પ્રિય ભાઇઓ, રાજેશના સપ્રેમ નમસ્કાર,
હુ રાજેશ પડાયા, મુંબઈની જે.જે. હોસ્પિટલંમાં જન્મેલ, વિધવા માતા અને દુઃખી પિતાના પ્રેમ વિહોણો, મોસાળીયાઓના પ્રેમથી, હિંદુ ધાર્મીક સંસ્કારમાં ઉછરેલ, HSC મુંબઈની સિધાર્થ કોલેજ અને સેક્ન્ડ યર બી.કોમ. ભણેલ, (ઈગ્નુથી) અધુરો ગ્રેજ્યુએટ, ઈંગ્લીશ સ્ટેનોગ્રાફર, બોરીવલીની રોયલ ઈન્સ્ટીટ્યુટમાંથી પાસ કરીને સ્ટાફ સિલેક્શન પરીક્ષા ઉત્તીર્ણ કરીને આજે ભારતા ઉચ્ચ કાર્યાલયમાં ઉચ્ચ ઓફિસરનો પી.એ. (ખાનગી સહાયક) તરીકે ફરજ બજાવનાર, બની બેઠેલા ધાર્મીક ઠેકેદારો, અને અંધકાર ફેલાવનારાઓની નફરત અને ઈર્ષ્યાનો માર્યો, હુ અધર્મી અને પાપી, પવિત્ર બનીને મહાન સામર્થી, જગતના રચયીતા, પરમ દયાળુ, પરમ ક્રુપાળુ, પરમ પવિત્ર પરમેશ્વરને ઓળખવા અને પામવા મથતો, જાતિની અન્યાયી રુએ તો શુદ્ર પરંતુ પરમેશ્વરની આત્મીક દ્રષ્ટીએ ક્દાચ સુધરેલ, પરમેશ્વરનો સેવક બનીને આપને વિનવુ છુ કે
હે માતાઓ પિતાઓ, ચેતો, ચેતો ભાઈઓ અને ચેતો મારી બહેનો અને કાન દઈને સાંભળો !!
!! સંભાળો !! તમારા બાળકોને, જેઓ પરમાત્માના સંતાનો છે એમને બચાવો,
ધ્યાન આપો કે આપણે માતા-પિતાઓ કેટ્લા સ્વાર્થી છીએ.
આપણે બધા, ભૌતિક સમ્રુધ્ધિ માટે આપણા જ સંતાનોને અજાણતા જ સૈતાનને હવાલે કરી મુક્યા. ભારતીય સંસ્ક્રુતિ બચાવવી હો તો જાગો. આ દેશને એમ.બી.એ., ડોક્ટર, એન્જીનીયર વગેરેની જરુર તો છે જ પરંતુ એ મેળવતા મેળવતા અને મેળવ્યા પછી પણ, સૌથી મોટી ખોટ રહે છે એ છે “ચરીત્ર”ની. જેનો આજે ભારત દેશમાં દુષ્કાળ દેશની આઝાદી મળી ગયા પછી વણથંભ્યો ચાલી આવ્યો છે.
અગર તમે તમારા સંતાનોને ચારીત્રવાન બનાવવા માંગતા હો તો આંખ ખોલો અને આંધળા ના બનો અને ભારતને, તમારા વંશ ને અને આવતી પેઢીને આત્મીક રીતે નષ્ટ થતા બચાવો.
આ આધળી અને ધ્યેય વગરની પ્રગતિ દેશને, સાથે સાથે આજ્નુ ભણતર સમાજને ક્યાં લઈ જશે એ ભાર દઈ વિચારો?
સ્વર્ગમાં કે નરકમાં? શું તમારુ સંતાન પરમાત્માને જાણે છે? વિશ્વના રચયિતાને જાણે છે? કોણે ધરતી આકાશ, સુરજ, ચંદ્રમા, નક્ષત્ર, જળ, વાયુ, અગ્ની, પથ્થર, વ્રુક્ષો, ફળ ફુલ, પ્રાણી પક્ષી અને આંખે દેખાતી અને ન દેખાતી દરેક ચીજને બનાવનારને કેટલુ જાણે છે? કેમ કે જ્યારે આપણે જવાન હતા ત્યારે મદમાં અને અભિમાનમાં પરમાત્માને ઓળખવાની તસ્દી ન લીધી હતી અને આજે જ્યારે મુશ્કેલી કે જાન લેવા બીમારી, બોંબબ્લાસ્ટ, અસત્ય, અને અંધકાર અને અજ્ઞાન સતાવે ત્યારે જ પરમાત્માની તરફ દોટ મુકીએ છીએ.
એના કરતા સંતાનોને જ્યારે તે નિર્દોષ ઉંમ્મરનો હોય, કોઈ પાપ ના કર્યુ હોય ત્યારે જ પરમાત્માની ઓળખ કરાવી દેવી સારી જેથી એ સંતાન સરેરાશ ભારતીય લોકો જેમ અંધકારમાં ભટકે છે એમ ના ભટકે. અને છતા પણ, જો એ પરમાત્માના જ્ઞાન વિશે બાળક અજાણ રહે છે તેના જવાબદાર તમે પોતે જ છો અને ભવિષ્યમાં એ સંતાન પરમાત્મા ધર્મર્ની વાતો કોઈ રીતે માનશે જ નહિ એ વાત ગાંઠે બાંધી રાખજો અને માનશે તો પણ રામાયણ-મહાભારત જેવી પૌરાણિક કથાઓના દેવી-દેવતાઓને જ માનશે અને આ જગતના ખરા રચયિતાને પરમાત્માને માનશે જ નહિ માટે ચેતો અને આજે તમે ચેતશો તો તમારા સંતાનો ચેતી જશે માટે આવતી પેઢી નુ ભવિષ્ય તમારા હાથમા છે નહિ કે નરેન્દ્ર મોદીજી કે આજના રાજકીય નેતાઓ ના હાથમાં.
