના વીતી જવા પર પણ (અર્થાત સો કલ્પો વીતી જવા પર પણ) મુક્તિ તો થઈ શકતી જ નથી.
૭. કેમ કે “ધનથી અમ્રુતત્વની આશા નથી” આ શ્રુતિ “મુક્તિના હેતુ કર્મ નથી” એ વાત સ્પષ્ટ દર્શાવે છે.
આ સીવાય ગીતા ૮.૨૮ પણ કહે છે “વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ, દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ !
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા, યોગી પરં સ્થાનમુપૈતિ ચાધ્યમ !!
યોગી પુરુષ આ તત્વ રહસ્યને તત્વથી જ જાણીને વેદો પઠનમાં તથા યજ્ઞ, તપ અને દાનાદિ કરવામાં જે પુણ્યફલ કહ્યુ છે, એ બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જઈને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે.
ગીતા ૯.૨૫ કહે છે “યાન્તિ દેવવ્રતા દેવાન્પિત્રુન્યાન્તિ પિત્રુવ્રતાઃ ! ભુતાનિ યાન્તિ ભુતેજ્યા યાન્તિ મધ્યાજિનોયપિ મામ !!
દેવતાઓને પુજનાર દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિત્રુઓને પુજનાર પિત્રુઓને, ભુતોને પુજનાર ભુતોને અને જે મારુ (અદેહી-પરમેશ્વરનુ, વિષ્ણુનુ નહિ) પુજન કરનાર મને (નીરાકાર પરમેશ્વરને) જ પ્રાત્પ થાય છે. એટલે મારા (નીરાકાર, અદશ્ય પરમેશ્વરના) ભક્તો પુનર્જન્મ નથી પામતા.
દેવી-દેવતાઓ = મારા મતે પરમેશ્વરે પોતાના સંતાનોની ઈચ્છાઓ પુરી કરવા મોકલેલા દુતો છે જે આકાશવાણી કરનારા પરમાત્માના હુકમને જ અનુસરે અને ભજે છે, એમનાથી જ શક્તિ પામે છે, જેઓને પરમાત્મા પોતાના સંતાનોની અમુક તમુક ઈચ્છાઓ પુરી કરવાનુ કામ સોંપ્યુ હોય એવુ સો એ સો ટકા સાચુ લાગે છે.
ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ ! સત્વં પ્રક્રુતિજૈર્મુક્તં યદેભિઃ સ્યાત્ત્રિભિર્ગુણૈઃ !! (ગીતા ૧૮.૪૦) ->
હે અર્જુન, પૃથ્વીમા, સ્વર્ગમાં અને દેવોમાં એવુ કોઈ પ્રાણી નથી જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ત્રણે ગુણો, સત્વ, રાજસ અને તામસથી યુકત ન હોય, એટલે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સહિત દેવો સહિત સંપુર્ણ જગત ક્ષણભંગુર અને નાશવાન છે.
અને ભુલથી મનુશ્ય જે પરમપિતા પરમેશ્વરનુ સંતાન હોઈને પરમપિતા પરમેશ્વરને આદર, સન્માન આપવુ જોઈએ એના બદલે એ સંતાનો અંધ બનીને પરમેશ્વરના દુતોની પુજા કરવા લાગી ગયા છે.
જોકે એ સૈતાનની જ ઈચ્છાથી જ એ સંતાનો પરમેશ્વરને આપવો જોઈએ એ સન્માન આપતા નથી અને એટલે જ આજીવન ભટકે છે, તરસ્યા રહે છે, ભુખ્યા રહે છે, અશાંત, બેચેન, ધનના લોભી બની રહે છે, ભોળા ઘેટા બકરા રુપે સંસારમાં આવે છે અને ધીરે ધીરે શિયાળ જેવુ લુચ્ચુ જીવન જીવીને મરી જાય છે.
પિત્રુઓ = પિત્રુઓ પણ પરમેશ્વરના જ સંતાનો છે, આદમને જેવી રીતે માટીમાથી લઈને પરમપિતાએ એમા સ્વાસ ફુંકેલો એ આજે પણ,આપણે વિના પ્રયાસે, અજાણતા જ પિત્રુઓ માંથી જ લઈ રહ્યા છીએ. માતા પિતાનો આદર સન્માન કરવો એ બાઈબલની મુખ્ય દસ આગ્યાઓમાંની ચોથી મહત્વની આગ્યા છે. સન્માન જરુરી છે પણ પુજા કરવી એ પરમેશ્વરનુ અપમાન છે.
કેમ કે આપણે જીવતા છીએ એ પિત્રુઓના કારણે નહિ પણ પરમેશ્વરની ઈચ્છાના કારણે જ છે અને વિધિના લેખ ફક્ત પરમાત્મા પરમેશ્વર જ લખાવે છે એટલે જ જીવતા છીએ અને આ વાંચી રહ્યા છીએ. એટલે મિત્રો મે પિત્રુઓની પુજા પણ મુકી દિધી. શ્રાધ્ધ નથી કરતો પણ હા સન્માન જરુર કરુ છુ.
ભુત = ભુત એટલે અત્રુપ્ત આત્માઓ. ભટકતી આત્માઓ. અને દરેક આત્માઓને પોતાની શક્તિનુ પ્રદર્શન કરવા એક માનવ શરીરની જરુર પડે જ પડે એ સિવાય એ પોતાનુ કાર્ય કરી શકતો નથી, ભટકતી આત્માઓ પરમેશ્વરની ઈચ્છા નહિ પરંતુ પોતાની અધુરી જ ઈચ્છાઓ પુરી કરવા મનુશ્યોના શરીરનો ઉપયોગ કરે છે અને મનુશ્યને પરમેશ્વરના માર્ગમાંથી ભટકાવી મારે છે. એ તમને કોઈ દિવસ મુક્તિ નહિ અપાવી શકે. શાંતિ છીનવી લેશે અને નીતનવી માંગણીઓ કરશે. એના કરતા એને પરમેશ્વરના નામે હુકમ કરો કે એ હંમેશ માટે ચાલી જાય કેમ કે તમે પરમપિતા પરમેશ્વરના સંતાન છો એટલે એ જતી રહેશે.
**
એટલે અત્રુપ્ત આત્માઓની ઈચ્છા કદીપણ પુરી ના કરવી, એમને ભગાડી મુકવા નહિ તો મનુશ્યોના ઘરોમાં, પેઢી દર પેઢી રોગ, બીમારી, ગરીબી, ખાસ સ્વભાવ, ખાસ દેખાવ, કોઢ, ગાંડપણ, ફક્ત દીકરી જન્મ, વાંઝીયાપણુ વગેરે વગેરે ચિન્હો દ્વારા પોતાની માંગણીઓ પુરી કરાવી કરાવીને ઈચ્છા પુરી કરતા જ રહેતા હોય છે. એટલે મુર્તી પુજા એ મારા મતે ભુતોની જ પુજા છે એટલે મારી પાસે ઓછામાં ઓછા રુપીયા ૨૫૦૦૦/- ના વિગ્રહો હતા, જેમા મુર્તીઓ, યંત્રો, તાવીજો, અને યંત્રો અને નીતનવા વિગ્રહો હતા, જેને મે લીટરલી ગટરમાં જ ફેંકી દિધેલા છે અને આજે મારા ઘરમાં શાંતિ છે.
જ્યોતિષ અને નક્ષત્રો, નંગો અને યંત્રો પણ ના પુજવા, જે તદ્દન ખોટુ છે, અગર એ જ સત્ય હોત તો આખુએ જગત એવુ જ કરતુ હોત પણ જગત તો કંઈ અલગ જ કરે છે. માટે કુવામાંથી બહાર નીકળો.
પરમેશ્વર = પરમ દયાળુ, પરમ ક્રુપાળુ, મહાશક્તિમાન, મહાપરાક્રમી, રાજાઓના પણ રાજા, પ્રભુઓના પણ પ્રભુ, સ્વર્ગ અને પ્રુથ્વીના અને જગતના રચઈતા, જગતને પોષનાર, જગતને વધારનાર, જગતને નષ્ટ કરનાર, જગતનો ઉધ્ધાર કરનાર, એક અને ફક્ત એક જ છે એ છે પરમ પિતા પરમેશ્વર. ૪૨ વરસથી ભટકેલ આજે હુ પરમપિતા પરમેશ્વરનુ સાચુ સંતાન સાબિત થવાની કોશીશ કરી રહ્યો છુ, સાથે સાથે લોકોને પણ સાચા પિતા જોડે મેળાપ કરાવવાની કોષીશ કરી રહ્યો છુ.પિતા સૌની આત્મીક આંખો ખોલે અને સૌનો ઉધ્ધાર કરે. પછી ભલે એ કોઈપણ માર્ગે હોય, વૈદિક, મુસ્લીમ, શીખ, ઈસાઈ, વગેરે વગેરે પણ એ માર્ગ ફક્ત આંખો બંધ કરીને પોતાના પાપોનો અંગિકાર કરીને, રડતા રડતા દિન અને નમ્ર બનીને, દિન દુખીયાઓની સેવા કરીને, જરુરતમંદોને મદદ કરીને, બીજાને માટે માંગીને જ પ્રાપ્ત થઈ શકે છે એવુ મારુ માનવુ છે. કેમ પ્રભુ સામે રડશો તો મનુષ્યો સામે હસતા રહેશો એવુ પરમ સત્ય બાઈબલ શીખવે છે.
કોઈ બહેન મહા તકલીફમાં પડીને દુખી, લાચાર દશામાં પડીને બીજી બહેનો સામે અથવા કોઈ પુરુષ સામે રડે છે ત્યારે એ બહેન એક ઈતિહાસ બની જાય છે. પણ એ જ બહેન જ્યારે કોઈ મનુશ્યો સામે ના રડીને પરમેશ્વર સામે રડે છે, કરગરે છે ત્યારે એ મહાપરાક્રમી સ્ત્રી બનીને જગત માટે ઉદાહરણ બને છે. એટલે જ બાઈબલ શીખવે છે કે મનુષ્યો કરતા પરમેશ્વર પાસે રડવુ અતિ ઉત્તમ છે. કેમ કે દરેકે દરેક મનુષ્ય ચાહે સ્ત્રી હો યા પુરુષ, દરેકે દરેક પાપી છે, જુઠ્ઠા છે. આપણને ભટકાવી મારે છે કેમ કે તેઓ પોતે જ આંધળા છે તો આંધળો આંધળાને માર્ગ કેવી રીતે ચિંધવી શકે??
ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ; ૪૨ વરસ પહેલા હુ તદ્દન જુઠ્ઠુ બોલતો હતો, મને કોઈની શરમ કે કોઈની ધાક નહોતી, અને બીજા ઘણા બાઈબલમાં લખેલા પાપો સાવ સામાન્ય રીતે અજાણતા જ કરતો અને હવે ધારો કે દિવસમાં ફક્ત ૧૦ જ વખત ખોટુ બોલ્યો હોવ (જો કે સરેરાશ ૧૦૦ જુઠ દિવસમાં એક માણસ બોલતો હોય છે એમાં પણ ગુજરાતી તો નંબર વન આવે) અને કુલ ૪૦ ની જ ઉંમ્મર ધ્યાનમાં રાખુ, અને દસ વરસ બાળપણના છોડી દઉ તો દિવસના ૧૦ ના લેખે મહિનાના ૩૦૦, અને વરસના, ૩૬૦૦ અને ૧૦ વરસના ૩૬,૦૦૦ અને ૩૦ વરસના ૧,૦૮,૦૦૦ જુઠાણા થયા,
હવે મારી ૪૨ વરસે ઉંઘ ઉડી તો હવે મારે એ જુઠ્ઠાણાના પાપ કેવી રીતે ધોવા? કેમ કે એક “નરો વા, કુંજરો વા” ના પાપ થી યુધિષ્ઠીરનો રથ જમીન પર આવી પડતો હોય તો મારો તો સ્વર્ગમાં પ્રવેશ તો દુર મોક્ષ નો માર્ગ જ ના બચે. એનાથી બચવા માટે હુ હરીદ્વાર, ઋષિકેશ, મનસાદેવી, લક્ષમણજુલા ગયો અને ગંગામાં નાહ્યો, મથુરા ગયો, શીર્ડી ગયો, નાસીકમાં ગોદાવરીમાં નાહ્યો, મુંબઈના ૧૬ ગુરુવાર મહાલક્ષ્મીના દર્શન કર્યા, ગણેશના ઉપવાસો કર્યા, ચામુંડાન બે લાખના જાપ કર્યા, માર હાથે જ હોમ હવન કર્યા, બ્રાહ્મણોને બોલાવીને પણ પણ લીધેલા, પણ સારા દિવસો આવવાના બદલે દિવસો જ ફરી ગયા હતા, મને ક્યાયે સત દેખાતુ જ ન હતુ.
અમારા ઘરની બારીની સામે જ શંકરનુ પરીવાર સહિતનુ મંદિર હતુ જેનુ બાંધકામ બે બ્રાહ્મણ મોવડીઓની ખેંચતાણે જ બે વરસથી અધુરુ પડ્યુ હતુ અને એને કારણે જે ચઢાવો કે ભોગ ચડતો એને કુતરાઓ અને બિલાડાઓ આવીને ઉંદર જોડે રીતસરની ઉજાણી કરીને જમતા, એવુ ના થાય એટલે એના ઉપર અમારી સોસાયટીની કમીટીએ મને એની ચારો તરફ લોખંડની મુખ્ય દરવાજા જેવી મોટી જાળી બેસાડી સુરક્ષીત કરવાનુ કામ સોંપેલુ. જે મે ૨૦૦૫ માં જ પુરુ કરેલુ, (ત્યારે તો હુ અમારી નીચે રહેતા ખ્રિસ્તી પ્રાર્થના યોધ્ધાઓનો વિરોધી હતો) આજે એ જ મંદિરમાં નવરાત્રીમાં કે અન્ય તહેવરોમાં કુલક્ષણા બહેનો જ સુલક્ષણા બની, બનીઠનીને નાચ-ગાન કરે, એ જોઈને મને વધુ પસ્તાવો થાય છે કેમ કે જે લોકો ત્યા ભક્તિ કરવા આવી ચડે છે એ લોકોનો ઈતિહાસ અને ભુગોળ જોઈને મને વધુ પાપ ચડે છે કેમ કે એ મંદિરને સુરક્ષીત કરવામાં મારો જ હાથ હતો. અને ભુલથી પણ એવુ ન માનતા કે કોઈ દલિત વસ્તીમાં રહુ છુ, મુબઈમાં બોરીવલીમાં દલિતોની વસ્તી પણ ખુબ ઓછી છે. કાંદિવલીમાં પણ સરકારી ક્વાર્ટર્સમાં પણ સર્વધર્મીય અને સર્વજાતિય લોકો રહે છે અને દિલ્હિમાં પણ સર્વજાતીઓની વચ્ચે સન્માન પામુ જ છુ પછી ભલે એ સરકારી ડર હોય શકે.
એટલે ઉપર જે ઉદાહરણ આપ્યુ એ કોસ્મોપોલીટન સર્વજાતીય સોસાયટીનુ જ છે જેમાં હુ કમીટીનો મેમ્બર પણ રહેલો અને ગુંડાઓના ભક્ત બહેનો જોડેના કાળા કામોથી કંટાળીને ભગાડવાના કેસમાં આખી રાત કસ્ટડીમાં પાંચ કમીટી મેંબરો જોડે બદં પણ રહેલા અને સવારે ચાર વાગે ૧૦ હજારના મહેન્તાણાથી છુટેલા અને એ સુ-જાતીય ગુંડાઓના ડરથી જ રહેઠાણ બદલવુ પડેલુ છે.
જો કે હવે નીચીજાતી ના લોકો ગુંડા બની શક્તા નથી એમને ઉગતા પહેલા જ પોલિસ દ્વારા ડામી દેવાય છે નષ્ટ કરી દેવાય છે. જ્યારે સુ-જાતીના બહાદુરોને શીરપાવ અપાય છે. સમાજના, ભારતના (કુ)રખેવાળો એમની પગચંપી કરે છે અને એ લોકો જ મોટા નેતાઓ બની જાય છે. કોઈને ઉપરવાળાનો ડર જ નથી. અને ભારત ના લોકોને કોઈ કળ નથી.
