પવિત્રતા અને શુધ્ધ આચરણ ના નિયમ
૧. ત્યાર પછી યહોવા પરમેશ્વરે મુસાને કહ્યુ,
૨. ઈસ્રાયેલીઓની સંપુર્ણ મંડળીને કહે, કે તમે પવિત્ર બની રહો; કેમ કે હુ તમારો પરમેશ્વર યહોવા પવિત્ર છુ.
૩. તમે તમારી પોતાની માતા અને તમારા પોતાના પિતા નો ભય રાખજો; અને મારા વિશ્રામ દિવસને માનજો; હુ તમારો પરમેશ્વર યહોવા છુ.
૪. તમે મુર્તી પુજા તરફ ન ફરકશો, અને દેવતાઓની પ્રતિમાઓ કોતરાવી ન લેતા; હુ તમારો પરમેશ્વર યહોવા છુ.
૫. જ્યારે તમે યહોવા માટે શાંતિબલિ (મેલબલિ) ચઢાવો, તો એવુ બલિદાને કરજો જેથી, હુ પ્રસન્ન થઈ જાઉ.
૬. એનુ માંસ બલિદાનના દિવસે અને બીજા દિવસે ખાઈ જજો, પરંતુ ત્રિજા દિવસ સુધી બચી જાય તો એને આગમાં ભસ્મ કરી દેજો.
૭. અને જો એમાંથી કંઈ પણ ત્રિજે દિવસે ખવાશે, તો એ ઘૃણિત ઠરશે, અને યોગ્ય ન ઠરશે.
૮. અને એને ખાવા વાળો યહોવા પરમેશ્વર ના પવિત્ર ભોગને અપવિત્ર ઠરાવે છે, એટલે એને એના અધર્મ નો ભાર એને પોતે જ ઉઠાવવો પડશે; અને એ પ્રાણીઓ પોતાના લોકો વચ્ચેથી નાશ કરવામાં આવે.
૯. પછી જ્યારે તમે તમારા દેશના ખેતરોના પાકને કાપો ત્યારે તમારા ખેતરના તદ્દન ખુણે ખુણેથી-કિનારે કિનારેથી સંપુર્ણ ન કાપશો, અને કાપણી કરેલા ખેતર-વાડીમાંથી વિખરાઈ ગયેલા દાણાઓ ને ઉઠાવી ન લેશો.
૧૦. અને પોતાની દ્રાક્ષની (શાક-ફળની) વાડીઓમાંના (દાણાઓ) ફળો વીણી ન લાવશો અને પોતાની દ્રાક્ષની વાડીના વિખરાઈ પડેલી દ્રાક્ષને ના લઈ આવશો; એને દિન-દુખીયાઓ, ગરીબો, વટેમાર્ગુઓ, પરદેશીઓ માટે છોડી દેજો; હુ તમારો પરમેશ્વર યહોવા છુ.
૧૧. તમે ચોરી ન કરો, અને એક બીજા જોડે કપટ ના કરો, અને જુઠુ ના બોલો.
૧૨. તમે મારા નામની ખોટી શપથ-સોગંદ ખાઈ ને તમારા પરમેશ્વર યહોવાનુ નામ અપવિત્ર ન ઠરાવો; હુ તમારો પરમેશ્વર યહોવા છુ.
૧૩. એક બીજા ઉપર અંધેર ના કરો, અને ન તો એક બીજાને લુંટો. અને મજુર ની મજુરી તમારી પાસે રાતથી લઈને પરોઢિયા સુધી રહેવા ન પામે. (સુરજ ડુબવા પહેલા ચુકવી દેવી.)
૧૪. (જે કોઈ ધર્મી નુ સાંભળતો જ ન હોય એવા) બહેરા ને શ્રાપ ન આપો, અને જેને (ધર્મનુ જ્ઞાન અને ભાન જ ના હોય) એવા આંધળાઓની આગળ ઠેંસ ખાઈને ગબડી પાડવા ઠોકર ના રાખો; અને તમારા પરમેશ્વર યહોવાનો આદર સહિત ભય માનો, હુ યહોવા છુ.