સમાજના માર્ગદર્શક તો ધાર્મીક ગ્રંથો જે ફક્ત પરમપિતા પરમેશ્વરની જ મહિમા કરે છે એ જ છે નહિ કોઈ ક્ષણિક આવેગવાળી મનુષ્યની સાંસારીક વિચારધારા. તમે પરમાત્માને શોધશો તો તમારા સંતાનો પણ પરમાત્માને શોધશે નહિ તો આપણા પુર્વજોની પેઠે પથ્થરોની-મરેલાઓની પુજા કરી કરીને ૮૪ લાખ યોનિમાં ભટકતા રહેશે.
કબીરજી, સાંઈબાબા, નાનકજી, બુધ્ધ, મીરાબાઈ, નરસિંહ મ્હેતા, પાન બાઈ, ગંગાસતી, તુકારામ, એક્નાથ, જ્ઞાનદેવ, ગાડગે મહારાજ, વગેરે વગેરે સા્ચા સંત હતા, હીરલાઓ હતા, અને ‘એકલા ચાલો રે’ પ્રમાણે એકલા, ઝુપડીંમાં, સુકી રોટલી ને મીઠુ મર્ચુ ખાઈને પ્રભુ ભક્તિ કરતા હતા અને ગલીએ ગલીમાં, પોળોમાં, ઘરે ઘરે ભિક્ષા મંગી માંગીને, ફક્ત પ્રભુના ગુણો ગાઈ- બજાવી ને પ્રભુને પામ્યા હતા.
જ્રયારે આજ્ના, મોટા મોટા શામિયાણા, મહાસભાઓ, શારીરીક યોગ લોકોને અંધકારમાં ભટકાવી મારીને ક્યાં લઈ જાશે, એ તો પ્રભુ જ જાણે મને તો એ મોક્ષ અપાવનારો સત્સંગ નથી જ લાગતા એના બદલે લોકોએ ઘરમાં બેસીને પરમપિતા પરમાત્માને ગુરુ માનીને બ્રહ્મ્સુત્ર, યોગ સુત્ર, વિવેકચુડામણી, ઉપનીષદો, ગીતા, બાઈબલ, કુરાન અને બીજા ઘણા પુસ્તકો વાંચીને એનુ મનન કરવુ જોઈએ જે આત્મોધ્ધારનો ખરો મારગ દેખાડે એનુ મનન કરવુ જોઈએ અને આંખો બંધ કરીને એકદમ સામાન્ય રીતે ગમે ત્યા બેસીને (પોતાના પિતા જોડે વાતો કરવા માટે કોઈ આસન, કોઈ ચોક્ક્સ સ્થાન નથી એ પિતા તો તમારી-મારી અંદર જ રહે છે ફક્ત એમને ઓળખવાની જરુર છે) પરમપિતા પરમાત્મા જોડે આત્માને પરર્માત્મા સાથે લગાવીને ઉધ્ધાર માંગવો જોઈએ.
પરમપિતાની રાહથી ભટકાવનારા રામાયણ-મહાભારત મહાકાવ્યો દ્વારા પરમાત્મા પાસે નહિ જવાય પરંતુ સાંસારીક બની જશો જે પરમાત્માને પસંદ નથી, છતાંય, રામાયણ માં વશિશ્ઠ રામાયણ ઉત્તમ છે, મહાભારતમાં ગીતા, ગીતા કરતા વિદુરનીતી ઉત્તમ છે, એના સિવાય મારા મતે ઇન્ટરનેટ પર સ્વર્ગારોહણ.કોમ, યોગેશ્વરજી,અતુલજાનિસાહેબ, કાતિલાલ પરમાર, ભજનામ્રુત્વાણી, ગોવિંદમારુ.વર્ડપ્રેસ્સ.કોમ, ભુપેન્દ્રસિંહ રાઓલ, અડાલજા સાહેબ, શ્રી દિપક ધોળકિયા સાહેબ અને એમના જેવા ઘણા મહાપુરુષોની વાતો મનુષ્યોને પરમપિતાની વધુ નજીક લઈ જવામાં સાથીદાર બની શકે છે. અને મારી પ્રેરણા એમને વાંચ્યા પછી જ આ સાઈટ બનાવવાની પ્રભુ પ્રેરણા થઈ છે.