આવી રીતે, ૧,૦૮,૦૦૦ ફક્ત જુઠ્ઠાણાનુ પાપ, અને એ પણ ફક્ત દસ વખત બોલેલુ, કોને ખબર સાચો આંકડો શુ હશે? એ સિવાય, જલન, ઈર્ષ્યા, કપટ, ડાહ, લડાઈ, ઝઘડા, વ્યભિચાર, નશો, ભ્રષ્ટાચાર, કોઈને ત્રાસ આપવો, નીચા પાડવા, અને એવા તો કેટલાયે દુષણો ભરેલા હતા, એને આજની ભાષામાં ચાલાકી કે હોંશિયારી જ કહેવાય છે, ભણતર અને ગણતર કહેવાય એ, એવા અસંખ્ય દુષણોથી સુસજ્જ હતો, તો એ બધાનો હિસાબ લગાવુ તો આજની ૪૭ વરસની ઉંમ્મરમાં જ મારા માથે ઓછામાં ઓછુ ૨૫ લાખ પાપોનુ પોટલુ ચડેલુ કહેવાવુ જોઈએ, અને પાપ કોણ ધોઈ શકે? છે એવો કોઈ ઉપાય જે મને આ પાપોમાંથી છોડાવે અને મોક્ષ અપાવે? જે મોક્ષ પામ્યો હોય એનો દાખલો આપો..મારુ મન કહે છે..
ધ્યાનમાં બેસવાથી મન શાંત થાય છે, કેમ કે
વિવેકચુડમણીના અદ્યાય – જ્ઞાનોપલબ્ધિ નો ઉપાય કહે છે,
સ્લોક.૧૧ કહે છે “કર્મ તો ચિત્તની શુધ્ધી માટે જ છે, વસ્તુ ઉપલબ્ધિ (પરમાત્મા ઉપલબ્ધિ) માટે નહિ. વસ્તુ સિધ્ધિ તો વિચારથી જ થાય છે, કરોડો કર્મોથી કઈ પણ નથી ઉપજતુ.”
સ્લોક ૧૩ કહે છે “કલ્યાણપ્રદ યુક્તિઓ દ્વારા વિચાર કરવાથી જ પરમાત્માનો નિશ્ચય થયેલો જોવા મળે છે, સ્નાન, દાન અથવા સેંકડો પ્રાણાયામોથી નહિ.”
દ્યાનથી મન પરમાત્મામાં લાગે છે પણ પરમાત્માને પામી શકાય નહિ, કેમ કે એ તો માનવ પ્રયાસ છે, પરમાત્માને સમજવાનો પ્રયાસ જ માત્ર છે, ઓળખવાનો પ્રયાસ જ છે.
મારે કેરી ખાવી હોય તો કેરીના ફોટાની પુજા કરુ કે કેરીને મારા અંતરપટ પર આંખો બંધ કરીને કલાકો સુધી શોધ્યા કરુ તો કેરી મળે નહિ પણ કેરીનુ રુપ, સ્વાદ કે કેરીની મહત્વતા, લક્ષણ વિશે વધુ ઉંડાળ મળે પણ સાક્ષાત કેરી તો ના જ મળે. એના માટે મારે આંબો ઉગાડવો પડે એની માવજત કરવી પડે, પસીનો પાડવો પડે પછી એની ઋતુએ જ મને કેરી મળે.
બસ આટલી જ વાત છે. આટલે સુધી જ છે મારા પિત્રુઓના, સગાઓના દર્શન કરાવનારા ધર્મમાં. આગળ મોટી ખાઈ છે. ખીણ છે.
મારા લાંબી સફેદ દાઢી વાળા દાદા અને દાદી, નાના-નાની, માસા-માસી, મામા-મામી, કાકા-કાકી, ભાઈ-ભાભી, સાળા-સાળી, મિત્રો, આડોશ-પાડોશ, સમાજ, દેશ, આજ સુધી ઘરમાં જ કુળદેવતા અને કુળદેવીઓના મંદિર બનાવી ને ઘરમાં જ અસંખ્ય દેવી-દેવતાઓના ફોટા-મુર્તીઓ લાવીને મંદિરનુ વાતાવરણ બનાવી મુકે છે પણ સ્વભાવ તો સાવ જ સામાન્ય, કોઈ નમ્રતા, ધીરજ, અથવા તો સામર્થ જોવા જ ના મળે. લડાઈ, ઝઘડા, ઈર્ષ્યા, જલન, કપટ, કાનાફુસી, વ.વ. તો ઠાસી ઠાસીને ભરેલા મળે છે અને એમને છેડીએ તો પાછા ખરી પણ પડે એવુ હોય છે.
આવુ તો લગભગ દરેક ભારતીયોમાં વગર પૈસે, મોફતમાં, વણમાંગે, વણ ઈચ્છે મળે જ છે. મને નથી લાગતુ કે આમાથી કોઈએ અન્ય કોઈની પ્રાર્થના કે મંત્ર-તંત્ર કર્યુ હોય અને કોઈ સાજો થયો હોય કે કોઈનો છુટકારો થયો હોય કે કોઈ સ્વર્ગે ગયુ હોય ને મોક્ષ ને પામ્યા હોય. સર્વ કોઈ અસામર્થી જ છે, ગુરુ પણ ચોર, બાબા પણ ચોર, પાછા સર્વ કોઈ એ લોકોને જ ચોર કે ડાકુ કહે, અને વળી પાછા બીજે દિવસે એ જ ચોરોની, ડાકુઓની વાતો સાંભળવા બેસી જાય…
મે તત્વને જાણી લીધુ પણ હવે તત્વ (પરમેશ્વર) ને પામવા છે એ મને દસ અવતારોમાં અથવા પુરાણોમાં નથી દેખાતા ઉલ્ટુ મુર્તીપુજક બની ભટકી અને છેતરી જવાય છે જે તદ્દન જ ખોટુ છે કેમ કે પરમાત્મા પરમેશ્વર નશ્વર આંખોથી જોઈ શકાય નહિ કે નશ્વર કામોથી પામી શકાય નહિ એ તો આત્મા છે સર્વવ્યાપી છે, શક્તિ છે, પવિત્ર છે, કોઈ જુઠાણુ ન ચાલે, ભેદ-ભાવ ન ચાલે, ખુન-ખરબા ન ચાલે, જ્યારે યીશુજી કહે છે, “મારો તમારો પરમ પિતા પવિત્ર છે, માટે તમે પણ પવિત્ર બનો,” અને આગળ કહે છે “મનુષ્યની વાતો પર અને મનની સમજ પ્રમાણે ન ચાલો, પણ પરમેશ્વર પિતાની આજ્ઞા પ્રમાણે ચાલશો તો જ ઉધ્ધાર થશે નહિ તો ભટક્યા કરશો” અનન્તકાળની (આ સંસારની માયાજાળની આગમાંની) ૮૪ લાખ યોનિઓમાં.
અને મારી સમજ પ્રમાણે સાચા ગુરુ તો એ જ છે જેમણે પરમેશ્વરને પામ્યા હોય, કે પરમેશ્વરે જ મોકલ્યા હોય, એમની ભવિષ્યવાણીઓ થયેલી હોય, અને એ ભવિષ્યવાણીઓ સત્ય બનીને, અને એમના કામોને એક જ મનુષ્ય દ્વારા નહિ પણ ઓછામાં ઓછા બે કે બે થી વધુ જણાની આંખે જોયેલી, હાથે સ્પર્શેલી, કાનેથી એમના જ શબ્દો સાંભળેલી સાબિતી જ સત્ય છે. અને દ્રષ્ટીએ માનવા બેસુ તો શીર્ડીના સાંઈ બાબા સૌથી નજીક જ લાગે કેમ કે એમની સાબિતી તો ઘણા લોકોએ આપેલી છે, અને એમને ઝાઝા વરસ પણ નથી થયા. એટલે મને તો સાંઈ બાબા સત્ય લાગે ખરા.
પણ વળી પાછા સાઈબાબા જ કહે છે કે “રામ-રહિમ, નાનક-બુધ્ધ અને મોહમ્મ્દ-ઈશુ પણ હુ જ છુ” જે મને સરાસર અમાન્ય લાગે છે કેમ કે એમાથી અમુક તો સાક્ષાત મુર્તી પુજાને વધારનારા છે અને અમુક અદ્વેતી ઈશ્વરના લોકો. કેમ કે પ્રભુ યીશુ કહે છે કે “મારા પહેલા જેટલા આવી ગયા એ અને મારા પછી પણ ઘણા ફુટી નિકળશે અને એ બધા ચોર અને ડાકુઓ ઘેંટાના વેશમા વાઘમામો જ છે અને મીઠુ મીઠુ બોલીને એ બધા કહેશે પરમેશ્વર અહિયા છે પરમેશ્વર ત્યા છે, પરમેશ્વર હુ જ છુ, એવુ કહેનારા બધા જ ખોટા છે, સત્ય તો ફક્ત હુ જ છુ કેમ કે હુ જ પરમેશ્વર દ્વારા મોકલાવેલ છુ, મને નહિ પણ મારા કામોને તો સમજો, મારી જ ભવિષ્યવાણી બાઈબલમાં ૩૦૦૦ કે એથીયે વધુ વરસો પહેલા લખાયેલી છે”
“હે પ્રિયો, દરેક આત્માની પતીતી ના કરો; પરંતુ આત્માઓને (ઉદ્દેશ્યને) પરખો, કે એ પરમેશ્વરની તરફથી છે; કેમ કે ઘણા બધા ખોટા સંતો અને બાબાઓ જગતમાં નીકળી પડ્યા છે.”
“પરમેશ્વરના આત્માને તમે આવી રીતે ઓળખી શકો છો, કે જે કોઈ આત્મા (મનુષ્ય) માની લે કે પ્રભુ યીશુ મસીહ શારીરીક રુપમાં આ જગતમાં આવ્યા છે અને તેઓ પરમેશ્વર તરફથી જ મોકલેલા છે.”
“અને જે કોઈ, પ્રભુ યીશુને નથી માનતો કે માનતી; એ પરમેશ્વર તરફથી નથી; અને એ જ તો પ્રભુ યીશુ મસીહનો વિરોધ કરનારી પાપીઓની ટોળીઓમાની વ્યક્તિ છે (જેનો અંત દુખમય છે જ); જેની ચર્ચા આપ સર્વ જાણો છો કે પ્રભુ યીશુ આવવાના છે; અને હાલમાં જગતમાં મૌજુદ છે.”
“બાળકો તમે પરમેશ્વરના છો, અને તમે શૈતાન પર વિજય પામી ચુકેલા છો; કેમ કે જે તમારી અંદર છે, એ એનાથી જે સંસારમાં છે, મહાન છે.”
“પાપીઓ સંસારના છે (દૈહીક છે) એટાલે જ તેઓ સંસારીક વાતો ની ચર્ચા કર છે; અને સંસાર તેઓની સાંભળે પણ છે.”
“અમે પરમેશ્વર ના છઈએ; એટલે જેઓ પરમેશ્વરને જાણે છે તેઓ મારી વાતો માનશે, એ અમારી સાંભળશે; અને જે પરમેશ્વરને નથી જાણતો એ અમને નહિ સાંભળે અને અમારો વિરોધ કરશે. આવી રીતે અમે સત્યની આત્મા અને ભ્રમની આત્માને ઓળખી લઈએ છીએ”
અને સાચુ માનજો, આખા બાઈબલમાં ફક્ત પ્રભુ યીશુ વિશે જ લખાયેલુ છે અને એ જાણીને મને આશ્ચર્ય થાય છે કે મારા દેશ વાસીઓ કેમ આવુ અતિ સત્ય ને અપનાવતા નથી અને છુપાવે છે, જેને અર્ધી દુનિયા માને છે અને આખા જગત પર રાજ કરે છે એમને અપનાવવામાં શુ કામ પાછા પડે છે?
મને મારા પિત્રુઓની માન્યતામાં ફક્ત ખોટ ખોટ અને ખોટ જ દેખાય છે. અમારા સહકર્મચારીઓ જોડેની ચર્ચાઓમાં છેવટે આ જ વાતો સામે આવીને ઉભે છે કે શુ કરીએ, ખોટ જ ભરી છે છતાય લોકો સદીઓથી માનતા આવ્યા છે એટલે માનવુ પડે છે. પણ અમે તો પ્રભુ યીશુને તો માનીએ જ છીએ, પ્રભુ યીશુ તો મહાન છે, સાચા છે અને એવુ ઘણુ… લોકો કહે છે, ચર્ચોમાં પણ જાય છે, પ્રાર્થના પણ કરાવે, અને સાજા થઈ જાય, કામ થઈ જાય એટલે પાછા પ્રભુ યીશુને ભુલી જાય, ફરી પાછા સમય આવ્યે આવે પણ ખરા.
લોકો જાણે છે, કે પુતળાઓ સત્ય તો નથી જ પણ એક તો પોતાની જાતીનુ અભિમાન, સમાજનો ડર અને અંગ્રેજોની ગુલામી, ખ્રિસ્તીઓની નાદાની, દારુ બાજી, સ્વછંદતા, માસાહાર, એવા દુષણોના કારણે લોકો પ્રભુ યીશુને અપનાવતા નથી. પણ આ દુષણો તો માનવી દુષણો છે જેનો બદલો પ્રભુ યીશુને શુ કામ આપવો, જેમણે, લોકો ન જાણતા અને ન માનતા હોવા છતાંય એમને માટે જ તો બલિદાન આપેલુ છે અને ભવિષ્યમાં પણ જે હજુ જનમવાની છે એ પેઢી પણ પ્રભુ યીશુને અપનાવશે તો તેઓના પાપો પણ માફ તો થવાના જ છે. હુ પણ મરી જઈશ તો પણ પ્રભુ યીશુના સુસમાચાર અન્ય કોઈ તો ફેલાવશે જ ને તો તમે શા માટે પ્રભુ યીશુની સેવા નથી કરતા? મારી સહુને નમ્ર વિનંતી છે તમે પણ લાભ ઉઠાવો…
હવે આપણે બાઈબાલમાં પરમેશ્વરનુ કાર્ય જોઈએ… (ઊત્પત્તિ 1:1) આદિમાં (શરુઆતમાં) પરમેશ્વરે સ્વર્ગ અને પ્રુથ્વીની રચના કરી. (ઊત્પત્તિ 1:2)અને પ્રુથ્વી બેડોળ અને સુમસામ હતી અને એના ઊંડાણ ઉપર અંધકાર છવાયેલો હતો અને પરમેશ્વરનો આત્મા એના જ્ળ ઉપર મંડરાતો હતો. (ઉત્પત્તિ 1:3) અને પરમેશ્વરે કહ્ય “અજ્વાળુ થાઓઃ અને અજ્વાળુ થયું. (1:4) અને પરમાત્મા જોયુ કે અજ્વાળુ સાર્ છે અને પરમેશ્વરે અજ્વાળાને અંધકારથી અલગ કર્યુ. (1:5) અને પરમેશ્વરે અજ્વાળાને દિવસ અને અંધકારને રાત કહ્યા.
(દિવસના ઉજાસ માટે ફક્ત એક જ પ્રકાશપુંજ અને રાતના અંધકારમાં કરોડો કરોડો નાના મોટા પ્રકાશપુંજો (તારા નક્ષત્રો). આના પરથી મારા હ્રદયમાં એક સત્ય ઉભરી આવ્યુ કે રાતના અંધકારમાં (પાપમાં) મનુશ્ય સામે કરોડો પ્રકાશ પુંજોની હારમાળા છે છતાંય મનુષ્યને પોતાની નજીક પ્રકાશની જરુર પડે જ છે છતાંય રાતના અંધકારમાં ચાલવામાં મનુષ્ય ઠેબા જ ખાવાનો. પણ જેવો દિવસ ઉગે અને સુરજ ઉપર આવવા લાગે એટલે સર્વ અંધકારના પરપ્રકાશીત પ્રકાશપુંજો અદ્રશ્ય થઈ જાય છે અને એ સ્વજ્યોતીમય પ્રકાશનુ રાજ્ય સ્થપાઈ જાય છે. અને એ રાજ્યમાં મનુષ્ય ઠેબા નથી ખાતો અને એની આંખો સ્વચ્છ બનીને સર્વ કાઈ જોવાને સમજવાને લાયક બને છે, અને એ પ્રકાશમાં મનુશ્ય પોતાના પેટનો ખાડો પુરવાના કામ કરવાને લાયક બને છે. એટલે આ અલંકારીકતામાં એક સત્ય સામે આવે છે કે સ્વપ્રકાશીત જ્યોતી એક જ છે અને એછે પરમપિતા પરમેશ્વર અને એ મહાજ્યોતીથી પ્રકાશિત ચંદ્રમાની બીજી મહાજ્યોતી જે રાત્રિના અંધકારમાં સુર્યના પ્રકાશથી જ ચમકીને ઉઠી આવે છે એ છે પ્રભુ યીશુ (એટલે પ્રભુ યીશુ જે પરમેશ્વર દ્વારા જ પ્રકાશીત છે અને પરમેશ્વરના પ્રકાશને પ્રગટ કરે છે એમને મનશો તો ક્યારે પણ ઠેબા નહી ખાશે, અને ચંદ્રમાં જેવી રીતે સુર્યથી પ્રકાશીત છે એવી રીતે પ્રભુ યીશુ પણ પમેશ્વર દ્વારા જ પ્રકાશીત છે અને એ રાત્રીના અંધકારમાં (પાપના અંધકારમાં) જ ઉગે છે. માટે જાગો લોકો જાગો, તોડો નરકના બંધન અને જોડો બંધન પ્રભુ યીશુ જોડે. પ્રભુ યીસુ જ આપને શાંતિ, ઠંડક અને માર્ગ આપશે.)
જે સમાચાર મે સાંભળ્યા, અને તમે સાંભળો છો એ આ છે કેઃ
“પરમેશ્વર જ્યોતિ છે; અને એમનામાં કશો પણ અંધકાર નથી. જો હુ કહુ કે, એમની સાથે મારી મિત્રતા છે, અને અંધકારમાં ચાલુ તો હુ જુઠ્ઠો છુ, અને સત્ય પર નથી ચાલતો.”
“પરંતુ જેવી રીતે પ્રભુ યીશુ જ્યોતિ માં છે, એવી જ રીતે આપણે પણ જ્યોતિમાં ચાલીએ તો એકબીજા જોડે સહભાગિતા રાખીએ છીએ, અને પ્રભુ યીશુના બલિદાન થયેલા લહુ આપણા પાપોને ધોઈને આપણને શુધ્ધ અને પવિત્ર બનાવે છે.”
“જો આપણે એમ કહિએ કે આપણામાં કોઈ પાપ નથી, તો પોતે જ પોતાને છેતરીએ છીએ; અને આપણામાં સત્ય છે જ નહિ.”
“જો આપણે આપણા પાપોને માની લઈએ, તો પરમેશ્વર આપણા પાપોને માફ કરવા અને આપણા સર્વ અધર્મો થી શુધ્ધ કરવામાં વિશ્વાસયોગ્ય અને ધર્મી છે જ.”
“અને જો કહીએ કે મે પાપ જ નથી કર્યુ, તો પરમેશ્વરને ખોટા ઠેરવીએ છીએ, અને એમના વચનોથી આપણુ હ્રદય શુધ્ધ નથી થયુ.”
“એટલે હે મારા ભાઈઓ, હુ આ વાતો તમને એટલા માટે લખુ છુ, કે તમે પાપ ના કરો; અને જો પાપ થઈ જાય, તો પિતા તરફથી આપણી પાસે આપણો એક સહાયક ભાઈ છે, અર્થાત અતિધાર્મિક અતિપવિત્ર પ્રભુ યીશુ મસીહ.”
“અને પ્રભુ યીશુ જ આપણા પાપોનુ પ્રાયશ્ચિત છે; અને પ્રભુ આપણા જ નહિ પરંતુ આખા જગતના પાપો માટે પણ.”
“જો આપણે એમની આજ્ઞાઓને માની લઈએ, તો એમના દ્વારા આપણી જાણી લઈશુ કે આપણે એમને જાણી ગયા છીએ.”
“જે કોઈ કહે કે હુ એમને માનુ છુ, અને એમની આજ્ઞાઓ નથી માનતા તો તેઓ ખોટુ બોલી રહ્યા છે, અને તેઓમાં સત્ય નથી.”
“પણ જે કોઈ, એમના વચન પ્રમાણે ચાલે છે, એમનામાં સાચે જ પરમેશ્વર નો પ્રેમ અને સામર્થ સિધ્ધ થઈ આવે છે; અને આપણને એ ખબર પડી જાય છે કે પરમેશ્વર આપણામાં જ વસી ગયા છે.”
“અને જે કોઈ એમ કહે છે કે હુ પ્રભુ યીશુને માનુ છુ અથવા એમના માં જ સમાયેલો રહુ છુ, તો એને જરુર છે કે એ પોતે પણ પ્રબુ યીશુ જેવા જ બને જેવા પ્રભુ યીશુ પોતે હતા.”
આજે તા. ૨૫/૯/૧૨, રાજકોટના લેઉવા પટેલ શ્રી પાટોલિયા ભાઈ દિલ્હીમાં અમારી ઓફિસમાં ટ્રાન્સ્ફર થઈને આવ્યા છે. અને આનંદથી વાતો વાતોમાં અમે બન્ને વચ્ચે કુળ્દેવીઓની હાચા-ખોટી ઉતરી આવી. જે નીચે મુજબ છે.
મને ખબર ન હતી એટલે મે એમને પુછુયુ કે ભાઈ તમે લેઉવા પટેલ છો તો લેઉવા અને કડવા પાટીદારોમાં શું ફરક?
ભાઈ કહે “‘કોઈ ઝાઝો ફરક નથી, ફક્ત કુળદેવીઓ અલગ અલગ છે. અમરા ઉમિયા માતા, બુટ ભવાની અને તેઓના બુટ ભવાની ” એવુ મને થોડુ સમજાણુ. પછી એમણે મને પુછ્યુ કે તમારા કુળ દેવી કોણ છે?
મે કહ્યુ ”હુ નથી માન્તો કુળ્દેવ કે કુળ દેવીઓને. એ બધુ ખોટુ છે અને પરમાત્માનો વિરોધ છે.”
ભાઈ કહે ”એવુ કેમ ચાલે ?”
મે કહ્યુ ”હુ તો પ્રભુ યેશુ મસીહાને જ માનુ છુ એટલે મારા કહેવાતા કુળદેવ શંકરને અને કહેવાતી કુળદેવી ચામુંડાને નથી માનતો કે નથી પુજતો.”
ભાઈ કહે ”એવુ કેમ ચાલે, ફરક તો પડેને યાર”
મે કહ્યુ ”ના માનો તો કશોય ફરક નહિ પડે અને માનશો તો ખુબ જ ફરક પડે બલ્કે અનર્થ થઈ જાય છે મારા મતે.”
ભાઈ કહે ”એવુ કેવી રીતે થાય? મને સમજાવો તો ખબર પડે.”
મે સમજાવતા કહ્યુ ”જે કોઈ પણ કુળદેવ શંકર કે કુળદેવી ચામુંડા ને હુ ૪૨ વરસની ઉંમર સુધી પુજતો આવ્યો હતો એ અસલમાં તો અંધકાર હતો. સત્ય તો લેશ માત્ર પણ ન હતુ. કેમ કે એમને પુજવાની મુકી દિધુ તો મને કોઈ ફરક ના પડ્યો ઉલટાનુ મને સત્ય સમજાયુ કે પરમપિતા પરમાત્મા જ પુજવા યોગ્ય છે બીજુ કોઈ પણ પુજવા યોગ્ય નથી.”
ભાઈ કહે ”એવુ કેમ ચાલે, અમારે તો ઘણો ફરક પડ્યો છે, પહેલા અમારા ઘરની આવક અંદાજે ૧૦ લાખની હતી પણ પૈસો ટકતો જ નહિ, ગમે ત્યાં ઉડી જતો, પણ ભુવાઓને બોલાવ્યા અને કુળદેવી દ્વારા ખબર પડી કે અમારે બાપ-દાદાઓમાંથી ત્રણ જણા અવગતીયે ગયા છે તેઓને કારણે અમારી પ્રગતિ રોકાઈ પડી છે. અને જ્યારે અમે તેઓને છુટકારો આપ્યો ત્યારે હવે અમને ખુબ જ શાંતિ છે. એટલે અમારા કુળદેવી તો સાચા છે, હજરા હજુર છે.”
પછી મે ઉમેર્યુ કે ”ઉમિયા માતા કે બુટ ભવાની તો પરમાત્મા નથી ! એમણે આ સૃષ્ટીની રચના નથી કરી. આ સુરજ ચદ્રમાં, તારા નક્ષત્રો કે પશુ પક્ષીઓ, ફુલ-ઝાડ વગેરેની રચનાના કરનાર નથી, એ તો પરમાત્માએ બધુ રચ્યુ છે. આ તો આપણે બ્રાહ્મણો દ્વારા અને બાપ-દાદાઓ ના ભોળપણ ને કારણે નવા નવા દેવી-દેવતાઓને પુજીએ છીએ અને હજુ પણ અશાંત એન સદાના દુખી થતા રહીએ છીએ.”
ભાઈ કહે ”આ સૃષ્ટી ની રચના તો બ્રહ્માએ કરી છે, પાલન પોષણ વિષ્યુ કરે છે અને સંહાર શંકર કરે છે.”
મે કહ્યુ “કોણે કહુ તમને, તમે જે વસ્તુની રચના કરો એને પાલન પોષણ કરવાનો હ્ક બીજાને, અને એને નાશ કરવાનો હક્ક બીજાને કેવી રીતે આપી શકો. એ તો તમને બિલ્કુલ માન્ય નહિ થાય, ઉલટુ તમે વિરોધ કરશો તો બ્રહ્માએ રચના કરી અને નાશ બીજુ કોઈ કરે એ મારા માનવામાં બિલ્કુલ આવતુ જ નથી, એ તો સરાસર જુઠ્ઠાણુ જ છે. આ જગતની રચના ફક્ત અને ફક્ત પરમપિતા પરમાત્માએ જ કરી છે જેને કોઈ જોઈ શક્તુ નથી, જેનો કોઈ આકાર નથી, જેને કોઈ બાળી શક્તુ નથી, જેને કોઈ પલાળી શક્તુ નથી, જેને કોઈ સુકવી શક્તુ નથી કે ગંદુ કરી શકતુ નથી’ ‘
પછી મે કહ્યુ ‘કુળદેવીઓ કેવી રીતે અસ્તિત્વમાં આવી એની ખબર છે તમને?”
ભાઈ કહે મને નથી ખબર, આ તો અમારા બાપ-દાદાઓ અને અમારો સમાજ માનતો આવ્યો એટલે હુ પણ માનુ છુ.’
મે કહ્યુ ‘કોઈ વાંધો નહિ, હુ પણ માનતો હતો પણ હવે નથી માનતો, તો મને કહો તમારા કુળદેવીની ઉત્પત્તિ વિશે સમજાવો’
ભાઈ કહે ‘મને નથી ખબર’
મે કહ્યુ ‘ચાલો, જેવુ મને સમજાય છે એવુ થોડુ ઘણુ હુ તમને સમજાવુ’
મે કહ્યુ ‘આપણા ગુજરાતમાં ઘણા કુળદેવ અને કુળદેવીઓ પુજાય છે એનુ કારણ એ છે કે ઘણાના ઘરોમાં કોઈ અવગતિએ જાય છે કે કમોતે મરે છે અથવા કોઈની ઈછ્છાઓ અધુરી રહી જાય છે તેઓનો આત્મા ભટકતો રહે છે અને કોઈના શરીરમાં પેસી જાય છે અને ક્યારેક કોઈના શરીરમાં ધુણ આવે છે ત્યારે એ કહે છે કે હુ ફ્લાણો દેવ કે ફલાણી દેવી છુ, તમારી ઈચ્છા પુરી કરવી હોય તો મારી અમુક તમુક માંગણીઓ પુરી કરો તમારુ કામ થઈ જશે’ અથવા તો ‘જ્યા સુધી મને આ કે પેલુ નહિ ચડાવશો ત્યા સુધી હુ તમને કોઈને નહિ છોડુ’ એવુ અવનવુ સાંભળીએ છીએ અને આપણા બાપદાદાઓ ડરના માર્યા તે અવગતીયાઓની પુજા કરવાનુ શરુ કરી દે છે, અને એ ભટકતા જીવને ઘેર બેઠા જ મજા પડી જાય છે અને લાંબે ગાળે એનુ નાનકડુ મંદિર કે દેરી બને પછી આગળ વધતા એનુ મોટુ મંદિર બની જાય છે અને અન્ય લોકો પણ ત્યાં ઈચ્છાઓ પુરી કરવ અને પુરી થતાં એમને દેવ કે દેવીઓ તરીકે સ્થાપે છે અને આવી રીતે ભોળા લોકો એ દેવ કે દેવીને પોતાના કુળ્દેવ કે કુળ દેવી તરીકે સ્થાપે છે.’
‘જો કે હવે મને સમજાય છે એવા મારા મતે આ બધુ તો અંધકાર જ છે એનાથી કોઈનુ ભલુ નથી થતુ, મનુષ્ય જીવનની અંતિમ ગતિ મોક્ષની છે પણ આ કહેવાતા દેવી કે દેવતાઓ આપણને મોક્ષ આપી શકવા અસમર્થ છે એવુ સમજાયુ ત્યારે મે બની બેસેલા મારા કુળદેવ શંકર અને કુળદેવી ચામુંડાને ફગાવી દીધા કેમ કે મોક્ષ આપવાનુ સામર્થ તેઓમાં છે જ નહિ કેમ કે તેઓ પોતે જ આત્મિક નહિ પણ સાંસારીક અભિલાષાઓને પુરી કરવા માટેનુ જ સાધન છે. કુળદેવ કે કુળદેવીને પુજવાથી મનને બે ઘડી શાતિ મલતી હશે પણ હંમેશાનો છુટકારો એટલે કે મોક્ષ તો કદાપી નથી મળતો. ઉલ્ટુ આત્મા અપવિત્ર થઈ જાય છે કેમ કે કુળદેવ કે કુળદેવીની પુજા આત્માથી નહિ પણ હોમ-હવન અને બલિની સામગ્રીઓથી જ થાય છે અને જ્યા આવી સામગ્રીઓ વપરાતી હોય ત્યા આત્મિક ઉધ્ધાર અથવ તો મોક્ષ નથી એવુ ‘ગીતા’ કહે છે. એટલે મે આ બધુ મુકી દિધુ છે.”
અવગતિ થવાનુ કારણ
આપણુ શરીર માતાના ગર્ભમાં બીજ રુપે રોપાય પછી એને બાલક રુપે જનમતા નવ મહિના લાગે છે પણ એ બાળક પુર્ણ વયે વૃધ્ધાવસ્થે મરણ પામે છે ત્યારે એનાથી છુટકારો પામવા આપણો સમાજ એને ૨૪ કલાકની અંદર બાળી નાંખે છે એ સ્રરાસર અંધકાર છે.
મારુ માનવુ છે કે મનુષ્યને મરણ પછી દાટી દેવા જોઈએ પણ બાળવા ન જોઈએ. કેમ કે એક શરીરને જનમ લેવામાં નવ મહિના લાગે છે જ્યારે મરણ પછી એનો આત્મા એના શરીરને છોડતા ઓછામાં ઓછા ચાળીસ દિવસ લાગે છે.
એટલે બીજા ધર્મોમાં લોકોના શરીરને દાટવામાં આવે છે એટલે એ મરેલી વ્યક્તિનો આત્મા એના ખોળીયા ઉપર જ ઘુમ્યા કરતો હોય છે અથવા તો એ કબર ઉપર જ શાંતિ અનુભવ્તો હોય છે જ્યારે આપણા હિંદુઓમાં અથવા તો મારા બાપ-દાદાઓમાં જ્યારે કોઈ મરણ પામ્યુ તેઓ દરેકને ૨૪ કલાકની અંદર ઈલેક્ટ્રીક શબદાહક બાળી નાંખવામાં આવે છે અને એના રાખ અને હાડકાને પવિત્ર નદીને (અપવિત્ર કરવા માટે ) પધરાવી દેવામાં આવે છે એ સરાસર અક્ષમ્ય મહાપાપ છે.
એટલે જ અધુરી ઈચ્છાઓ વાળો કે પાપના ભારથી મોક્ષ ન પામી શકેલો આત્મા પોતાનુ ખોળીયુ ન શોધતા જ્યાં ત્યાં ભટકતો રહે છે અને કોઈના પણ શરીરમાં ખાસ કરીને ભુવાઓના ઘરમાં ઘર કરી બેસે છે અને પછી નબળા અને ભોળા લોકોમાં અનુકુળ વાતાવરણ મળી જતા એ લોકોના દેવ કે દેવી બની બેસે છે.
આવી રીતે લાંબે ગાળે કુળ દેવ કે કુળ દેવીઓ અસ્તિત્વમાં આવે છે જે ખરી રીતે તો ભટકી ગયેલા આત્માઓ છે, એની પુજા ન કરતા એમને જતા રહેવાનો હુક્મ કરવો જોઈએ.
અને એ હુકમ કરવાની શક્તિ ત્યારે જ આત્મસાત થાય છે જ્યારે જે કોઈ પોતાને સંપુર્ણ રીતે પરમપિતા પરમાત્માના સંતાન કહે છે કે અનુભવે છે.