૧૫. ન્યાયમાં કુટિલતા ન કરો; અને ન તો કંગાળ નો પક્ષ બગાડો અને ન તો કુલિનોના મોઢા જોઈને તરફેણ કરો; એક બીજાનો ન્યાય ધર્મથી જ કરો.
૧૬. લુચ્ચા બનીને લોકોની વચ્ચે ના ફરો, અને એક બીજાના લોહિ વહાવવા ની યુક્તિઓ ના ઘડો; હુ યહોવા છુ.
૧૭. તમારા મનમાં એક બીજા પ્રત્યે વેર ન રાખો; અને પડોશીને અવશ્ય ઠપકો આપી ચેતવતા રહેજો નહિ તો એના પાપનો ભાર તમને ઉઠાવવો પડશે.
૧૮. બદલો ના લો અને ન પોતાના જાતિ ભાઈઓ જોડે વેર રાખો, પરંતુ એક બીજાને પોતાના સમાન જ પ્રેમ રાખો, હુ પરમેશ્વર યહોવા છુ.
૧૯. તમે મારી વિધીઓને નિરંતર માનો. પોતાના -ઢોર-પશુઓને અન્ય જાતિના પશુઓ જોડે મેળ ના કરાવો; પોતાના ખેતરમાં બે પ્રકારના બીજ એકઠા ના વાવો; અને શણ અને ઉનની મિલાવટ થી બનાવેલ કપડા ના પહેરવા.
૨૦. પછી કોઈની સ્ત્રી દાસી હોય, અને એની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય, પરંતુ ન તો દામ દઈને અને ન તો સંપુર્ણ રીતે (એના પતિને) સ્વાધિન કરાઈ હોય, એની જોડે કોઈ કુકર્મ કરે, તો એ બન્નેને દંડ તો મળે, પરંતુ એ સ્ત્રી સ્વાધિન ન કરાઈ હોઈને એ બન્ને પાપીઓને મૃત્યુ દંડ ના આપવો.
૨૧. પરંતુ એ પુરુષ મિલાપવાળા તંબુ (યહોવાના મંદિરના) દ્વાર પર દોષબલિ રુપે એક મેઢાને બલિ રુપે લઈ આવે. (આ પ્રથા બે હજાર વરસ પહેલાની છે હવે હયાત નથી એટલે પાદરી પાસે ફક્ત પ્રાયશ્ચિત જાહેર કરવુ)
૨૨. અને યાજક એનાથી કરાયેલા પાપ ના કારણે દોષબલિના મેઢા દ્વારા એ પાપીના પાપ બદલ યહોવા સામે પ્રાયશ્ચિત કરે; ત્યારે યજમાનથી કરાયેલા પાપ ક્ષમા થઈ જશે.
૨૩. પછી જ્યારે તમે કનાન દેશમાં પહોંચો ત્યારે કોઈ પ્રકારના ફળ ના વૃક્ષ લગાવો, તો એના ફળ ત્રણ વરસ સુધી તમારા માટે (ખતનારહિત) અપવિત્ર બની રહે છે; એટલે એમાંથી કંઈપણ ન ખાશો.
૨૪. અને ચોથા વર્ષે એના સર્વ ફળ યહોવા ની સ્તુતિ માટે પવિત્ર ઠરે.
૨૫. એટલે પાંચમે વર્ષે તમે એના ફળ ખાવા પામશો, એટલે કે એનાથી તમને અગણિત ફળ મળે; હુ તમારો પરમેશ્વર યહોવા છુ.
૨૬. તમે લોહિ લાગેલુ માંસ ન ખાઓ. અને ના ટોણા-ટટકા કરો, અને ન શુભ કે અશુભ મુહર્તોને માનો.