અને હા મારો માર્ગ પરમપિતા પરમાત્મા નજીક જવાનો જ છે પણ પ્રભુ યીશુ ના બતાવેલ સાંક્ડા અને સિધા ચડાણ વાળા, કાંટા ભરેલ રસ્તે ચાલવુ ઘણુ જ સરળ અને સાચુ લાગે છે અને ભોતિક સ્મૃધ્ધિનો માર્ગ કાંટાળો પાપીલો લાગે છે કેમકે આ જગતમાં સિધ્ધપુરુષ ફક્ત પ્રભુ યીશુ જ છે જે આજે પણ સહેલાઈથી અતિસહજતાથી મિત્ર-મોટાભાઈ બનીને ગુરુ નહિ (ગુરુ તો ફક્ત એક્જ છે-પરમાત્મા) તમને-મને પરમાત્મા પાસે લઈ જશે. પ્રભુ યેશુજી જેમણે જગતના ઈતિહાસને બે ભાગ કરી મનુષ્યને પવિત્ર બનવાનો સરળ સસ્તો સ્થાપ્યો છે એક્ સત્ય હકીક્ત, ૨૦૧૦ વરસ પુરાની છે મન ના તુક્કા નથી, ઈતિહાસ સાબિતી સાથે હાજરા હાજુર છે ને સદેહે પાછા આવવાના છે અને એટલે જ યેરૂશલેમનો ઉત્તરીય દ્વાર આજે પણં બંધ છે) અને
હુ પણ પ્રભુ યેશુજીને નો’તો જાણતો કે માનતો પણ એમની હ્ર્દય દ્રાવક સચ્ચાઈ જાણીને હવે એમેનેજ પુજુ છુ, અમારા ખાનદાનમાંથી, જાતિમાંથી કદાચ સૌથી પહેલો પ્રભુ યેસુને અપનાવનારો, હુ, રાજેન્દ્ર પડાયા, ૪૭ વરસ, મુમ્બઈનો, જે.જે. હોસ્પીટલમાં જન્મેલો, જુવાન બુઢો છુ.
પાંચ-છ વરસ પહેલા હુ પણ આત્મિક રીતે ભટ્કેલ હતો, બહુજ પુજા-પાઠ કરનારો, બન્ને નવરાત્રિ, શ્રાવણમાસ, ભાદરવો, બધાજ સોમ, મંગલ, ગુરુ, શનિવાર કરનારો, થોડુક તંત્ર-મંત્ર જાણનારો, બે વરસ સુધી જ્યોતિષ શીખેલો, અંધકાર માં ઠેબા ખાતો હતો, પણ હવે મારી આંખો ખુલી ગઈ છે અને પરમપિતાને જ જોઈ રહી છે. તમે પણ ઠેબા ના ખાઓ. કારણ કે કર્મ-કાંડ ખોટો છે, મંત્ર-તંત્ર તદ્દન જ ખોટા, ઘરમાં અશાંતિ લાવનાર છે (ઘણા બાબાઓ, કહેવાતા પંડિતો, સામાન્ય અને મહત્વના લોકોની જોડે ચર્ચા કર્યા પછી અને ખુદ અનુભવ્યા પછી જ માનુ છુ અને કહુ છુ). મન મેલુ છે ને રહેશે તો મેલો દેવ જ પામશો જે નરક્માં લઈ જવા માટે નારકીય કામ કરાવશે.
(પોતાના આત્માને પુછી જુઓ અને તમે આત્માની વાત સાંભળી નથી શકતા કેમ કે અંધકારને અજવાળાથી નફરત હોય છે ને જેમ કોઈ કિડો એની સુરક્ષા અંધકારમાં જ શોધે અને પામે છે અને અજવાળામાં નથી આવતો એમ એ અંધકાર જ તમને તમારા પિતાની સત્ય વાતોને મુરખ ની વાતોમાં ખપાવશે અને એવુ થાય તો નક્કિ માની લેજો કે તમે શૈતાન ના હાથની કઠ્પુતળી છો ને એ તમને ઉંધે રવાડે ચડાવીને પિતાથી દુર નરકમાં લઈ જવા માટે તૈયાર છે).
બચવુ હોય તો પ્રભુ યેશુજી કહે છે એ પ્રમાણે પ્રાર્થના કરો પ્રાયશ્ચીત કરો, છાતિ કુટો, પોતાના, પાડોશિના, સમાજના, દેશના, દુનિયાના પાપો માંટે, એમની પણ આત્મિક આંખ ખુલે અને પાપ ના કરે.
પ્રભુ યેસુ કહે છે “હે પિતા તમે સ્વર્ગમાં વિરાજમાન છે તમારુ નામ પવિત્ર મનાય છે,તમારુ રાજ બધા પર આવે, તમારી ઈચ્છા જેમ સ્વર્ગમાં પુરી થાય છે એમ પ્રુથ્વીના સર્વ લોકો પર પુરી થાય, આજનુ (આત્મીક) ભોજન અમને દે, અને જે રીતે અમે અમારા શત્રુને માફ કરીયે એવી રીતે તમે પણ અમારા પાપોને માફ કર. અમને પરીક્ષામાં(પાપમાં) ના પડવા દો, પરંતુ અમારી પોતાની જ બુરાઈથી અમને બચાવો, કેમ કે સૌ પર રાજ્ય, પરાક્રમ અને મહિમા સદા તમારા જ છે…આમિન (તથાસ્તુ)