અને આવી રીતે મે મારા કહેવાતા કે બની બેસેલા કુળદેવી કે દેવતાઓને કાઢી મુક્યા છે અને આજે પરમપિતા પરમાત્માને જ ભજુ છુ. આપ સૌને પણ ચેતવુ છુ કે તમે પણ ૮૪ લાખ યોનીમાં ભટકવા કરતા પરમપિતા પરમાત્માને ભજો અને મોક્ષ પામો નહિ તો બળીને ભટકનારા આત્માઓ બની જશો…… પ્રભુ યેશુ સૌનો ઉધ્ધાર કરે એવી પ્રાર્થના, પ્રભુ યેશુના નામે…આમીન
એક નવો મરાઠી હમણા હમણા ટ્રાંસ્ફર થઈને દિલ્હી આવ્યો છે અને એ મારી જોડે મરાઠી માં જ વાતચીત કરે.
એણે મને કહ્યુ, કે ગણપતિ બેસાડવાના છે તમે આવશો તો ખુબ મજા આવશે”.
પણ મે ચોખ્ખુ કહી દિધુ કે ”હુ નથી માનતો”‘ કારણ કે હુ પણ વધુ લપ્પનછપ્પન નથી કરતો સીધે સિધ્હુ કહિ દૌ છુ.
એણે કહ્યુ ”કેમ વળી?” મે કહ્યુ ”બસ હુ નથી માનતો, કેમ કે હુ હવે પ્રભુ યેશુ મસીહા ને જ માનુ છુ”
એણે કહ્યુ હુ પણ તો માનુ જ છુ ને, બધા જ ભગવાનો એક જ છે’, તો પછી ભેદભાવ કેમ કરો છો ? “‘
હવે મારે આગળ વધવુ જ પડશે એવા અણસારે મે એમને કહ્યુ ”હુ પણ એમ જ માનતો હતો અને દસે દસ દિવસના ઉપવાસ પણ કરતો હતો, આઠ વરસ પહેલા પણ હવે મને સત્ય જણાયુ છે એટલે હવે નથી માનતો.’
એણે કહ્યુ ”કેમ? કેમ? એવુ તે વળી કયુ સત્ય મળી ગયુ કે તમે ગણપતિ ને નથી માનતા?’
મે કહ્યુ ”સત્ય તમે જાણશો તો તમે પણ નહિ માનશો”
એણે કહ્યુ ”ફોડ પાડીને સમજાવોને ”
મે કહ્યુ “‘તમે ગણપતિની ઉત્પત્તિ જાણો છે?”
એણે કહુ “‘હા મે વાંચ્યુ છે પણ”
મે કહુ ”બતાવો
એ કહે ”અ…હ….મ્મ્મ્મ્મ્મ…………………………. ચાલો તમે જ બતાવો પછી હુ કહિશ.”
મે કહ્યુ ”ગણપતિ કોનો સંતાન છે?’”
એ કહે “‘શંકર-પાર્વતિનો”
મે કહ્યુ ” એ તો ફક્ત પાર્વતિનો સંતાન છે, સંતાન નહિ પણ રચના છે,””
એ કહે ”પણ શંકર તો એનો પિતા છે ને.”
મે કહ્યુ “‘ના, એ શંકરનુ સંતાન નહિ પણ પાર્વતિની રચના છે, ઉંડા જશો તો વધુ ચીડ ચડશે, અને કદાચ તમે પણ એને નહિ માનો.”
પછે મે એને કહ્યુ “‘ તમે નાહ્યા વગર કેટલા દિવસ રહિ શકો”
એ કહે ”હુ દિવસમાં બે વખત ન્હાઉ છુ. મને મારા શરીરની ગંદી વાસ ન ગમે, ઉપરથી ખુજલી પણ આવે એવુ બધુ ના ગમે.”
મે કહ્યુ ”બસ એ જ ગંદગી આપણને નથી ગમન્તી પણ પાર્વતિ એ તો પોતાના મેલથી જ ગણપતિની રચના કરી હતી કે નહિ?’”
એ કહે ”મને ખબર નથી.”
પછી મે જોડ્યુ ”ગણપતિ તો પાર્વતિના શરીર નો મેલ છે, શંકર તો કૈલાસ ઉપર ધ્યાનમાં બેસવા જતા રહે અને પાર્વતિ સ્ત્રી ગણો જોડે એકલી હતી ત્યારે રાક્ષસોથી સ્ત્રીઓને અને પોતાને બચાવવા માટે ન્હાતી વખતે રાક્ષસોના ત્રાસથી બચવા કશુ ન સુઝતા પોતાના શરીરના મેલથી તાત્કાલીક ગણપતિની રચના કરી અને એને દ્વાર પર કોઈન અંદર પ્રવેશવા ન દેવાની આજ્ઞાએ દરવાન બનાવી ઉભો રાખી દિધો આગળની વાત તમને ખબર તો હશે જ. અને આવી બધી કાલ્પનિક વાર્તાઓને કારણે આજે મને ગણપતિ ઉપર કોઈ ભક્તિ કે પ્રેમ નથી. અને આમ પણ ૪૨ વરસ સુધી મે એ કહેવાતા દેવી-દેવતાઓની ખુબ પુજા કરી હતી પણ હવે આંખ ઉઘડી ગઈ છે એટલે પરમેશ્વરના દુશમન નથી બનવુ એટલે પરમેશ્વર ને પ્રભુ યેશુ મસીહાના ચિંધવ્યા મારગે પામવાનો મારગ સાચો લાગે છે અને એના ઉપર ચાલુ છુ. અને આમ પણ પરમેશ્વરની પુજા કરવાને બદલે પરમેશ્વરની રચનાની રચનાઓની પુજા કરવી અને પરમેશ્વરને ધિક્કારવા એ મહાપાપ છે અને એનાથી આપણી બુધ્ધિને સાચો મારગ નથી મળતો અને આપને જે કઈ પણ કરીએ છીએ એ બધુ જ ફોગટ-નકામુ અને બેકાર થઈ જાય છે એટલે હુ મારી બુધ્ધિને બહેર મારવા નથી દેતો અને કહેવાતા કે કાલ્પનિક દેવી-દેવતાઓની વાતોને નથી માનતો”‘
વધુમા ઉમેર્યુ કે “‘શરીરના મેલને પુતળુ બનાવી એની પુજા કરવી એ કેટલુ ઘ્રુણિત કાર્ય છે એ સૌની બુધ્ધિ બહેર મારી ગઈ છે એનુ જ્વલંત ઉદાહરણ છે. અને આપં ગણેશોત્સવની મુર્તીઓની રચના જ્યારે મુબઈના દરીયામાં ગણપતિ વિસર્જનના બીજે દિવસે ચોપટી, જુહુ બીચ, અને ગુજરાતના પણ સમુદ્ર કિનારાઓ, નદીઓ નાળાઓ ગંદકી થી ઉભરાઈ જાય છે એવુ બધુ જોઈને બધાનુ મન ચીડ અનુભવે છે અને દર વરસે આવુ જ રીપીટ થયે જ રાખે છે અને આપણે સમુદ્ર અને નદી નાળાઓને ગંદા કરતા રહીએ છીએ એટલે ભાઈઓ મને માફ કરજો કમસે કમ હુ તો ગંદકી નથી ફેલાવતો ઉલ્ટુ ગંદકી ફેલાતી રોકવાનો મારો આ નાનકડો પ્રયાસ બિરદાવશો તો પ્રભુ પરમેશ્વર ભારતદેશને આશિષ આપશે અને આપણા કાર્યો દેશોધ્ધારક ઠરશે નહિ તો ………… હે પ્રભુ સૌ ભારતવાસીઓ ને માફ કરો તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે, તમારી રચનાને વિક્રુત કરી રહ્યા છે, આ દેશને ઉધ્ધાર તરફ નહિ પણ અવગતિએ લઈ જઈ રહ્યા છે અને એની સાબીતી એ છે આજે લોકો દરેક કામોથી ત્રાહિમામ ત્રાહિમામ પોકારે છે, કેમ કે સાચા પરમેશ્વરને નથી માનતા અને ભટકી ગયા છે, સૌને આશિષ આપો અને સૌનુ ભલુ કરો હે પિતા પ્રભુ યેશુના નામે માંગુ છુ………………..આમીન
પિત્રુઓનાપાપ
શું આપણે બધાએ આપણા પિત્રુઓના પાપ ભોગવવા કે વેઠવા પડે છે?
આપણા ધર્મશાસ્ત્રોમાં એ વિશે વધુ ફોડ આપણા ધર્મ શાસ્ત્રીઓ આપે તો માનવસેવા ગણાશે.
મે જ્યારે બાઈબલ વાંચ્યુ ત્યારે મને એની સમજણ આવી રીતે પડી.
નિર્ગમન અધ્યાય ૩૪.૬-૭ દ્વારા પરમેશ્વર યહોવા કહે છે
“૬. યહોવા ઈશ્વર દયાળુ અને અનુગ્રહકારી, કોપ કરવામાં અત્યંત ધીરજ્વાન અન્દ અતિ કરુણા મય અને સત પ્રગટ કરનારા,
૭. હજ્જારો પેઢીઓ સુધી નિરંતર કરુણા કરનારા, અધર્મ અને અપરાધ અને પાપને ક્ષમા કરનારા છે, પરંતુ દોષી ને તેઓ કોઈ પ્રકારે નિર્દોષ ન ગણશે કે ગણાવશે, તેઓ પિત્રુઓના અધર્મ નો દંડ એમના સંતાનો, પૌત્રો, અને પ્રપૌત્રો ને પણ આપે છે.
પિત્રુઓના પાપ શું છે?? પરમેશ્વરની આજ્ઞાનો તિરસ્કાર કરવો એ જ પાપ છે.
નિર્ગમન અધ્યાય ૨૦.૨-૬ દ્વારા પરમેશ્વર યહોવા કહે છે,
“૩. તમે મને છોડી બીજા કોઈને પરમેશ્વર તરીકે ન માનજો.
૪. તમે તમારા માટે કોઈ મુર્તિ કોતરી અથવા કોત્રાવી (અથવા ચિત્રી કે ચિત્રાવી,) જે આકાશમાં, અથવા પૃથ્વી પર, અથવા પૃથ્વી ના જ્ળમા હોય, ન રાખશો.
૫. તમે એને દંડવત ના કરજો, અને ન એની ઉપાસના કરજો; કેમ કે હુ તમારો પરમેશ્વર યહોવ જલન રાખનાર પરમેશ્વર છું, અને જે કોઈ મારાથી વેર રાખશે, એના પુત્રો, પૌત્રો અને પ્રપૌત્રો ને પણ એમના પિત્રુઓનો દંડ આપ્યા જ કરુ છુ.
૬. અને જે મને પ્રેમ કરે છે અને મારી આજ્ઞાઓને માને છે, એ હજ્જારો પર કરુણા કરે જ રાખુ છુ.
૭. તુ તારા પરમેશ્વર યહોવાનુ નામ વ્યર્થ ન લઈશ; કેમ કે જે યહોવાનુ નામ વ્યર્થ લેશે એને યહોવા નિર્દોષ ન ગણશે. (અને દંડ યોગ્ય ગણાશે)
૮. તુ વિશ્રામદિવસને (રવિવારને) પવિત્ર માનવા માટે સ્મરણમાં રાખજે.
૯. છ દિવસ તો તુ પરિશ્રમ કરીને પોતાનુ સર્વ કામકાજ કરજે,
૧૦. પરંતુ સાતમો દિવસ તારા પરમેશ્વર યહોવા માટે વિશ્રામદિવસ છે. એ દિવસે ન તો તુ કોઈ પ્રકારનુ કામકાજ કરજે, અને ન તો તારા પુત્રો, ન તારી પુત્રીઓ, ન તારા દાસ, ન તારી દાસીઓ, ન તારા પશુઓ, ન કોઈ પરદેશી જે તારા ફાટકોની અંદર હોય.
૧૧. કેમ કે છ દિવસ તો યહોવા પરમેશ્વરે આકાશ અને પ્રુથ્વી, અને સમુદ્ર, અને જે કંઈ એમાં છે, સર્વ ને રચ્યુ, અને સાતમે દિવસે વિશ્રામ કર્યો; એ કારણે યહોવા એ વિશ્રામ દિવસને આશિષ આપી અને એને પવિત્ર ઠેરવ્યો.
૧૨. તુ તારા પિતા અને તારી માતા નો આદર કરજે, જેથી જે દેશ તારો પરમેશ્વર યહોવા તને આપે છે એમાં તુ ઘણા દિવસો સુધી રહેવા પામે.
૧૩. તુ ખુન ન કરીશ.
૧૪. તુ વ્યભિચાર ન કરીશ.
૧૫. તુ ચોરી ના કરીશ.
૧૬. તુ કોઈની વિરુધ્ધ ખોટી સાક્ષી ન આપીશ.
૧૭. તુ કોઈના ઘરની લાલચ ના કરીશ, ન તો કોઈની સ્ત્રીની લાલચ કરીશ, અને ના કોઈના દાસ-દાસી (નોકર-ચાકરની), અથવા બળદ (ટ્રેક્ટર) ગધેડાનુ (ભારવાહકની), ન કોઈ વસ્તુની લાલચ કરીશ”
૧૮. અને સર્વ ઈઝરાયેલી લોકો ગર્જન અને વીજળીના અને નરસિંગાના કડાકાના શબ્દો સાંભળી અને અગ્નિ અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા પર્વતને જોઈ રહ્યા અને એ જોઈને કંપી ઉઠીને દુર ઉભા રહી ગયા;
૧૯. અને તેઓ મુસા ને કહેવા લાગ્યા, તુ જ અમારી જોડે વાત કર, તો અમે સાંભળી શકીશુ; પરંતુ પરમેશ્વર અમારી જોડે વાત ન કરે, એવુ ન થાય કે અમે મરી જઈએ.
(કેમ કે પરમેશ્વર યહોવાનો પ્રભાવ જ એટલો ભયંકર હોય છે કે કોઈ એમની સામે ઉભા જ ન રહી શકે, વાદળોના ગડગડાટ વિજળીના ચમકારા અને આગ-ધડાકા અને ધુમાડા જેવા અદભુત દેખાડા સામે કોઈ પાપી ઉભા રહેવા સમર્થ જ નથી હોય શકે)
૨૦. મુસાએ લોકોને કહ્યુ, ડરો નહિ; કેમ કે પરમેશ્વર આ નિમિત્તે જ આવ્યા છે કે તમારી પરીક્ષા કરે, અને એમનો ભય તમારા મનમાં બની રહે, કે તમે પાપ ના કરો.
૨૧. છતાંય તે લોકો તો દુર જ ઉભા રહ્યા, પરંતુ મુસા નબી એ ઘોર ગડગડાટ સમક્ષ ગયા જ્યા પરમેશ્વર ઉતરી આવ્યા હતા.
૨૨. ત્યારે યહોવા પરમેશ્વરે મુસા ને કહ્યુ, “તુ ઈઝરાયેલીઓને મારા વચન સંભળાવ, કે “તમે લોકો એ તો જાતે જ જોયુ કે મે તમારી સાથે આકાશ માંથી કેવી રીતે વાત કરી”
૨૩. તમે મારી જોડે કોઈ ને સરખાવશો નહિ, અર્થાત પોતાના માટે ચાંદી અથવા સોના થી દેવતાઓને ગઢશો નહિ.
૨૪. મારા માટે એક માટીની વેદી બનાવજો, અને પોતાના ભેડ-બકરાઓને અને ગાય-બળદોને હોમબલિ અને મેલબલિ કરીને એના ઉપર ભોગ ધરાવજો;
(જો કે બલિપ્રથા જુના કરારમાંથી છે, અને બલિ આપવાથી એ વખતે કોઈની પણ બિમારી, ચિંતા, પરેશાની, જે લોહો પીતી હોય એ ટળી જાય એટલે મનુષ્યનુ લોહિ ન બળે એટલા માટે પરમેશ્વરે પશુ બલિ ઠેરવ્યા હતા. પણ જુના કરાર પ્રમાણે આ બલિપ્રથા પ્રભુ યીશુએ વર્જ્ય કર્યુ છે અને પોતે જ પોતાનુ બલિદાન સુળી ઉપર આપી દિધુ છે, કેમ કે મનુષ્યો પરમેશ્વરને જે બલિ ચડાવે એ પવિત્ર નથી હોતુ એટલે પ્રભુ યીશુ જે પોતે પવિત્ર હોવા છતાંય આપણા માટે બલિ ના પવિત્ર બકરા બન્યા. એટલે હવે કોઈ બલિ આપવાનુ રહ્યુ છે જ નહિ, ફક્ત પરમેશ્વરના અને પ્રભુ ઈશુના ધન્યવાદ જ અર્પણ કરવાના શેષ રહે છે જેણે આપણા પાપોનુ બલિ પોતે જ બની ગયા અને આપણુ લોહિ ના વહેવા દિધુ એટલે એમને ધન્યવાદ જ અર્પણ કરવાનુ શેષ રહે છે જે અમે દિવસ-રાત કરીએ છીએ, પણ બલિ નથી ચડાવતા)
૨૫. અને જો તમે મારા માટે પથ્થરોની વેદી બનાવો, તો કોતરાવેલા પથ્થરોથી ના બનાવશો; કેમ કે જેવુ તમે એ પથ્થરો પર પોતાના ઓજાર ચલાવ્યા તુર્ત જ એ પથ્થર અશુધ્ધ બની જશે (એટલે કોતરકામ કરેલા મંદિરોથી પરમેશ્વર ઘૃણા કરે છે કેમ કે એમાં પરમેશ્વરની નહિ પરંતુ કોતરકામ કરનારા કારીગરની પ્રશંસા થાય છે)
૨૬. અને મારી (ઉંચી) વેદી પર (ભોગ ચડાવવા) સીડી પરથી ના ચડશો, ક્યાંક એવુ ન થાય કે તારુ ઉઘાડુ તન એના નીચેથી જોનારને નાગુ દેખાય.