૨૭. અને તમારા માથા ના વાળ કોર બનાવીને ન મુંડાવશો; અને ન તો તમારા ગાલના વાળ મુંડાવો.
૨૮. મરી ગયેલાઓને કારણે તમારા શરીરનો કોઈપણ ભાગ ન ચીરો, અને ન તો એમાં કોઈ છાપ લગાવો; હુ પરમેશ્વર યહોવા છુ.
૨૯. પોતાની દિકરીઓને વેશ્યા બનાવીને અપવિત્ર ના કરો, એવુ ન થાય કે દેશ વેશ્યાગમનને કારણે મહાપાપ થી ઉભરાઈ જાય.
૩૦. મારા વિશ્રામ દિવસને પવિત્ર માનો અને મારા પવિત્ર સ્થાનનો ભય નિરંતર માનો, હુ પરમેશ્વર યહોવા છુ.
૩૧. ઓઝાઓ અને ભુત સાધનારાઓની તરફ ના ફરો અને એવાઓની ખોજ કરીને તેઓના કારણે તમે અશુધ્ધ ના બની જાઓ હુ તમારો પરમેશ્વર યહોવા છુ.
૩૨. ધોળા વાળના વ્રુધ્ધો સામે ઉભો થઈ જજે, અને વ્રુધ્ધોને આદર-સન્માન કરજે, અને તારા પરમેશ્વર યહોવાનો ભય નિરંતર માનજે; હુ પરમેશ્વર યહોવા છુ.
૩૩. જો કોઈ પરદેશી તમારા દેશમાં તમારી સંગે રહેતો હોય તો એને દુઃખ ના દેશો.
૩૪. જે પરદેશી તમારી સંગે રહેતો હોય એ તમારા માટે દેશી સમાન ઠરે, અને એને પોતાના સમાન જ પ્રેમ રાખજે; કેમ કે તમે લોકો પણ મિસ્ર દેશમાં પરદેશી હતા; હુ તમારો પરમેશ્વર યહોવા છુ.
૩૫. તમે ન્યાય કરવામાં, અને પરીણામ લાવવામાં અને તોલવામાં, અને માપવામાં કુટિલતા ના કરો.
૩૬. તદ્દન ખરા ત્રાજવા, ધર્મના વજન, અને સાચ્ચા એપા અને ધર્મના હીન તમારી પાસ રહે, હુ તમારો એ પરમેશ્વર યહોવા છુ જે તમને મિસ્ર દેશમાંથી છોડાવી લાવ્યો હતો.
૩૭. એટલે તમે મારી સર્વ વિધિઓને અને સર્વ નિયમોને માની અને નિરંતર પાલન કરતા રહેજો, હુ તમારો પરમેશ્વર યહોવા છુ.
(આ સર્વ આજ્ઞાઓ અને આવી અનેક લગભગ ૬૭૦ જેટલી આજ્ઞાઓ પરમેશ્વર યહોવાએ માનવજાતિ માટે મુસા નબીને સોંપી હતી જેને આજે પણ યહુદીઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓ માને છે અને જગતના મોટા ભાગના દેશોના બંધારણૉ આ આજ્ઞાઓને આધારીત હોઈને જગતમાં લગભગ શાંતિ છે, જે દેશો આ નિયમોને નથી મનતા ત્યાં મબલખ સમ્રુધ્ધિ હશે પણ શાંતિ નહિ હોય, ખુશી અને આનંદ નહિ હોય એવુ હજારો વરસોથી જગતે અનુભવ્યુ છે. જે દેશમાં મહાન ચિંતકો જેવા સેક્રેટસ, પ્લ્યુટો પાયથાગોરસ, આઈન્સ્ટાઈન, ગેલેલિયો વગેરે જેવા મહાન ચિંતકો અને વૈજ્ઞાનિકો એ જન્મ લિધો હતો એવા દેશો, રોમ ગ્રીસ, ફ્રાંસ જર્મની, અને યુરોપ, અમેરીકા, ઓસ્ટ્રેલિયા આફ્રિકા અને અન્ય દેશોમાં જ્યા બાઈબલ આધારીત રાજ્ય છે ત્યાં વણકહી શાંતિ અનુભવાય છે અને અન્ય ધર્મીઓ ત્યાં જ વસવાના સપના સેવતા હોય છે. જાપાન, સિંગાપોર, હોંગકોંગ, ચીન વગેરે દેશોમાં હજુ સુધી કોઈએ વસવાનુ વિચાર્યુ હોય કે લોકપ્રીય હોય એવુ જાણવા ઓછુ નહિ તો નહિંવત જ મળ્યુ છે. હવે તો ભારતીઓ પણ ભારત દેશ છોડી ખ્રિસ્તી દેશોમા ભાગી જવા એક પગે તૈયાર હોય છે એવુ જોવા મળે છે. પણ મુસ્લિમ દેશોમાં હજુ સુધી કોઈ ઠરીઠામ થવા ઈચ્છતુ હોય એવુ ઓછુ જાણવા મળ્યુ છે, એટલે ખ્રિસ્તી દેશો વધુ લોકપ્રીય ગણાય કેમ કે ત્યાં બાઈબલનુ રાજ છે અને જ્યા બાઈબલ હોય ત્યાં પ્રેમ, શાંતિ અને સેવા અને ભાઈચારો રહેવાનો જ કેમ કે એમનો પરમેશ્વર યહોવા જ છે બીજુ કોઈ નહિ….
શુદ્ર અને દલિત ભાઈઓને ખાસ વિનંતિઃ મંદિરોમાં દાન ના આપવુ, જે લોકો મંદિરોમાં દાન આપે છે કે મુર્તિ પુજા કરે છે તેઓના ઘરમાં અશાંતિ બની જ રહે છે, કેમ કે એ પરમેશ્વરની આજ્ઞાની વિરુધ્ધ છે, કોઈ બાબાઓને પણ દાન ના દેવુ કેમ કે વ્યક્તિ પુજા પણ મુર્તીપુજાનુ જ રુપ હોઈને ઘરમાં અશાંતિ લાવે છે જ્યોતિષ-મુહુર્તોને ન માનવા, જાતિવાદ ના માનવો કેમ કે એ બધુ પરમેશ્વરની આજ્ઞા વિરુધ્ધ છે એટલે આપણા દેશમાં, રાજ્યોમાં, જીલ્લાઓમાં, શહેરમાં, ગામમાં અને છેવટે ઘરમાં શાંતિ નથી હોતી પણ અશાંતિ જ અશાંતિ હોય છે, એ.સી. હોય તો પણ ગરમાટ મોળો નથી પડતો, ધન હોય તો પણ ખુશી નથી મળતી, ખજાનો ભર્યો પડ્યો હોય તો પણ પેટ નથી ભરાતુ. એટલે પાપ ના વધારો ફકત પ્રાયશ્ચિત ત કરે રાખવુ, પોતાના નહિ તો પોતાના ભાઈ-બહેનો નહિ તો સગાઓ માટે, નહિ તો જાતિ માટે, નહિ તો ગામ માટે, શહેર માટે, જીલ્લા માટે, રાજ્ય માટે અને છેવટે દેશ માટે કેમ કે પ્રાર્થના કરવાથી જ દેશમાં સારા દિવસો આવે છે હોમ-હવન કરવાથી કશુ નથી ફળતુ એ તો ગીતા માં લખેલુ જ છે એટલે બાઈબલ વાંચો અને દેશને પવિત્ર કરો તો જ દેશમાં પરમેશ્વરના આશિષ શાંતિ લાવશે.
. પ્રભુ સૌને શાંતિ આપે અને કલ્યાણ કરે એવી પ્રાર્થના કરુ છુ…… આમીન )
Leave your Valuable Reply and be Blessed.....