અને હુ કહુ છુ કે હે સ્વર્ગના પિતા, હુ પ્રભુ યેસુ ના નામથી તમારા સિંહાસન પાસે આવુ છુ મારા વિરોધી સ્વભાવને માફ કરો અને મને તમારી ગોદમાં રમવા દો અને જેમ તમે વચન આપ્યુ છે કે “જો કોઈ મનુશ્ય પોતના મન-વચનથી યેસુજી ને પરમેશ્વર પુત્ર માનશે, જે મરેલામાંથી ત્રીજે દિવસે જીવી ઉઠ્યા છે એમને પ્રભુ પુત્ર માનીને અન્ગિકાર કરે કે પરમપિતાએ યીશુજીને મરેલા માંથી જીવીત કર્યા છે તો એ પોતે નિશ્ચય ઉધ્ધાર પામશે, એટ્લે કે જેમ લોકો જિવતે જીવતા મરેલા જેવા છે અને મર્યા પછી નરક જ પામશે (અને નરકજ પામે છે), એ જીવતે જીવતા મરેલો નહિ પણ મર્યા પછી પણ અનતકાળ સુધી જીવિત રહેશે અને દેહ છોડ્યા પછી પણ મરશે નહિ અને ચાહે અંધકાર (પાપોથી) ભરેલી પહાડીઓ અને ખીણોની વચ્ચેથી પસાર થવુ પડે તો પણ સર્વ અંધકાર (પાપો) થી મુક્ત રહેશે અને એ અંધકાર એને અડી પણ નહિ શકે અને પરમપિતા પાસે અનંત જીવન પામશે અને સ્વર્ગદુત બનીને પરમપિતાની અખંડ સ્તુતિ કરતો રહેશે અને એનુ આખુ ખાનદાન પણ ઉધ્ધાર પામશે અને સમાજ માટે અભીશાપ નહી પણ આશીષ જ બનશે, કોઇ જાદુ ટોણા, મંત્ર તંત્ર, જુઠાણુ, બીમારી, ચોરી, છ્લ, કપટ, અને નરક ના બધા દેવી-દેવતા કે અન્ય કોઈ શક્તિ, પ્રભુ યેશુજી ને માનનારર્ને કે પછી એના ઘરના લોકોને અડવાનુ તો શુ, જોઇ પણ નહિ શકે, કારણ સ્વર્ગ અને પ્રુથ્વીની બધી જ શક્તિ યેશુજી ની આગળ માથુ નમાવે એવો પરમાત્મા નો હુકમ છે………
આપણે બધા આપણા અથવા નકામા ગુરૂઓના મન પ્રમાણે ગમે તેને પ્રભુ માનીને ભજિએ છિએ, પથ્થર, મુર્તિ, મનુશ્ય, પ્રાણિ, પાણી, સુરજ, ચાન્દ, તારા, જ્યોતિશ, બ્રામણ, બાબા, તન્ત્ર મન્ત્ર, દાન ધર્મ, કરમ અને શુ શુ નથિ કરતા, પણ કશુ નથિ પામતા, નથિ શાન્તિ મલતિ કે નથિ ખુશિ, ધન છે, ભણતર છે, અને આખો બન્ધ કરિને મન્ત્ર જપિએ છિએ, યંત્રો લાવ્યા અને મંત્ર ના જાપ કર્યા અને કાઇ નથિ મલતુ, કાઇ નથિ ફળતુ, પછી લાગવા માંડે કે એ બધુ ખોટુ જ છે, કારણ કે મનમા અને યંત્રમાં સચ્ચાઇ જ નથિ, મન મેલુ, ગન્દુ, આખ મેલિ, ગંદી, વ્રુત્ત્તિ પણ ગંદી, ગુરુ પણ પાપિ છે તો પ્રભુ ક્યાથિ મળે.
મારી પાસે ચંડી પાઠ, ભાગવત, દેવી ભાગવત, ઉપનિષદો,જ્યોતિષના અગણ્ય પુસ્તકો, શ્રીયંત્રો, સિધ્ધીયંત્રો, બગલામુખી, સૌભાગ્યલક્ષ્મી, બીલાડીની ઓર, હથ્થાજોડી, જમણા શંખો, ડાબા શંખો, સ્ફટીક શ્રીયંત્રો, પંચધાતુ મુર્તિઓ, યંત્રો, રુદ્રાક્ષો, ૭-૧૦ તો એકમુખીથી લઈને ૧૮-૧૯ મુખોના, જે મને મારા નાના તરફથી જેમના મ્રુત્યુ પછી અપુજ્ય પડ્યા રહીને સડી રહ્યા હતા જેની પુજાવીધી બજારમાંથી ખરીદી લાવી લાવીને દરરોજ બે બે કલાક ધોવા, ટીલા કરવામાં, પુજા અને જપ અને ધ્યાન કરવામાં ગાળતો અને મારા ઘરના મને મુરખ જ કહેતા, જે ત્યારે તો મને અભિમાન જ થતુ કે મારા જેવુ કોઈ નથી પણ એ તો નર્યો ભ્રમ જ હતો. જ્યારે હુ દુકાને સામગ્રીઓ લેવા જતો ત્યારે વેચનાર નો પાપી સ્વભાવ જોઈને,ધાર્મીક સ્થાનોના, ધાર્મીક સભાઓના પાપો જોઈ જોઈને મન ખિન્ન તો થતુ જ પ્ણ ત્યારે તો હુ એ સર્વ ક્રિયાઓને ધાર્મીક ગણતો કેમ કે બીજો કોઈ માર્ગ જાણતો જ ન હતો.