આપણે સર્વ કોઈ પરમેશ્વરના મિત્ર છીએ.
કેટલા આનંદની વાત છે.
પ્રભુ યીશુ એમના ચેલા જ્હોન વતી જ્હોન અધ્યાય ૧૫.૧૪ વતી કહે છે
૧૪. “કે જે કંઈ પણ આજ્ઞા હુ તમને આપુ છુ અને તમે એનો આદર કરો છો તો તમે મારા મિત્ર છો.
૧૫. હવે થી હુ તમને દાસ ના કહીશ, કેમ કે દાસ નથી જાણતો કે એનો સ્વામી શું કરે છે; પરંતુ મેં તમને મિત્ર કહ્યા છે, કેમ કે મેં જે વાતો આપણા પિતા થી સાંભળી, એ સર્વ તમને બતાવી દિધી છે.
૧૬. તમે મને નથી ચુંટ્યો પણ મે તમને આ જગતમાંથી ચુંટી કાઢ્યા છે અને તમને ઠરાવ્યા છે જેથી તમે જઈને (પરમેશ્વર માટે) ફળ લાવો; અને તમારુ ફળ બની રહે, કે તમે મારા નામથી જે કંઈ પણ પરમપિતા થી માંગશો, એ તમને આપી દેશે.
૧૭. આ વાતોની આજ્ઞા હુ તમને એટલા માટે સોંપુ છુ, કે તમે એક બીજાથી પ્રેમ કરો.”
અનાજ્ઞાકારીતા શૈતાન માટે દરવાજો ખોલી નાંખે છે.
જો તમે પરમેશ્વરના સંતાન છો તો પછી પરમેશ્વરની આજ્ઞાઓને માનો તો જરુરથી તમે જવલંત આત્મિક વિજય પામશો, નહિ તો પરમેશ્વરની આજ્ઞાઓ ન માનીને તમે પોતે જ પોતાના સ્વહસ્તે શૈતાનના સંતાન ઠરી જાઓ છો, કેમ કે તમે સૈતાનની દરેકે દરેક ચાલથી અજાણ છો, જે તમને સાંસારીક ખુશીની લાલચમાં ફસાવી છેવટે નરકમાં જ તો ખેંચી જાય છે. તો પછી શું કામ નરકમાં સડો છો, જ્યા દુઃખ, ચિંતા, કપટ, લડાઈ, ઈર્ષ્યા, ચાલકી, હોંશિયારી, બળતરા, અભિમાન, ભેદભાવ વગેરે વગેરે પાપના દુષ્ટાત્માઓ વસે છે અને તમને સતાવે છે, એ તમને છોડવા નથી માંગતો, પણ તમે એ નરકમાંથી બહાર નિકળૉ અને દયા, પ્રેમ, કરુણા, સેવા, સત્ય, પ્રેમ, બલિદાન, ભોગ, ધીરજ, સંયમ, વિશ્વાસ, સ્તુતિ-પ્રશંસા, પરમેશ્વરને પ્રેમ અને ધન્યવાદ, અને અન્ય એવા સ્વર્ગીય ગુણોથી સભર સ્વર્ગદુતોથી ભરેલા સ્વર્ગમય વાતાવરણમાં કેમ ના રહેવુ. શા માટે ભારતદેશને અંધકારમાં જકડે રાખો છો? શું તમે ભારતના આ પાપમય વાતાવરણથી ખુશ છો? તમે જે કરો છો એ તમને શાંતિ આપે છે? નહિ ને. તો નક્કી તમે પરમેશ્વરની આજ્ઞાઓનુ ઉલ્લંઘન કરો છો, એટલે જ તમને શાંતિ નથી જણાતી. ધન-દૌલત છે, વિધ્યા-હોદ્દો-ખુરશી છે, ઉચ્ચકુળ છે, ઉત્તમ પુત્ર-પૌત્ર થી ઘર સભર છે પણ શાંતિ નથી પણ મનમાં અજંપો જ ભરેલો રહે છે તો નક્કી તમારા મનમાં શૈતાન નુ રાજ્ય જ પ્રસરાયેલુ છે, વિચારો, મનન કરો, અને સત્ય લાગે તો પરમેશ્વર પાસે પ્રભુ યીશુના નામે માફી માંગો, પ્રત્યેક પાપ માટે, ગણી ગણીને પ્રત્યેક પાપ માટે માફી માંગો, અને એ પાપ ફરીથી ન કરવાના પણ લો, પછી જુઓ તમારા દિવસો આપો આપ બદલાઈ જશે, અને પછી આ રીતીને જેમ જેમ વધારતા જશો એમ એમ તમે પોતે જ પરમેશ્વરને તમારી અંદર અને ઘરમાં અને જ્યા જશો ત્યા એમને મહેસુસ કરશો જ કરશો, અને તમે ચોવિસે કલાક આત્મિક આનંદથી ઘન રહેશો,, મગન રહેશો, એનુ પ્રમાણ લોકો જ તમને આપશે….
ધર્મ
જગતના ઘણા ધર્મોના પુસ્તકો અલગ અલગ મનુશ્યોએ જ લખ્યા છે. એમાં પાપ વિશે દરેકે અલગ અલગ વિચારો અને મતો પોતાની સમજણ પ્રમાણે જ વર્ણવ્યા છે. પરંતુ પાપની ક્ષમા માટેનો સચોટ ઉપાય અને રસ્તો કોઈ સમજાવી શક્યુ નથી. અને એથી મોક્ષ અને સ્વર્ગ અને નર્કની વાતોને ઠઠ્ઠામાં ઉડાવી, નકાર માટે લોકોને સમજાવે છે. એમની પાસે કોઈ મોક્ષદાતા, મસીહા અથવા ઉધ્ધારકર્તા જે પાપી મનુષ્યના જીવનને પોતે જાતે જ બચાવી શકે એવો કોઈ ઉપાય નથી જણાવી શકતા. પરંતુ બાઈબલ કહે છે મનુષ્ય પોતાના સૃષ્ટીકર્તા અદશ્ય પરમેશ્વર ની સામે અભિમાન, અજ્ઞાનથી અને અનાદરથી પાપ કરવાના કારણે જ ભ્રષ્ટ થઈ ને પતન પામી ચુક્યો છે, જેથી કરીને જ નૈતિક પતન થવાના કારણે જ મનુષ્ય પાપોના ગંદા અરુચિકર પરિણામોથી ભયંકર રીતે પીડાઈ રહ્યો છે છતાંપણ એ વિશે એ અજાણ જ છે.
બાઈબલ અને પ્રભુ યીશુ એ ફક્ત ખ્રિસ્તીઓ માટે જ નથી, પરંતુ સંપુર્ણ મનુષ્ય જાતી માટે પરમપિતા પરમેશ્વરનો એમના પોતાના નિજ સંતાનો માટે અતિમુલ્યવાન ઉપહાર-ભેંટ છે, એ પણ તદ્દન મોફતમાં ઉપલબ્ધ, ફક્ત વિશ્વાસની કિંમતે જ સમજાતો ગ્રંથ છે. સાચ્ચા જ્ઞાનનો અને અદશ્ય પરમેશ્વરના આકાશવાણીય, સ્વપ્નના વાર્તાલાપ ના શબ્દો છે, જે પરમેશ્વર પોતાના પ્રિય સંતાનો એટલે કે સંતો, નબીઓ, ભવિષ્યવક્તાઓ, ભક્તો અને રાજાઓને માર્ગદર્શન કરેલો અને આજે પણ કરતો મહાન ગ્રંથ છે. જગતના દરેકે દરેક ધર્મના પુસ્તકોનો પહાડ બનાવી ફક્ત સંપુર્ણ બાઈબલ ના પુસ્તકની એક જ પ્રત સામે રાખી દો, જગતના સર્વ ધર્મોના પુસ્તકોને એમના ન ઉકેલાયેલા સવાલોનો ઉત્તર આપત ગ્રંથ મે જાણ્યો છે.
બાઈબલ કહે છે, “આરંભમાં પરમેશ્વરે જ સ્વર્ગ અને પૃથ્વીની અને તારા-નક્ષત્રોની રચના કરી છે જે સૃષ્ટીની રચના પહેલા જ સૃષ્ટીકર્તા ની હયાતી દર્શાવે છે. વિજ્ઞાન પણ કહે છે એક સુક્ષ્મ અણુમાંથે સંપુર્ણ બ્રહ્માંડ રચાયુ, એક સેલમાંથી અનેક સેલો ફુટી નીકળ્યા. એ પ્રથમ સેલ કે અણુ એ પરમેશ્વરની રચના હતી બીજા કોઈની નહિ. વિજ્ઞાનીઓની અનુમાનીત સચ્ચાઈ પર સંપુર્ણ વિશ્વાસ ના મુકી શકાય કેમ કે એ પણ સંપુર્ણ સત્ય સાબીત નથી કરી શકતા.
પરમેશ્વરે કહ્યુ કે “આકાશ રચાઈ જાઓ” એટલે આકાશ બની ગયુ, એવી જ રીતે તારા-નક્ષત્રો અને સુર્ય, પૃથ્વી, ચંદ્રમાં, વૃક્ષ, પશુ, પક્ષી, માછલી, અને સૌથી છેવટે મનુષ્યની રચના કરી.
પરમેશ્વર પોતે સ્વયં સ્વર્ગમાં વિરાજમાન છે. જેનો આકાર નથી, અકલ્પ્ય છે, ત્યાં આપણુ ફક્ત આત્મિક શરીર હશે. ત્યા કોઈ મોજ મસ્તી, ખાવા-પીવા, સુવા-બેસવા, નાચ-ગાન વગેરે માનવિય વિચારોના આનંદ ના એક પણ સાધન નથી, ત્યાં કોઈ સ્ત્રી-પુરુષ જ નથી કેમ કે સ્વયં પરમેશ્વર અલિંગી છે, ના પુરુષ ના સ્ત્રી, (વ્યંઢળોએ હરખાવા જેવી વાત છે, પણ વ્યંઢળોએ પોતાના શરીરે જોડે કુકર્મો કરીને પોતે પરમેશ્વરે આપેલો સુંદર મોકો ગુમાવી દે છે, કેમ કે લિંગ ધારીઓ કેટલા અને કેવા પાપાચારના કામો કરીને નરક તરફ દોડી રહ્યા છે, એ પાપ તો વ્યંઢળો કરી નથી શક્તા એટલે એટલો રાહતનો હાશકારો લઈ શકે છે.)
પણ પરમેશ્વર વ્યંઢળ તો નથી જ કેમ કે જેણે કોઈ પુરુષનો સહવાસ માણ્યો જ નહતો, અને જાણ્યો પણ ન હતો, અને મનુષ્ય દ્વારા ક્યારેય અભડાઈ ન હતી એવા પવિત્ર, કુંવારી માતા મેરીને ફક્ત પોતાના પવિત્ર આત્માના સામર્થથી જ વગર મનુષ્ય પ્રયાસે પવિત્ર પ્રભુ યીશુનુ ગર્ભારોપણનુ પ્રથમ પુત્રદાન એ પણ એમના લગ્નની સગાઈ થઈ ગયા પછી અને લગ્નગ્રંથીથી જોડાયા પહેલા જ્યારે તેઓ એમની માતાના ઘરે કુંવારા હતા ત્યારે જ કર્યુ હતુ.
કેમ કે પરમેશ્વર મનુષ્યના પ્રયાસે કોઈ રચના ને પોતાના અશિષ નથી આપતા અને એને અછુત માનીને એની અવગણના કરે છે જેનુ ઉદાહરણ કદાચ યેરુશલેમનુ મંદિર જ માનવુ રહ્યુ કેમ કે યહુદી રાજા સુલૈમાન દ્વારા પરમેશ્વરની આજ્ઞા લઈને ૩૫૦૦ વરસ પહેલા બનાવેલુ જગતનુ અતિવિશાળ અને અતિ મહાન સોનાનુ મંદિર આજે પણ અવશેષ રુપે હાજર છે જે ૨૦૦૦ વરસ પહેલા જ ક્રુર રોમનો દ્વારા ધ્વસ્ત કરાયેલુ અને લુંટાયુ હતુ. એ મંદિર બનાવવામાં જ ૪૬ વરસ લાગી ગયા હતા, એને ધ્વસ્ત કરવામાં એક અઠવાડિયા અથવા એક મહિનાથી પણ ઓછો સમય લાગ્યો હતો. કેમ કે એના પથ્થરોને મનુષ્યોએ પોતાના છીણી હથોડાથી કોતરીને અભડાવી માર્યુ હતુ. એટલે પવિત્ર માતા મેરી પણ પુરુષ દ્વારા અભડાયા ન હતા ત્યારે જ એમને પવિત્ર આત્માનુ દાન આપીને પ્રભુ યીશુ ને એમના દ્વારા જન્માવ્યા હતા. એટલે જ પ્રભુ યેશુ પરમપિતા પરમાત્માના પુત્ર કહેવાય છે. આવો આપણે એમને વંદન કરીએ.
એ જ મહાન પરમેશ્વર એવા સ્વર્ગમાં, એમના સ્વર્ગદુતો સહિત વાસ કરે છે, જે આપણા કરોડો કરોડો પ્રકાશવર્ષ દુર આપણા બ્રહ્માંડથી એ હજારો બ્રહ્માંડો જેના ગર્ભમાં છે એવા અતિશય વિશાળ આત્મિક પ્રદેશમાં વાસ કરે છે જેની કલ્પના આપણા ચિત્તની બહારની વાત છે, આપણા શુ, સુપર વૈજ્ઞાનિક હોકિન્સ કે એના બાપ ના કે એના ચમચાઓના પણ દિમાગની હજારો પેઢીની પણ બહારની વાત છે.
આવા મહાન પરમેશ્વરે ઈચ્છ્યુ કે આવો આપણે અન્ય જીવીત પ્રાણીઓ બનાવીએ ત્યારે એમણે આજે હયાત અને લુપ્ત થએલા સર્વ સજીવોને રચ્યા પછી જ મનુષ્યને એમના પોતાના જ સ્વરુપમાં રચ્યા, જે એમની સૃષ્ટીની રક્ષા અને રખેવાળી કરે. જો કે એ મનુષ્યોએ જ પરમપિતા પરમેશ્વરની વારસામાં મળેલી રચનાનુ નખ્ખોદ જ વાળી નાંખ્યુ છે અને હજુ પણ ઠેકડા મારીને ફાંકા મારે રાખે છે કે પરમેશ્વર છે જ નહિ.
જોકે એ શોધખોળ તો પરમેશ્વરની રચનાનો તાગ મેળવવા જ કરે છે અને એવુ કરવામાં એનુ આખુએ જીવન નશ્વર ધુનમાં બરબાદ કરે છે, અને એના આખાયે જીવનના વ્યર્થ શોધખોળોને એ શોધકના જીવનમાં કોઈ ઉપયોગ નથી આવતો પણ એ શોધખોળો એ શોધકના મરણ પછી ૪૦-૫૦ વરસે એના વેતરો પહેલાતો પરમેશ્વરના દોરવાયેલા સદઉપયોગ કરે છે પછી અભિમાનમાં ગરક થઈને એનો ગેરઉપયોગ કરવાનુ શરુ કરી દે છે અને પૃથ્વીનો નાશ કરવાના કાળા કામો શરુ કરી દે છે અને કહે છે વૈજ્ઞાનિક ની પરમ શોધ છે.
માનો યા ન માનો, આજે આપણે દરેકે દરેક શોધને ઉંડાણમાં જોઈશુ તો છેવટે એ મનુષ્યનુ નખ્ખોદ જ કરનાર ઠરે છે, ઉદાહરણ રુપે સીમેન્ટ, પ્લાસ્ટીક, અણુકચરો વગેરે. છ્તાંપણ વિશ્વાસ ન આવતો હોય તો આજના મનુષ્યના મનને અને એમના કાર્યોને જોઈ-વિચારી લો. અભિમાનીઓ નહિ માને અને નમ્ર મનના લોકો માની લેશે.
આ દયાળુ પરમપિતા એવા મનુષ્ય રચના કરવા ચાહતા હતા જે પરમ પવિત્ર પ્રભુ યીશુ જેવા હોય, જે એમના જેવા જ અદભુત ગુણોથી ભરપુર હોય, અને એમની આજ્ઞા પર ચાલનારા એમના વિશ્વાસુ અને પ્રિય સંતાન ઠરીને પ્રેમ પુર્વક એમણે ચિંધેલ કાર્ય પૃથ્વી પર કરીને સ્વર્ગમાં પાછા એમની પાસે જઈ શકે.
પણ હાય રે વિજ્ઞાન, તારુ નક્ખોદ જાય, તે ધર્મને પાંગળો બનાવી મનુષ્યને અધર્મી અને અભિમાની બનાવી દિધો.
મનુષ્ય
મનુષ્ય જેને પરમેશ્વરે પોતાના સ્વરુપમાં બનાવ્યો, જે પરમેશ્વરની શક્તિના રુપમાં નહિ પણ પારમૈશ્વરીક નૈતિકતાના રુપમાં બનાવ્યો કે જે પરમેશ્વરના જ ગુણો પ્રગટ કરે. અને એ મનુષ્ય પોતાના ચરીત્ર અથવા સ્વભાવના અનુરુપ સારી અને પવિત્ર વાતોને પોતાના જીવનમાં ચુંટી શકે એવી પરમેશ્વરે એને સ્વતંત્રતા આપી રાખી છે. એને અન્ય સજીવો ના જેવુ વર્તન કરવાની જરુર નથી જેવી કે કોઈ જાનવર અથવા પક્ષી અથવા માછલી પણ એ સર્વ કરતા અલગ જ સ્વભાવ પરમેશ્વરે મનુષ્યોને આપી રાખેલો છે, જે લગભગ પરમેશ્વર જેવો જ હોય છે. પણ એને જાનવર જેવો સ્વભાવ નથી આપ્યો જેનો સ્વભાવ અને જરુરત ફક્ત ભોજન, ઉંઘ અને સંભોગ જ હોય. પણ પરમેશ્વર જેવો સારા નરસાનો ભેદ સમજવાનો અને એ પ્રમાણે અપનાવવાનો સ્વતંત્રતામય સ્વભાવ પરમેશ્વરે એમના સંતાનોને આપ્યો છે.
આપણી પાસે એક ભૌતિક શરીર છે જેમાં જીવન છે. અને આત્મા પણ છે જેના દ્વારા આપણી પહોંચ પરમાત્મા સુધી પહોંચી શકે છે. મનુષ્યોમાં નીચેની બાબતો જાણવા મળે છે.
(અ) મગજ - જેના દ્વારા આપણે વિચાર-મનન કરી શકીએ.
(બ) ભાવ - જેના થકી આપણને અનુભવ થાય છે.
(ક) ઈચ્છા શક્તિ – જેના થકી આપણે આપણો ફેસલો અને
ચુનાવ કરી શકવા સમર્થ અને સ્વતંત્ર છીએ.
આપણી પાસે જે બુધ્ધિ અને સમજ છે એના દ્વારા જ આપણે એમના સ્વરુપ અને સમાનતામાં બની રહીએ છીએ. એના કારણે આપણે લખવા, વાંચવા, શોધખોળ કરવા અને યોજના બનાવવા જેવા કામો કરી શકીએ છીએ જે લગભગ પરમાત્માના સ્વભાવ પ્રમાણે જ હોય છે. હા આપણે ભવિષ્ય જોઈ શક્તા નથી અને જે ઈચ્છીએ એ કરી શક્તા નથી નહિ તો આપણે પણ પરમેશ્વરની બરાબરી કરવાની હોડમાં પડી ગયા હોત.
પણ મનુષ્યો પાસે આત્મા છે, જે ઈશ્વરનુ એક મહાન આશિષ અને ભેંટ છે. આત્મા અમર છે. એની દેન આત્માને પરમેશ્વર તરફથી જ મળી છે. આ સંસારમાં મનુષ્યનુ શારીરીક મૃત્યુ તો થાય છે પણ એનો આત્મા નષ્ટ નથી થતો, પરંતુ એ એના રચયીતા એટલે કે પરમપિતા પરમેશ્વર પાસે જતો રહે છે. આ સંસારમાં એ નિયમ પણ જોવ મળે છે, કે પ્રત્યેક વસ્તુ પોતાને ઉત્પન્ન કરનાર શક્તિ પાસે પાછી જઈ મળે છે, એમાં જ સમાઈ જાય છે. એટલે આપણો આત્મા પણ જે અદ્શ્ય જ હોય છે, આપણા મૃત્યુ પછી પરમેશ્વર પાસે જતો રહે છે. અને એમની પાસે જઈને ઉપસ્થિત થાય છે, જેથી પરમેશ્વર એનો ન્યાય કરીને એના ભવિષ્યનો નિર્ણય કરી શકે.
તમે તમારા ગામ/શહેર/દેશને પ્રેમ કરો છો??
તમે બધા કહેશો………., હા, હા, હા, અમે અમારા ગામ/શહેર/દેશને ખુબ જ પ્રેમ કરીએ છીએ….. વગેરે વગેરે….!!!
હુ પણ તમારી જેમ હા એ હા કરીશ…… પણ…. હાય રી કિસ્મત આપણે આપણા ગામ/શહેર/દેશને પ્રેમ જ નથી કરતા….
આપણે ગમે ત્યાં થુંકીએ છીએ, ગમે ત્યાં કચરો નાંખીએ છીએ, ગમે જગ્યાએથી ગમે તે રીતે ધન કમાવાના અભરખા રાખીએ છીએ. આપણા જ ગ્રામ/શહેરી/દેશબંધુને લુંટીએ છીએ. આપણા જ ભાઈબંધુ જોડે ધંધો-વ્યવસાય કરીને પોતાના ભાઈબંધુ-મિત્રો અને ગ્રામ/શહેર/દેશવાસીઓને જ લુંટે છે. લોકો પાસે ધન ની વિપુલતા વધતી ચાલી છે પણ કોઈને પણ કોઈની પાસેથી આશા નથી, સરકાર અગણિત કામો કરી આપે છે તો પણ દરેકે દરેક નાગરીક સરકારો ને ગાળો આપે છે, પડોશીઓ પણ મદદ કરી જાય છે પણ સ્વર્થની બદબુ આવે છે, ભાઈ-બહેન પણ મધુરતા દાખવે છે પણ અણીના સમયે જ દગો દઈ દે છે, મિત્રો પણ ત્યાગ કરે છે પણ ક્યાંક કશુક ઓછપ જેવુ ઉંડે ઉંડે લાગ્યા કરતુ હોય છે, પતિ/પત્ની બાળકો, સગાઓ પણ આનંદ આપે છે પણ શાંતિ/સંતોષ નથી આપી શકતા, વગેરે વગેરે. આવુ બધુ થવાનુ કારણ શું??
આ સર્વ દુષણોનુ કારણ “પરમપિતા પરમાત્માનો અનાદર અને વિદ્રોહ” જ છે.
એનુ કારણ છે આપણે આપણા પરમપિતાથી વિમુખ છીએ. પિતાને નહિ પણ પિતાના વેશમાં ઘુસી પડેલા (અ)પિતાને એટલે કે શૈતાનને આપણે વરેલા છીએ, જેની પાસે સ્રૂષ્ટી પર કોઈ પણ સામર્થ કે અધિકાર નથી, જેણે સ્રૂષ્ટીની રચના નથી કરી એને આપણે અજાણતા જ વરેલા છીએ એટલે જ સર્વ આશિષોનો માલિક અને સ્ત્રોત આપણા સૌનો દયાળુ પરમપિતા પરમાત્મા આપણાથી દુખી છે. એ આપણને ગળે લગાડવા ચાહે છે પણ આપણા પાપો જ એટલા ગંદા છે કે પિતા એ ગંદા-ઘ્રુણિત પાપોને કારણે આપણી તરફ દ્રષ્ટી કરી શક્તા નથી. પિતા દરેક મનુષ્યોને એથી દુર રહેવા કહે છે પણ આપણે જ લોભ-લાલચ અને આળસ રુપી શૈતાનના દોરવ્યા દોડી જઈને એ અંધકારના ખાડામાં જઈ પડીએ છીએ. એ દુષ્ટ, પરમપિતાની ઓળખને લોભામણા અને આકર્શક વાકપટુતાથી છુપાવી રાખે છે અને આપણે એ જ પાપનો ધાબળા નીચે આપને છુપાઈ જઈએ છીએ જેના નીચે મનુષ્યને દુઃખ અને તકલીફો જ ભોગવવી પડે એવા જ ધાબળાને આપણે ઓઢીને ફરીએ છીએ.
જો આવુ જ બધુ આપના જીવનમાં અને ગામ/શહેર/દેશમાં થતુ હોય તો નક્કિ તમારા ગામ/શહેર/દેશ ઉપર પરમાત્માનો નહિ પણ બીજા કોઈ દુષ્ટ આત્માનો જ પ્રભાવ પથરાયેલો છે. જે તે ધાર્મીક સ્થળોમાં દુખિયાઓને /ગરીબોને/કંગાલોને/દલિતોને સત્ય, આનંદ, શાંતિ અને ધન નથી મળતુ એ ધાર્મીક સ્થળોમાં નક્કિ પરમાત્મા નહિ પણ પરમાત્માના વેશમાં ફાડી ખાનારો વાઘ મામો જ છે જે દરેક મનુષ્યોને નરકની ખાઈમાં લઈ જવા માંગે છે.
આ બધા ત્રાસ થી છુટકારો જોઈતો હોય તો તમારા ગામ/શહેર/દેશ માટે નીચે પ્રાર્થના કરવા લાગે જાઓ.
પશ્ચાતાપ અને અંગીકાર
(તમારા ગામ/શહેર/દેશનુ નામ) લઈને સંત નેહેમ્યા ૧.૭ મુજબ પ્રાર્થના કરવી કેઃ
“હે પરમપિતા પરમાત્મા અમે તમારી સમક્ષ અગણિત પાપ કર્યા છે અને જે આજ્ઞાઓ, વિધિઓ અને નિયમો તમે તમારા દાસ મુસા અને પ્રભુ યેશુ બાઈબલ દ્વારા અમને સોંપી હતી, એને અમે નથી માની “
“હે પિતા પ્રભુ યીશુના નામે અમે (શહેર/ગામ/દેશનુ નામ) ના નીચે લખેલા પાપોનો અંગિકાર અને પસ્ચાતાપ કરીએ છીએ.
- ભુતપુર્વ શાસકો, સામ્રાજ્યો તથા રાજાઓ દ્વારા કરાયેલા અગણિત પાપોની ક્ષમા માટે
- રાષ્ટ્રીય તથા પ્રાંતીય રાજનૈતિક નેતાઓ દ્વારા ભુતકાળ તથા વર્તમાન માં કરાયેલા પ્રત્યેક દેશદ્રોહ (વિશ્વાસઘાત) ના પાપોની ક્ષમા માટે
- પરમેશ્વર વિરુધ્ધ કરયેલા પ્રત્યેક પાપોની ક્ષમા માટે
- અનૈતિકતા અને વ્યભિચારના લોકો દ્વારા આચરાતા પ્રત્યેક પાપોની ક્ષમા માટે
- ગર્ભપાત ના પ્રત્યેક પાપની ક્ષમા માટે
- ભ્રષ્ટાચારના પ્રત્યેક પાપની ક્ષમા માટે
- અત્યાચારના દરેક પ્રકારના પાપની ક્ષમા માટે
- અન્યાયના પ્રત્યેક પ્રકાર પાપની ક્ષમા માટે
- જાતિવાદના પ્રત્યેક પ્રકારના પાપની ક્ષમા માટે
- શાસકોમાં ભેદભાવ અને સગાવાદના દરેક પ્રકારના પાપની ક્ષમા માટે
- ન્યાયાલયમાં પણ દરેક પ્રકારના ભેદભાવ અને સગાવાદના પ્રત્યેક પાપની ક્ષમા માટે
- ગરીબ-કંગાલ-દલિતોને અન્યાય કરવાના દરેક પ્રકારના અગણિત અક્ષમ્ય પાપની ક્ષમા માટે
- ધન/સત્તા નો ઉપયોગ પોતાના અને પોતાના ઘર/કુટુંબ/જાતિ માટે કરવા બદલ ક્ષમા માટે
- ધન/સત્તા દ્વારા આવેલા અભિમાન અને લાલચ ના પાપોની ક્ષમા માટે
- પોતાની કે પોતાની સંસ્થાઓની જ ઈચ્છાઓ પુરે કરવા માટે લોકોને છેતરીને ગેરમાર્ગે દોરવાના પ્રત્યેક પાપોની ક્ષમા માટે
- જાદુ-ટોણા, તંત્ર-મંત્ર, મુર્તિપુજા દ્વારા દેશને ખુણે ખાંચરે વ્યાપક થયેલા ભુતપુર્વ અને વર્તમાન પ્રત્યેક પાપોની ક્ષમા માટે
- વાતાવરણ વિરુધ્ધ નિર્દય થવા બદલ ક્ષમા માટે
- પરમેશ્વર પરમાત્માની વ્યવસ્થા વિરુધ્ધ વિદ્રોહ કરવાના પાપની ક્ષમા બદલ
- પરમેશ્વરના લોકો વિરુધ્ધ વિરોધ-વિદ્રોહ અન યુધ્ધ છેડવાના પાપોની બદલ
- પ્રત્યેક સમુદાયો વચ્ચે શાંતિ અને સમન્વય ની ખાઈ વધારવાના પાપોની ક્ષમા બદલ
- ખોટા/પાપી અધર્મી સત્તાધારીઓ/શાસકોને મદદ કરવાના પાપોની ક્ષમા બદલ
- આ સિવાયના અન્ય પાપો જે અમારી નજરમાં તો ધર્મ/હોશિંયારી કહેવાય પરંતુ પરમપિતાની નજરમાં પાપ કહેવાય એવા પ્રત્યેક પાપોની ક્ષમા બદલ
આ સિવાય અન્ય એવા પાપો જે મને સમજાતા ન હોય અને અજાણતા જ કરતો હોઉ અને મારુ અનુકરણ કરીને અન્યો પણ પાપ કરવા પ્રેરાય એવા દરેક પાપો બદલ હુ લજ્જા અનુભવુ છુ અને મારા હ્રદયના ઉંડાણથી હે પરમપિતા પરમાત્મા તમારી પાસે ક્ષમા યાચના ચાહુ છુ
આવી પ્રાર્થના દરરોજ સવારે એક કલાક અને સાંજે અથવા સુતા પહેલા પથારીમાં જ એક કલાક કરવાથી અને લોકોમાં આ પ્રક્રિયા નો ફેલાવો કરવાથી થોડા દિવસમાં જ વિશ્વાસ મુજબ થશે.
અને આ પ્રાર્થના પ્રભુ યીસુ મસિહાના નામે કરવી. કેમ કે પ્રભુ યીશુ એ પરમપિતા પરમાત્માનુ માનવીય દેહ રુપ મોકલાવેલુ સ્વર્ગનુ પગથિયુ છે જેના થકી સામન્ય માં સામાન્ય મનુષ્ય પરમપિતા પરમાત્મા પાસે આવી શકે છે. ઉદાહરણ તરીકે આજના દરેક ખ્રિસ્તી દેશો બે હજાર વરસ પહેલા તો મુર્તી પુજકો હતા તેઓ જ આજે જગતને માર્ગ દર્શક જણાય છે. કેમ કે પ્રભુ યીસુએ વચન આપ્યુ છે કે “તેઓ પોતે એટલે કે પ્રભુ યીસુ પોતે અને પરમપિતા પરમાત્મા એક છે, અને જે કોઈ પ્રભુ યીશુમાં પોતાના અંગિકાર વતી એકત્વ સાધે છે એ પોતે પરમપિતા પરમાત્મા સાથે એકત્વ સાધે છે અને એ મનુષ્યનુ જીવન બદલી જાય છે.”