પણ ભલુ થજો મારા ગોલબ્લેડરના દરદનુ જે મને પ્રથમતો શીર્ડી, પછી હરીદ્વાર પછી મથુરા, વ્રુંદાવન, જયપુર, મુંબઈ વગેરે જગ્યા અફળ ભટકાવ્યો છેવટે પ્રભુ યીશુના ચેલાઓ જોડે પ્રાર્થના કરાવી સાજો તો કર્યો જ પણ સાથે સાથે મુક્તિનો માર્ગ પણ ખરી રીતે દેખાડનારા પ્રભુ યીશુ જોડે મેળાપ કરાવ્યો. ફક્ત પ્રાર્થના અને બાઈબલના વચનોના આધારે જ હુ ૧૧ લાખના કર્જા અને ઓપરેશનના જાન લેવા ત્રાસથી બચ્યો છુ, એવા દયાળુ, માયાળુ, પવિત્ર, આખા જગતને પ્રેમ કરનાર, પોષનાર, પ્રેમી, પ્રભુ યીશુની કરોડો કરોડો જય હો…
પ્રભુ યીશુ કહે છે “મારા સિવાય પરમ પિતા પાસે લૈ જનારુ આ જગત મા બિજુ કોઇ નથિ,
કારણ બધાજ પાપિ છે, કોઇ શુધ્ધ નથિ,અને
પરમ પિતા પર્મેશ્વર જે બધાને જોઇ રહ્યો છે એને કોઇ જોઇ શકતા નથિ,
એ બધાના મન વાઁચિ શકે છે એમની ઇચ્છા કોઇ નથિ જાણી શક્તુ,
જે બધાને માપે છે એને કોઇ નથિ માપી શકતુ.
પરમેશ્વર કહે છે “આ જગતમાં કરોડોમાં કોઈ એકા’દ જ વીરલો હશે
જે સાચ્ચા મનથી મને શોધતો હશે અને મને પ્રેમ કરતો હશે
બાકી બીજા બધા તો પોતાના સ્વાર્થ માટે જ મારી પાસે આવે છે.”
“હુ પરમેશ્વર જ બધાનો “પિતા” છુ અને દરેક સજીવ વસ્તુ મેં જ ઉત્પન્ન કરી છે”
તો આપણે બધા પરમ પિતાના પુત્ર છિએ તો ભેદ્વભાવ કેમ છે?, ઉંચ નિચ કેમ છે? ભારત મા ભેદ ભાવ કેમ છે?
એ સિવાય પણ ફોરેન જાવુ છે, ત્યાનુ સિટિઝન બનવુ છે, પણ યેશુને નથિ માનવા, બ્રામ્હણોના ખોટાવેડાને ધરંમ મનાવવા છે, વણિકો સંગ્રહખોરીથી, ટેક્ષચોરીથી, મિલાવટથી, ખોટા બીલોથી, દેશને લૂટેઁ છે અને પછી મન્દિરોમા, મઠમા, આશ્ર્મોમા દાન કરે છે, ગરીબોના હક્ક લુંટે છે અને પ્રભુ યેશુ ને કોઈ માને તો તેને દેશ દ્રોહિ જાહેર કરવો છે.
મૉંઘવારિ વધે તો સરકાર્ને માથે મારે, પાપ વધે તો ઉપરર્વાળાને માથે મારે, પણ પોતે તો કોઇએ સુધર્વુજ નથિ, પરમેશ્વર ની આજ્ઞા માનવી નથી, ખોટા અભીમાનમાં ફાંકો મારવી છે, અને પરમેશ્વરનો-ઉપરવાળાનો ભય રાખવો નથી તો પછી કેવી રીતે પોતાનો અને પછી બીજાનો ઉધ્ધર કરી શકવાના?
અરે ભાઈ જરા પ્રભુથી ડરો એ બાપ જ મને-તમને બધાને જોઈ રહ્યો છે બાઈબલમાં ભક્ત રાજા ડેવિડ કહે છે કે “હે યહોવા હુ તારાથી છુપાઈને ક્યાં ભાગુ, આકાશમાં તુ છે, પાતાળમાં પણ તુ જ છે, જળ માં, પર્વત પર, પલંગ નીચે, ભોંયરામાં પણ તુ જ છે, તારાથી છુપીને હુ ક્યા ભાગુ. મારા મનના વિચારોને હુ તારાથી કેવી રીતે છુપાવુ, તુ તો સર્વવ્યાપી, સર્વશક્તિશાળી છે, તારી સાથે દુશ્મની રાખીને હુ શુ કરવાનો, માટે મારા અંતરના પાપો માટે મને માફ કર, તુ દયાળુ છે, મારા ઉપર ક્રુપા કર, કેમ કે હુ તો પાપિ જ છુ અને મને તારા અનુગ્રહથી પવિત્ર કર.’
પ્રભુ યીશુ ૨૦૦૦ વરસ પહેલા કહેલ છે
“આ શરીર પવિત્ર આત્માનુ મઁદિર છે, મારો પિતા પવિત્ર છે, માટે તમે પણ પવિત્ર બનો”, માટે તમે પણ એમનિ ૧૦ આગ્યા માનો
(૧) માતા-પિતાની ઇજ્જત કરો,
(૨) પરમેશ્વર પિતાને જ માથુ નમાવો બિજા કોઇને નહિ,
(૩) મુર્તિપુજા ના કરો
(૪) પાડોશીને પોતાના સમાન પ્રેમ કરો,
(૫) ખૂન ના કરો (ત્રાસ ના આપો)
(૬) કોઇનો હક્ક ના છીનવો
(૭) વ્યભિચાર ના કરો
(૮) બીજાની હ્દ માં પોતની હ્દ ના વધારો
(૯) પોતાના મનની ઈચ્છા ને મારી ને આત્માની ઈચ્છા ને માનો
(૧૦) જે કાંઇ પણ કરો, પિતાની ઇચ્છા પુરી કરો ………….