એ વ્યક્તિ સામાન્ય માણસને બદલે પરમેશ્વરનો અંગત જણ બની જાય છે (હુ પણ પરમેશ્વરનો અંગત પ્રીય જણ બનવાની કોશિશ કરુ છુ) અને એ બદલાયેલા રુપ અને સ્વભાવને જોઈને જગત અચંબીત થઈ જાય છે. અમારા ચર્ચમાં ઘણા લોકોથી તેઓના સગા-મિત્રો અને પાડોશીઓને અચંબીજ કરી ચુક્યા છે. ઘણા તો એવા હતા કે તેઓ ને એમના કુટુંબીઓએ મરી જવા માટે તરછોડી મુક્યા હતા તેઓ આજે જીવીત રહિને પ્રભુ યીશુના ગુણ ગાય છે અને નાચે કુદે છે અને અન્ય લોકોને પણ લઈ આવે છે. જેમાં હુ પણ એક આપની સમક્ષ હયાત છુ.
પ્રભુ યીશુ આપ સહુનુ અને આપણા દેશનુ ઉધ્ધાર કરી ભલુ કરે અને આપના શ્રમનુ ફળ આપે એવી પ્રાર્થના કરુ છુ……..આમીન…!!
*
*
(બ્રહ્મસુત્ર મને ઈંટનેટપરથી સ્વર્ગારોહણ.કોમ ઉપરથી મળેલ છે, જે આત્મોધ્ધાર માટે ખુબ જ સરસ સાઈટ છે, એ સિવાય ઘણી બધી સાઈટો છે જેમાથી મને મારા પિત્રુઓના ધર્મ વિશે વધુ જાણકારી મળે છે, જેનો ઉપયોગ હુ મારા ઘણા લેખોમાં ઉપયોગ કર્યો છે, જન્મે હુ હિંદુ હોવાથી, હિંદુ ધર્મમાં મને જે અધુરપ અને દુષણો જે મને પાપી બનાવે છે, અને પરમેશ્વરનો વિરોધી બનાવે છે એ કહેવાનો અધિકાર તો પરમેશ્વરે અને ન્યાયમંદિરે તો આપેલો છે જેનો વૈચારીક વિરોધ આ વેબ્સાઈટ પર આપ સહુ તરફથી આવકારુ છુ, કોપી પેસ્ટ માટે પણ વિરોધ હોય તો હુ એને હટાવવા તૈયાર જ છુ કેમ કે ટાઈપ કરીને હુ મારા વિચારો તો વ્યક્ત કરી જ શકુ છે એ સિવાય જે ભાઈ ઓની સામગ્રીનો મે ઉપયોગ કર્યો છે એમનાલખાણો દ્વારા જ હુ પરમેશ્વરની સેવા કરુ છુ એમાં તેઓને ભાગીદાર તો અનાયાસે જ બનાવુ છુ જ ને) વધુ આશ્ચર્યજનક સત્ય જાણવા નીચે ની લિંક ઉપર ચાંપો…..
૧. બ્રાહ્મણ પાસ્ટર કલ્યાનપુરર્કર.૧
૨. બ્રાહ્મણ પાસ્ટર કલ્યાણપુરકર.૨
૧. આ સ્તુતિ.આરાધના.૧ છે આંખો બંધ કરીન, તલ્લીન થઈ જાઓ અને જુઓ ચમત્કાર.
૨. આ સ્તુતિ.આરાધના.૨ છે આંખો બંધ કરીન, તલ્લીન થઈ જાઓ અને જુઓ ચમત્કાર.
૩. આ સ્તુતિ.આરાધના.૧ છે આંખો બંધ કરીન, તલ્લીન થઈ જાઓ અને જુઓ ચમત્કાર.
૭. ભેંટ આપવાનો સમયનુ નચાવી મુકતુ ગીત
૧. પાપોથી મુક્તિ કેવી રીતે મેળવવી.૧??
૨. પાપોથી મુક્તિ કેવી રીતે મેળવવી.૨??
૩. પાપોથી મુક્તિ કેવી રીતે મેળવવી.૩??
૩. પાપોથી મુક્તિ કેવી રીતે મેળવવી.૪??
૧. પરમેશ્વર પાસે જવાનો દરવાજો ન.૧
૨. પરમેશ્વર પાસે જવાનો દરવાજો ન.૨
*
પ્રભુ સૌનુ ભલુ કરે કલ્યાણ કરે એવી પ્રાર્થના…..
I BELIEVE that ALL-KNOWLEDGE ie SCIENTIFIF-KNOWLEDGE or KNOWLEDGE of ALL-HUMANS,ALL-BEINGS,ALL-THINGS called the WORLD or the UNIVERSE as well as RELIGIOUS-KNOWLEDGE ie KNOWLEDGE-OF-GOD is or was USEFUL..!!
But because WE have NO-UNDERSTANDING of KNOWLEDGE ie WE DO NOT UNDERSTAND WHAT WE KNOW or KNEW,therefore NO-MATTER HOW PROFOUND KNOWLEDGE WAS,but it has ABSOLUTELY NO USE at all..!!
I BELIEVE that WE-HUMANS JUST KNOW..!!
That is,WE-HUMANS DO NOT UNDERSTAND WHAT WE KNOW or KNEW..!!
Think about that for a moment..!!
I BELIEVE that WE-HUMANS CAN NOT have LOVE for OTHER-HUMANS,OTHER-BEINGS,OTHER-THINGS etc called WORLD or UNIVERSE by KNOWLEDGE..!!
That is,I BELIEVE that KNOWLEDGE can BORN-FROM LOVE,but LOVE can not BORN-FROM KNOWLEDGE..!!
I BELIEVE that LOVE IS RELATIONSHIP..!!
That is,I BELIEVE that to LOVE is to CARE FOR the OTHER.
I BELIEVE that LOVE IS GOD..!!
I BELIEVE that GOD was or is ETERNAL,therefore LOVE was ETERNAL too..!!
I BELIEVE that GOD has RELATIONSHIP with US-HUMANS,ALL-BEINGS and ALL-THINGS;but WE have NO-RELATIONSHIP with neither the WORLD or the UNIVERSE ie with EACH-OTHER ie OTHER-HUMANS,OTHER-BEINGS and OTHER-THINGS;nor with GOD,WHOM WE-INDIANS have KNOWN for AGES as BHAGAVAN..!!
Think about that for a moment..!!
rkpatel,
wn,nz.
I hope that you do not have any photo/picture/statue of Jesus/Marry or cross in your home. I hope that you do not have any symbolic representation of Christianity in your home. Is that the case? If so, I will be glad to admit that you are worthy of asking question to others why they do idol worship.
So, idol worship is for inspiration. Lighting lamp or offering food strengthens reverence and reverence allows one to be deterministic in getting inspired. This was the cause for idol worship. Nothing else. What you call as money making business, is ADHARMA that you find, be it in any religion. So, please, try to persuade others for true meaning of idol worship. Why do you bring it as your point to prove that your path is the ONLY right way?
Good and evil are two sides of a coin. You cannot run on road to save somebody without killing millions of life forms. Every action is mixture of good and bad. Yes, some actions are more good than others. Similarly, some actions are more bad than others. But, alas, we do not understand this very fact with open senses.
On a similar note, I only believe my Atman which is led by divine light of MAA.
Did you notice dark history when Muslims and Christians have beheaded people (not animals) for not accepting their views? Do you know that many people justify eating animals as it was mentioned by Jehowah in Bible? Do you know that in name of Holy Grail people kill animals and drink blood? Do you know that many goats are killed in name of celebrating Eid?
Just see, all Indians are living under darnkess, sinful life, starving for one thing or other, this is applicable to both rich and poor, all are starving for one thing or other, how will you quench their hunger? What will you feed them?
Isn’t this true for Muslims and Christians across globe equally?
Why do you bring Indians/Hindus only when viewing only bad things?
I hope, you do not see any Father/Nun/Brother in a church. I hope, you are in search of God by yourself only.
Even there are many Hindus who do not seek any Gurus. Yet they are very well on their quest.
I think that you do not have your children studying in any school/church. I hope that they study themselves and get certificates themselves.
I do not have problem with your faith. You MUST stick to it with all spiritual meanings. BUT, I CANNOT TOLERATE YOUR HATRED TOWARDS HINDUISM/INDIANS.
If you did not find similar think like getting grace from God everyday, IT IS YOUR FAULT and NOT THE FAULT OF HINDUISM.
One simple example, Krushna says in Gita that do whatever actions you want to and remember me before doing those, come to my solace, I will protect you from all the sins. Did you forget?
Christianity did not give Americans true identity/meaning. That’s why they are inclining towards Hindusim. That was foretold by many great thinkers like Swami Vivekananda, Paramahans Yogananda and Shri Aurobindo.
Isn’t it double standard for you to claim giving lamb’s blood to Jesus as spiritual and telling BALIDAAN of buffalo wild?
there is no any end of world it , is alive for ever ,to day my self and your self here tomorrow some one else here , and
some one definately will be here , we are the proxy,for that ,
so it will be continue. for ever , only time will be there and
bodys are changing . samay ni saxkhie badhu j chalyaa j
kare chhe.
thanks
praheladprajapati.
હુ કે તમે નહિ હોઇએ મત્ર સમય જ ઉભો હસે અને તેની સક્ક્ષી બધુજ બદલાતો રહેછે
પ્રહેલાદ પ્રજપતિ
‘જિસકા જીતના આંચલ હો, ઉતના હી સબ પાતે હૈં,યાર!’
કોઈ ભટક કર કોઈ સીધા ,આખિર સબ પહૂંચ હી જાતે યાર।
જિસકી જૈસી જુસ્તઝૂ ,જિસકી જૈસી આરઝૂ જો સહી હો યાર!
તુમ કહેતે:’ખુદા મિલ ગયા’,હમ માનતે:”વો પાસ હૈ હી” યાર!
બાત એક હી હૈ,દાયેં ચલો કિ બાયેં,ગોલગોલ ઘૂમના હી હૈ!
ખુદાને ખુલ્લા છોડા ચુનાવ,અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ.
—La’ Kant, ‘Kaink’
બહુ જ લાંબુ લખાણ હોવાથી માત્ર ઉપર ઉપરથી જ જોવાયું.
કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા હોવી એ સારી વાત છે. અહીં અમેરિકામાં રહીને ચર્ચ ઘણી વાર ગયો છુ. ત્યાં થતા માનવતાવાદી કામો માટે મને બહુ માન છે. એ જોઈને અહીંના હિંદુ મંદિરો પણ એવી પ્રવૃત્તિ કરતા થયા છે.
મારા વિચારો મારા બ્લોગ પર છે જ.
હજુ વધારે એક લેખ મનમાં રમી રહ્યો છે.
તમારા એક અન્ય પોસ્ટ પર મેં કોમેન્ટ મૂકી .. પછી અહી બ્રહ્મ જીજ્ઞાસા જેવો વિષય જોઈ વાંચવાનું અને …. શરૂઆતમાં જ …” પ્રભુ યીશુ કહે છે “હુ જ માર્ગ, સત્ય અને જીવન છુ, અને મારા સિવાય પરમેશ્વરનો મિલાપ કરાવનાર આ જગતમાં બીજુ કોઈ નથી.” અને મને પણ તે સત્ય લાગે છે ….” વાંચીને ફરી અહી વિચાર વિનિમય કરવા ઈચ્છા થઇ આવી – પણ તમારા બીજા એક બે બ્લોગ વાંચ્યા પછી આ વિચાર માંડી વાળું છું.
કારણ મને સમજાઈ ગયું કે તમે તમારા ધર્મ નો પ્રચાર કરો છો.
પ્રચારક સાથે વિવાદ ન થાય ..! તેમ કરવાથી માત્ર કટુતા જ ફેલાય.
ઈશુ ના શબ્દો અહી વાપરવા મને ગમશે
“પ્રભુ એમને માફ કર કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે ”
ધર્મ નો પ્રચાર કરો છો એટલે બધું માફ.
Be Blessed..!
ધન્યવાદ, પ્રભુ આપને પણ ખુબ ખુબ આશિષ આપે અને બ્રહ્મ દર્શન કરવામાં આપની મદદ કરે.
હુ આપને એક કડવુ સત્ય જે મને સમજાયુ એ આપની સમક્ષ રાખવાની ગુસ્તાખી કરુ છે કે મે હાલની ૪૮ વરસની ઉંમરમાં જોયુ અને જાણ્યુ છે કે મારા સગ્ગા ભાઈ અને બહેનો, મારા સગાવહાલાઓ અને મારી જાતિના લોકો અજાણતા જ અંધકારમય અને પાપમય જીવન જીવે છે એનો દોષ કોને આપુ? કોઈને નહિ ને. તો પછી એ લોકોને સત્યનો માર્ગ જે મને ફક્ત પ્રભુ યીશુમાં જ દેખાય છે (ખ્રિસ્તી ધાર્મિકતામાં નહિ) તો એ પ્રગટ કરવાની મારી ફરજ છે એટલે હુ આ કાર્ય કરી રહ્યો છુ. હુ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો નથી કરતો પણ પ્રભુ યીશુની મહાનતાનો ફેલાવો કરવામાં મારુ જીવન ધન્ય કરી રહ્યો છુ જેથી મારા થોડા ઘણા પાપ તો માફ થાય. આખુએ જગત જે ફક્ત એક જ પરમાત્મામાં માને છે પછી ચાહે એ ખ્રિસ્તી હોય, યહુદી હોય, મુસલમાન હોય કે આપણા ફક્ત એક જ અને અદશ્ય અશરીરી બ્રહ્મવાદ માં માનતા હિંદુઓ પણ કેમ ના હોય, એ સર્વ કોઈ મસીહી જ છે અને મસીહી એટલે કે ખ્રિસ્તીઓ જે આ જગતને પવિત્ર રાખ્યુ છે એના સગ્ગા ભાઈ બહેન જેવા જ પરમેશ્વરના રાજ્યના લોકો છે અને જે લોકોએ જગતને એને બગાડ્યુ છે એ અલગ અલગ ધારાઓને જન્માવીને લોકોને ભટકાવી માર્યા છે. એ લોકોને પણ સત્યનો માર્ગ મળી જાય તો મારુ જીવન સફળ માનીશ. ધન્યવાદ પ્રભુ આપને આશીષ આપશે…..
‘કુરુક્ષેત્ર’ બ્લોગ પરના મારા પ્રતિભાવો પરથી આપે જોયું હશે કે હિંદુ ધર્મના નબળા પાસાઓનો વિરોધ કરતા હું અચકાતો નથી. (સબળા પાસાઓનો ઉલ્લેખ નથી કરતો કારણ કે તેમ કરવાવાળા સેંકડો બલકે હજારો છે.) તેથી એક સમયે ધર્મ બદલવાનો વિચાર કરતો હતો. બીજા કેટલાક ધર્મો તો religion કરતાં regiment વધારે લાગ્યા. ઈસાઈ ધર્મ આકર્ષક લાગ્યો. આખું બાઈબલ લીંટીએ લીંટી વાંચ્યું. નાસીપાસ થયો. Holy બાઈબલમાં પવિત્રતા ઘણી ઓછી જોવા મળી. ત્યારે થયું કે એક imperfect ધર્મ છોડી બીજા imperfect ધર્મમાં જવાને બદલે અસલ imperfect ધર્મ ને સુધારવા પ્રયત્ન કરવો સારો.
હિંદુ ધર્મ માં ઘણી ખામીઓ છે, પણ એક ખામી નથી. તે બંધિયાર નથી. બીજા ધર્મો એક કે બે પુસ્તકોને વળગી રહીને જુના વિચારો વાગોળ્યા કરે છે, તળાવના પાણીની જેમ. હિંદુ ધર્મ વહેતી નદી જેવો છે જેમાં ઉપરવાસનું પ્રદુષણ હેઠવાસમાં ઓછું કે નિર્મૂળ થઇ શકે છે કારણ કે “आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:| વિશ્વભરમાંથી સારા વિચારો અમને મળો.” એવી મનોવૃત્તિ છે.
God is above and beyond all religions. આપણે તેમને મળવા જવાનું નથી, તેઓ જ આપણને આવી મળશે. પોતાના એકેએક ભક્તને સીધેસીધા અને જુદાજુદા (directly and separately) મળવા તેઓ શક્તિશાળી છે, કોઈ મધ્યસ્થી વિના તેઓ સૌને મળી શકે છે. આપણે તો ખુલ્લું ભક્તિમય હૃદય અને મન રાખીએ એટલે બસ. શ્રીકૃષ્ણ, બુદ્ધ, જીસસ, મહંમદ વગેરે અત્યંત મહાન પુરુષો હતા પરંતુ સ્વયં પરમેશ્વર, કે તેના એક માત્ર પુત્ર કે સંદેશવાહક નહોતા. પરમેશ્વર તો વારંવાર તેમના પુત્રો (કે પુત્રીઓ) અને સંદેશવાહકો મોકલ્યા જ કરે છે કારણ કે આપણે માનવીઓ સુધરતા જ નથી. વ્યક્તિઓ ગમે તેટલી મહાન હોય તો પણ તેમના પર શ્રદ્ધા રાખવાને બદલે ઈશ્વરીય સદ્ગુણો જેવા કે સત્ય, ન્યાય, પ્રેમ, દયા ઈત્યાદિ પર શ્રદ્ધા રાખવી જોઈએ.
પાપોની માફી માગવાની ના હોય; ખરા દિલથી પશ્ચાત્તાપ કરીને તેમની જે કઈ સજા હોય તે ભોગવવાની તૈયારી રાખવાની હોય. પ્રાર્થના તો એવી જ કરવાની કે પાપ કરવાના પ્રલોભનો પર જીત મેળવવાનું મનોબળ પ્રભુ આપણને આપે કે જેથી નવા પાપો કરતા અટકીએ.
આપણો સૌનો ઈશ્વર બાઈબલમાં જણાવ્યા પ્રમાણે jealous ના હોઈ શકે. દસ આદેશો શું યહુદીઓ માટે જ અપાયા હતા?
બાઈબલ વાંચીને મને થયું કે આ તો યહૂદીઓની પ્રદેશલાલસાને વ્યાજબી ઠરાવવા માટે તેમના વડે લખાયેલી સ્વહીતકારી (self-serving) ઈતિહાસનું પુસ્તક છે. જે પ્રજાઓ ખસીકરણ (circumcision) નહોતી કરાવતી તેમનું નિકંદન કાઢવામાં જુના કરારના પાત્રોએ કસર નથી રાખી. (તેવી જ રીતે પશ્ચિમ ગોળાર્ધના દેશોમાં કોલંબસ અને તેના અનુગામીઓએ વર્તાવેલા કેરની વિગતો વાંચીને કાંપી જવાય તેવી છે.)
વચમાં અમેરિકાના National Geographic Magazine માં બાઈબલ વિષે લેખ હતો. તેના પ્રતિભાવમાં મેં તેમને મોકલેલી ઈમેઈલની નકલ આ સાથે મોકલું છું. Of course, they are not likely to print it.
વધુમાં મારી વેબ સાઈટ પર ના એક લખાણની લીંક આપું છું તે પણ જોઈ શકશો.
http://sites.google.com/site/tatoodi/whyididnotconvert
________________________________________
From:
To: ngsforum@ngm.com
Subject: Bible’s Legacy
Date: Sun, 18 Dec 2011 15:30:05 -0500
Dear Editor:
This is in response to “The Bible of King James” in December 2011 issue of National Geographic magazine. The article belongs to a history magazine or, better still, a religious one rather than National Geographic. However, since you have already published it, the following is worth considering.
The ‘Holy’ Bible’s ‘ambivalence’ is clouded by its condoning, amounting to implicitly glorifying, the unholy acts of its characters such as:
• Noah punishing his son Ham for accidentally seeing the drunken father’s nakedness,
• Abraham’s cowardly lying to the Egyptian king,
• His depriving Reumah and her four sons of legitimacy by treating her as a concubine all her life and not formally marrying her,
• Sons of Jacob answering Shechem and Hamor ‘deceitfully’ to get circumcised so that Simeon and Levi could commit perhaps the first recorded genocide by slaying all Hivite males,
• Samuel directing Saul to not only to kill all people of Amalek but also its animals and then punishing Saul for sparing the animals,
• As many as thirty genocides committed by Joshua starting with that of Jericho’s population.
• David’s adultery and getting Uriah killed surreptitiously.
The list can go on and on.
“God’s Word” cannot be ambivalent. For example, having commanded “Thou shalt not kill”, God would not have asked Joshua to kill the population of Jericho; only an imposter must have done so. That commandment is unequivocal and does not leave any scope for killing enemies, sinners or even animals.
‘કુરુક્ષેત્ર’ બ્લોગ પરના મારા પ્રતિભાવો પરથી આપે જોયું હશે કે હિંદુ ધર્મના નબળા પાસાઓનો વિરોધ કરતા હું અચકાતો નથી. (સબળા પાસાઓનો ઉલ્લેખ નથી કરતો કારણ કે તેમ કરવાવાળા સેંકડો બલકે હજારો છે.) તેથી એક સમયે ધર્મ બદલવાનો વિચાર કરતો હતો. બીજા કેટલાક ધર્મો તો religion કરતાં regiment વધારે લાગ્યા. ઈસાઈ ધર્મ આકર્ષક લાગ્યો. આખું બાઈબલ લીંટીએ લીંટી વાંચ્યું. નાસીપાસ થયો. Holy બાઈબલમાં પવિત્રતા ઘણી ઓછી જોવા મળી. ત્યારે થયું કે એક imperfect ધર્મ છોડી બીજા imperfect ધર્મમાં જવાને બદલે અસલ imperfect ધર્મ ને સુધારવા પ્રયત્ન કરવો સારો.
હિંદુ ધર્મ માં ઘણી ખામીઓ છે, પણ એક ખામી નથી. તે બંધિયાર નથી. બીજા ધર્મો એક કે બે પુસ્તકોને વળગી રહીને જુના વિચારો વાગોળ્યા કરે છે, તળાવના પાણીની જેમ. હિંદુ ધર્મ વહેતી નદી જેવો છે જેમાં ઉપરવાસનું પ્રદુષણ હેઠવાસમાં ઓછું કે નિર્મૂળ થઇ શકે છે કારણ કે “आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:| વિશ્વભરમાંથી સારા વિચારો અમને મળો.” એવી મનોવૃત્તિ છે.
God is above and beyond all religions. આપણે તેમને મળવા જવાનું નથી, તેઓ જ આપણને આવી મળશે. પોતાના એકેએક ભક્તને સીધેસીધા અને જુદાજુદા (directly and separately) મળવા તેઓ શક્તિશાળી છે, કોઈ મધ્યસ્થી વિના તેઓ સૌને મળી શકે છે. આપણે તો ખુલ્લું ભક્તિમય હૃદય અને મન રાખીએ એટલે બસ. શ્રીકૃષ્ણ, બુદ્ધ, જીસસ, મહંમદ વગેરે અત્યંત મહાન પુરુષો હતા પરંતુ સ્વયં પરમેશ્વર, કે તેના એક માત્ર પુત્ર કે સંદેશવાહક નહોતા. પરમેશ્વર તો વારંવાર તેમના પુત્રો (કે પુત્રીઓ) અને સંદેશવાહકો મોકલ્યા જ કરે છે કારણ કે આપણે માનવીઓ સુધરતા જ નથી. વ્યક્તિઓ ગમે તેટલી મહાન હોય તો પણ તેમના પર શ્રદ્ધા રાખવાને બદલે ઈશ્વરીય સદ્ગુણો જેવા કે સત્ય, ન્યાય, પ્રેમ, દયા ઈત્યાદિ પર શ્રદ્ધા રાખવી જોઈએ.
પાપોની માફી માગવાની ના હોય; ખરા દિલથી પશ્ચાત્તાપ કરીને તેમની જે કઈ સજા હોય તે ભોગવવાની તૈયારી રાખવાની હોય. પ્રાર્થના તો એવી જ કરવાની કે પાપ કરવાના પ્રલોભનો પર જીત મેળવવાનું મનોબળ પ્રભુ આપણને આપે કે જેથી નવા પાપો કરતા અટકીએ.
આપણો સૌનો ઈશ્વર બાઈબલમાં જણાવ્યા પ્રમાણે jealous ના હોઈ શકે.
દસ આદેશો શું ફક્ત યહુદીઓ માટે જ હતા?
બાઈબલ વાંચીને મને થયું કે આ તો યહૂદીઓની પ્રદેશલાલસાને વ્યાજબી ઠરાવવા માટે તેમના વડે લખાયેલી સ્વહીતકારી (self-serving) ઈતિહાસનું પુસ્તક છે. જે પ્રજાઓ ખસીકરણ (circumcision) નહોતી કરાવતી તેમનું નિકંદન કાઢવામાં જુના કરારના પાત્રોએ કસર નથી રાખી. (તેવી જ રીતે પશ્ચિમ ગોળાર્ધના દેશોમાં કોલંબસ અને તેના અનુગામીઓએ વર્તાવેલા કેરની વિગતો વાંચીને કાંપી જવાય તેવી છે.)
વચમાં અમેરિકાના National Geographic Magazine માં બાઈબલ વિષે લેખ હતો. તેના પ્રતિભાવમાં મેં તેમને મોકલેલી ઈમેઈલની નકલ આ સાથે મોકલું છું. Of course, they are not likely to print it.
વધુમાં મારી વેબ સાઈટ પર ના એક લખાણની લીંક આપું છું તે પણ જોઈ શકશો.
http://sites.google.com/site/tatoodi/whyididnotconvert
From:
To: ngsforum@ngm.com
Subject: Bible’s Legacy
Date: Sun, 18 Dec 2011 15:30:05 -0500
Dear Editor:
This is in response to “The Bible of King James” in December 2011 issue of National Geographic magazine. The article belongs to a history magazine or, better still, a religious one rather than National Geographic. However, since you have already published it, the following is worth considering.
The ‘Holy’ Bible’s ‘ambivalence’ is clouded by its condoning, amounting to implicitly glorifying, the unholy acts of its characters such as:
Noah punishing his son Ham for accidentally seeing the drunken father’s nakedness,
Abraham’s cowardly lying to the Egyptian king,
His depriving Reumah and her four sons of legitimacy by treating her as a concubine all her life and not formally marrying her,
Sons of Jacob answering Shechem and Hamor ‘deceitfully’ to get circumcised so that Simeon and Levi could commit perhaps the first recorded genocide by slaying all Hivite males,
Samuel directing Saul to not only to kill all people of Amalek but also its animals and then punishing Saul for sparing the animals,
As many as thirty genocides committed by Joshua starting with that of Jericho’s population.
David’s adultery and getting Uriah killed surreptitiously.
The list can go on and on.
“God’s Word” cannot be ambivalent. For example, having commanded “Thou shalt not kill”, God would not have asked Joshua to kill the population of Jericho; only an imposter must have done so. That commandment is unequivocal and does not leave any scope for killing enemies, sinners or even animals.
ધન્યવાદ રશ્મીસાહેબ, આપ કહો છો કે “ઈસાઈ ધર્મ આકર્ષક લાગ્યો. આખું બાઈબલ લીંટીએ લીંટી વાંચ્યું. નાસીપાસ થયો. Holy બાઈબલમાં પવિત્રતા ઘણી ઓછી જોવા મળી” એનો મતલબ એ થત્યો કે તમે ફક્ત વાંચવા ખાતર જ બાઈબલ વાંચ્યુ છે, સમજયા નથી લાગતા. બાઈબલ વાંચવુ એ અલગ વાત છે અને આત્મામાં પ્રભુ યેશુને આત્માને ઓળખવો એ અલગ વાત છે.
આખા જગતમાં બાઈબલ જ એક એવુ પુસ્તક છે કે જે દરરોજ એની લાખો પ્રીંટ છપાતી હોય છે અને જગતમાં ખુબ જ પ્રેમથી લોકો એને વામ્ચતા અને અપનાવતા હોય છે. એ એક જ પુસ્તક મે જોયુ છે કે જે ૧ રુપિયાથી લઈને ૧૦,૦૦૦ ડોલસ સુધીમાં વહેચાતુ મલી શકે છે, કુરાન કરતા પણ વધી સંખ્યમાં બાઈબલ જગતમાં જગતની અલગ અલગ ભાષામાં મલી આવતુ એક માત્ર પુસ્તક છે અને એ પુસ્તક ના લખનાર પવિત્ર આત્મા (હોલિ સ્પીરીટ) છે એટલે એમાં દરેક વ્યક્તિ અમુક તમુક રાજાઓના સમયમાં હયાત હતી એ રાજાઓનો સમય નો ઉલ્લેખ ઈઝરાયેલના રાજોના ઈતિહાસમાં પણ જોવા મળે છે એ જ એ વ્યક્તિની વાતોની સાબિતી છે. આ આપે કદાચ માર્ક નથી કર્યુ એવુ ભાસે છે.
એ સિવાય જે જે ભવિષ્યવાણીઓ જે તે નબીઓએ, સંતોને, ભવિષ્યવક્તાઓએ કરી હતી એ અમુક વર્ષે, અમુક દિવસોએ બાદ એ પુરી થતી જોવા મલી છે. અને આજે પણ પ્રભુ યેશુએ જે જે વાયદાઓ અને આશ્વાસનો આપ્યા છે એ પુરા થતા જોવા મળે છે. એનુ જીવતુ જાગતુ ઉદાહરણ “મહાત્મા ગાંધીજી” છે. બાપુ તો પુરેપુરા ખ્રિસ્તી હતા પણ આપણા હિંદુ ભાઈઓએ ખાસ કરીને “ગોપાળરાવ ગોખલે અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓએ” એમને એવુ કરતા રોક્યા હતા એના અસંખ્ય ઉદાહરણો ભુતકાળમાં હયાત હતા પણ આજે એ ઉદાહરણો જાણી જોઈને ભુંસી કાઢવામાં આવ્યા છે એ કડવુ સત્ય છે. અંગ્રેજો ગાંધીજી ને જે માન આપતા એ હિંદુ હોવાને નાતે નહિ પણ બાઈબલનો માનવિય જીવતો જાગતો પ્રયોગ જોઈ રહ્યા હતા એ હતો.
હુ આપને નમ્ર વિનંતિ કરુ છુ કે આપ ખિર્સ્તીઓ નહિ પણ બાઈબલને અને ખાસ કરીને પ્રભુ યેશુના વચનોને અને નવા કરારને અનુસરો તો આપ કદાચ બાપુ બની શકો……… ધન્યવાદ
“વાંચવા ખાતર જ બાઈબલ વાંચ્યુ છે, સમજયા નથી લાગતા.” આવું જ હિંદુ ધર્મના પુસ્તકોની ટીકા કરનારાઓ માટે કહી શકાય, મારે માટે પણ કહેવાય છે. અણગમતા સત્યને દબાવી દેવાની આ યુક્તિ ઘણી પ્રચલિત છે. તમારી લાગણી દુભાવવા બદલ દરગુજર કરવા વિનંતી સાથે આ ચર્ચા બંધ કરીશ.
પ્રિય રશ્મિકાંત ભાઈ, આપના પ્રતિભાવ બદલ આભાર, અણગમતા સત્યને દબાવી દેવાની આ યુક્તિ ભલે પ્રચલિત હોય પણ હુ એવી કોઈ યુક્તિઓ કરતો નથી મારી પાસે પ્રત્યેક અર્ધસત્ય અને કુમંછીત સવાલોના ઉત્તરો હાજર છે સમય મળ્યુએ હુ આપના પ્રત્યેક સવાલોના ઉત્તરો આપવા માટે તૈયાર છુ જ, એ માટે હુ બાઈવલ વિરુધ્ધા આપના અને દરેક ના સવાલોના ઉત્તરો આપવા માટે નવુ પાનુ “ઉત્તમ સવાલોના જવાબો” આ બ્લોગમાં જોડી રહ્યો છુ જે આપને કદાચ ગમશે.
રહી વાત લાગણી દુભાવાની તો એ પ્રત્યે હુ આપને એક સત્ય સમજાવી દઉ છુ કે મારી લાગણીઓ કદી પણ પ્રભુની વિરુધ્ધ બોલનારાઓ દ્વારા દુભાતી નથી પણ માનવતા પર કુઠારાઘાત કરનારાઓ જ્યારે પરમાત્મા પરમેશ્વર ના ઠેકેદારો બની બેસે છે અને માનવતા પર જે આખે પાટા બાંધવાના અત્યાચાર થાય છે અને લોકોને અંધકારમાં ઢસડીને લઈ જાય છે ત્યારે મારી લાગણી દુભાય છે. આપની બાબતમાં હજુ એવુ નથી થયુ. આમ પણ પ્રભુ યેશુ પોતે જ કહે છે “એમનુ અપમાન કે એમનો તિરસ્કાર તો માફ કરી દેવામાં આવશે પણ પરમપિતા પરમાત્મા પવિત્ર આત્મા પ્રત્યેના દરેકે દરેક અપમાન અને તિરસ્કારને કદી પણ માફ કરવામાં નહિ આવે” અને બાઈબલ ના લખનાર પવિત્ર આત્મા (હોલિ સ્પિરી) જ છે” એટલે આપનો કે અન્ય કોઈનો ન્યાય હુ નહિ પણ પવિત્ર આત્મા જ લેશે અને હુ આપને કે અન્ય કોઈને કોઈ પણ પ્રકારનુ વેઠવુ ના પડે એ માટૅ પ્રાર્થના કરીશ કે “હે દયાળુ પરમેશ્વર, મારા ભાઈઓને માફ કરજો, તેઓ નથી જાણતા કે તો શું કરી રહ્યા છે.”…… પ્રભુ યેશુના નામે……….આમીન.