ગરીબોના, લુલા–લંગડાના, બીમારોના, લાચારોના, નિરાધારોના, વિધવાઓના, એકલાઓનો, નિઃસ્વર્થ સાથી બનો અને દરેક જણ પરમેશ્વરનુ સંતાન છે એમ સમજીને એને સહાય કરશો અને આટ્લુ ખરા મનથી કરશો તો પિતા ની નજર જે ધરમી અને પાપી બન્નેને જુએ છે, પોતાના સંતાનોની તમે સંભાળ લીધી એટલે રાજી થશે અને તમારા પરોપકારર્ના કામમા બરકત આપશે અને પિતાએ જે તમારી તરફથી મુખ ફેરવી લીધુ હતુ, તમારી દેખભાળ, આવતા-જાતા, ઉઠ્તા-બેસ્તા, સુતા-જાગતા કરશે, અને સ્રુશ્ટીના અંત સુધી કરશે અને તમારી સાથે રહેશે અને તમને નશ્ટ નહિ થવા દે.
અને તમારો શત્રુ જે શૈતાન છે, જે તમારી બરર્કત, શાંતિ, કિર્તિ, તન્દુરસ્તી ને ખાઇ જાય છે એને મારી ભગાડ્શે જે એક માર્ગેથી આવે છે સાત માર્ગોથી ભાગી જાશે..અને જો કોઇ પણ ગન્દા વિચારો, જે દુશ્ટાત્મા બનીને મનમા, પછી શરીરમા, પછી ઘરમાં, કુટુંબમાં-કુળમાં, સમાજમા, ગામમા, જિલ્લામા, રાજ્યમાં,દેશમાં, દુનિયામાં પ્રસરીને લોકોને નરક માં લઈ જાય છે, અને પરમપિતાને દુઃખ આપે છે.
એટ્લે તો કહેવત પડી કે “ઉપરવાળો, મનુશ્ય બનાવીને ખુબજ પસ્તાય છે, કારણ મનુશ્ય પિતાનુ નહિ પણ પિતાના શત્રુનુ જ (શેતાનનુ જે લોભ લાલચ, ટંટા ફસાદ ક્રરાવનાર છે) માને છે.
(ખાલી મન શેતાન નુ ઘર, નીઠારી કાંડ્ને યાદ કરો) માટે વિચારો, તમારુ મંદિર અભડાયુ તો નથીને? વિચારોથી, કામોથી, ઈર્ષ્યાથી, કપટથી, ભેદભાવથી, વ્યભિચારથી, દુષ્ટતાથી, વ.વ. કારણ કે ખોટુ કરનાર નરકનો ભાગીદાર છે, સ્વર્ગનો નહિ, અને હુ તમને આ વંચાવીને તમને બચાવી રહ્યો છુ, બાકી માનો ના માનો તમારી મરજી, હવે સત્યકથા વાંચો….
ત્યારે આઠવાડિયાને પહેલે (દહાડે) મળસ્કે અંધારું હતું એવામાં મગ્દલાની મરિયમ કબર આગળ આવી, ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે દીઠો. ત્યારે તે દોડીને સિમોન પિટરની પાસે તથા બીજો શિષ્ય, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતો, તેની પાસે જઈને કહે છે કે, તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધા છે, અને તેઓએ તેને કયાં મૂકયો છે તે અમે જાણતાં નથી. (જ્હોન 20:3) તેથી પિટર તથા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. (જ્હોન 20:4) તે બન્ને સાથે દોડયા; પણ પોલો બીજો શિષ્ય પિટરને પાછળ મૂકીને કબર આગળ પહેતો પહોચ્યો. (જ્હોન 20:5) તેણે નીચા વળીને અંદર જોયું તો શણનાં લૂગડા પડેલાં દીઠાં; તોપણ તે અંદર (ડરથી) ગયો નહિ. (જ્હોન 20:6) ત્યારે શમોન પિટર ત્યાં આવી પહોંચ્યો અને અંદર ગયો અને (પ્રભુ યેશુના) કપડા પડેલા જોયા (જ્હોન 20:7) જે રૂમાલ તેના માથા પર બાધેલો હતો, તે શણનાં લૂગડાંની જોડે પડેલો નહોતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. (જ્હોન 20:8) પછી બીજો શિષ્ય કે જે કબર આગળ પહેલો આવ્યો હતો, તેણે માંહે જઈને જોયું, ને વિશ્વાસ કર્યો. (જ્હોન 20:9) કેમ કે, તેણે મરી ગયોલાંઓમાંથી પાછા જીવીત ઊઠવું જોઈએ, એ શાસ્ત્રવચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા. (જ્હોન 20:10) ત્યારે (પછી) શિષ્યો પાછા પોતાને ઘેર ગયા. (જ્હોન 20:11) પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી; તે રડતાં રડતાં નીચી નમીને કબરમાં ડોકિયાં કર્યા કરતી હતી; (જ્હોન 20:12) અને જયાં ઈસુનું મુડદું મૂકવામાં આવ્યું હતું, ત્યાં ઊજળાં લૂગડાં પહેરલા બે (સ્વર્ગ) દૂતને, એકને ઓસીકે, ને બીજાને પાંગતે, બેઠેલા તેણે જોયા. (જ્હોન 20:13) તેઓ તેને પૂછે કે, બાઈ, તું કેમ રડે છે? તે તેઓને કહે છે કે, તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેઓએ તેને કયાં મૂકયો છે તે હું જાણતી નથી, માટે (હું રડું છું).
જ્હો ન (20:14) એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઊભલો જોયો; પણ એ ઈસુ છે, એમ તેણે જાણયું નહિ.(જ્હોન 20:15) ઈસુ તેને કહે છે કે, બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે (બગીચાનો) માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, સાહેબ, જો તેં તેને અહીંથી ઉઠાવી લીધો હોય, તો તેં તેને કયાં મૂકયો છે એ મને કહે, એટલે હું તેને લઈ જઈશ. (જ્હોન 20:16) ઈસુ તેને કહે છે કે, મરિયમ. અને તે (આશ્ચર્યથી) ફરીને તેને હિબ્રૂ ભાશામાં કહે છે કે, રાબ્બોની। (એટલે ગુરુજી.) (જ્હોન 20:17) ઈસુ તેને કહે છે કે, “હજી સુધી હું બાપ પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, જે મારો બાપ તથા તમારો બાપ, અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચઢી જાઉં છું.”
(જ્હોન 20:18) મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને ખબર આપી કે, મેં પ્રભુને જોયો છે, અને તેણે મને એ વાતો કહી છે. (જોન 20:19) ત્યારે તે જ દહાડે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે, સાંજ પડયે શિષ્યો જયાં (એકઠા થયા) હતા, ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યાં હતાં, ત્યારે ઈસુ આવ્યા અને (તેઓની) વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે, તમને શાંતિ થાઓ. (જોન 20:20)એમ કહીને તેણે પોતાના હાથ તથા ફૂબ તેઓને દેખાડયાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. (જોન 20:21) તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે, તમને શાંતિ થાઓ; જેમ બાપે મને મોકલ્યો છે, તેમ હું તમને મોકલું છું. (જોન 20:22) એમ કહીને તેણે તેઓના પર શ્વાસ (ફુંક) નાખ્યો, અને તે તેઓને કહે છે કે, તમે પવિત્ર આત્મા પામો.
(જોન 20:23) જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓનાં (પાપ) માફ કરવામાં આવે છે; અને જેઓનાં પાપ તમે કાયમ રાખો છો; તેઓનાં (પાપ) કાયમ રહે છે. (જોન 20:24) પણ ઈસુ આવ્યો ત્યારે થોમા, બારમાંનો, એક જે દિદુમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. (જ્હોન 20:25) તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, અમે પ્રભુને જોયો છે. પણ તેણે તેઓને કહ્યું કે, તેના હાથમાં ખીલાઓના છેદ જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના છેદમાં મૂકયા વિના તથા તેની કૂબમાં મારો હાથ ઘાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. (જોન 20:26) આઠ દહાડા પછી ફરીથી તેના શિષ્યો (ઘર) માં હતા; થોમા પણ તેઓની સાથે હતો; ત્યારે બારણા બંધ હતા છતાં, ઈસુએ (આરપાર) આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે, તમને શાંતિ થાઓ. (જ્હોન 20:27) અને ઈસુએ થોમાને કહ્યુ તારી આંગળી મારા પિંજરમાં નાખીને અવિશ્વાસી નહિ પણ વિશ્વાસી બન.
(જ્હોન 20:28) થોમાએ ઉત્તર આપ્યો કે, મારા પ્રભુ અને મારા પરમેશ્વર. (જ્હોન 20:29) ઈસુ તેને કહે છે કે,”તેં મને જોયા, પછી વિશ્વાસ કર્યો છે; (પણ) જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે.”
(જ્હોન 20:30) ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે, જે (નું વર્ણન) આ પુસ્તકમાં કરેલું નથી (જે લખવા બેસે તો આખુ જગત ભરાય જાય એટલા ચમત્કારો કર્યા છે). (જ્હોન 20:31) પણ ઈસુ તે જ ખ્રિસ્ત, દેવનો દીકરો છે, એવો તમે વિશ્વાસ કરો; અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.
(આ સત્ય હકીક્ત, ૨૦૧૦ વરસ પુરાની છે મન ના મેળ નથી, અને હુ પણ પ્રભુ યેશુજીને નો’તો જાણતો કે માનતો પણ હવે એમેનેજ માનુ છુ, અમારા ખાનદાનમાંથી, જાતિમાંથી સૌથી પહેલો પ્રભુ યેસુને અપનાવનારો, રાજેશ પડાયા, ૪૬ વરસ, મુમ્બઈનો,જન્મેલો, નવજુવાન બુઢો છુ, ૩ વરસ પહેલા હુ પણ આત્મિક રીતે ભટ્કેલ હતો, બહુજ પુજા-પાઠ કરનારો, બન્ને નવરાત્રિ, સ્રાવણમાસ, ભાદરવો, બધાજ સોમ, મંગલ, ગુરુ, શનિવાર કરનારો, તંત્ર-મંત્ર જાણનારો, અંધકાર માં ઠેબા ખાતો હતો, પણ હવે મારી આંખો ખુલી ગઈ છે, તમે પણ ઠેબા ના ખાઓ, કારણ કે કર્મ-કાંડ ખોટો છે, મંત્ર-તંત્ર તદ્દન જ ખોટા, ઘરમાં અશાંતિ લાવનાર છે, મન મેલુ હશે તો મેલો દેવ જ પામશો જે નરક્માં લઈ જવા માટે નારકીય કામ કરાવશે, (જરા તમારી અંદર પોતાના આત્માને જ પુછોને) માટે પ્રભુ યેશુજી કહે છે કે પ્રાયશ્ચીત કરો, છાતિ કુટો, પોતાના, પાડોશિના, સમાજના, દેશના, દુનિયાના પાપો માંટે, એમની પણ આત્મિક આંખ ખુલે. ખુબ જ સરસ, હવે મોટેથી કહો, હે સ્વર્ગના પિતા, હુ પ્રભુ યેસુ ના નામથી તમારા સિંહાસન પાસે આવુ છુ અને જેમ તમે વચન આપ્યુ છે કે “જો કોઈ મનુશ્ય પોતના મન-વચનથી યેસુજી ને પ્રભુ માનીને કહે કે
પરમપિતાએ યેસુજિને મરેલા માંથી જીવીત કર્યા છે તો એ પોતે નિશ્ચય ઉધ્ધાર પામશે, એટ્લે કે જેમ લોકો જિવતે જીવતા મરેલા જેવા છે અને મર્યા પછિ નરક જ પામશે (અને નરકજ પામે છે), એ જીવતે જીવતા, મરેલો નહિ પણ જીવતે જીવતા જીવિત રહેશે અને દેહ છોડ્યા પછી પણ મરશે નહિ સર્વ પાપોથી મુક્ત રહેશે અને પરમપિતા પાસે અનંત જીવન પામશે અને સ્વર્ગદુત બનીને પરમપિતાની અખંડ સ્તુતિ કરતો રહેશે અને એનુ આખુ ખાનદાન પણ ઉધ્ધાર પામશે અને સમાજ માટે અભીશાપ નહી પણ આશીશ જ બનશે, કોઇ જાદુ ટોન, મંત્ર તંત્ર, બીમારી, ચોર, છ્લ, કપટ, અને નરક ના બધા દેવી-દેવતા કે એની શક્તી, પ્રભુ યેશુજી ને માનનાર્ને કે પછી એના ઘરના લોકોને છુવાનુ તો શુ, જોઇ પણ નહિ શકે, કારણ સ્વર્ગ અને પ્રુથ્વીની બધી જ શક્તિ યેશુજી ની આગળ માથુ નમાવે એવો પરમાત્મા નો હુકમ છે………
ખુબ જ સરસ, જે કોઈ પણ બીમાર હોય એ બીમારીની જગ્યા પર હાથ રાખીને, પરેશાન હોય એ પરેશાનીને યાદ કરીને ઉંચેથી કહે,
“હે સ્વર્ગના પિતા, હુ પ્રભુ યેસુ ના નામથી તમારા સિંહાસન પાસે આવુ છુ અને જેમ તમે વચન આપ્યુ છે કે “જો કોઈ મનુશ્ય પોતના મન-વચનથી યેસુજી ને પ્રભુ માનીને અન્ગિકાર કરે કે પરમપિતાએ યેસુજિને મરેલા માંથી જીવીત કર્યા છે તો એ પોતે નિશ્ચય ઉધ્ધાર પામશે, એટ્લે કે જેમ લોકો જિવતે જીવતા મરેલા જેવા છે અને મર્યા પછિ નરક જ પામશે (અને નરકજ પામે છે), એ જીવતે જીવતા, મરેલો નહિ પણ જીવતે જીવતા જીવિત રહેશે અને દેહ છોડ્યા પછી પણ મરશે નહિ સર્વ પાપોથી મુક્ત રહેશે અને પરમપિતા પાસે અનંત જીવન પામશે અને સ્વર્ગદુત બનીને પરમપિતાની અખંડ સ્તુતિ કરતો રહેશે અને એનુ આખુ ખાનદાન પણ ઉધ્ધાર પામશે અને સમાજ માટે અભીશાપ નહી પણ આશીશ જ બનશે, કોઇ જાદુ ટોન, મંત્ર તંત્ર, બીમારી, ચોર, છ્લ, કપટ, અને નરક ના બધા દેવી-દેવતા કે એની શક્તી, પ્રભુ યેશુજી ને માનનાર્ને કે પછી એના ઘરના લોકોને છુવાનુ તો શુ, જોઇ પણ નહિ શકે, કારણ સ્વર્ગ અને પ્રુથ્વીની બધી જ શક્તિ યેશુજી ની આગળ માથુ નમાવે એવો હુકમ છે”
પરમાત્મા નો હુકમ છે………આમીન (તથાસ્તુ) યીશુનો જન્મ ,આ વાંચો, Enter my Chat Room મારો બેટો
This page has the following sub pages.
રાજેશભાઇ તમારુ મારા જીવનમાં સ્વાગત છે.
તમારું ખોળીયુ સડેલુ નથી, તેમાં ૫રમાત્માનો શ્વાસ છે.
તમે અને હું ઋણાનુબંઘથી બંઘાયેલા છીએ,
હું એજ છું જેનો મૃત્યુનો દાવો થઇ રહયો છે કારણ્ કે મારુ જીવન છે
તમે મારુ જીવન તો નથી ૫ણ્ શ્વાસ તો છો જ
કારણ કે તમારા શ્વાસ વાત્તાવરણ માંથી મારા શ્વાસમા આવે છે
તમે કહ્યુ છે કે કોઇક કામ હોય તો કહેજો,
તમારી પ્રાર્થના અને આશીર્વાદ મારા મારી જીવન છે.
થેન્ક્યુ, મારે હવે ૮૪ લાખ ફેરાની ચકડોળમાં નથી ચકરવુ, તમે, ભુરીયા ભાઈ અને વોરા સાહેબ, બધા મળીને પરમાત્માના ગુણ ગાઈએ, જય જગદાધાર જય યીશુ….
મીત્ર રાજેન્દ્ર પડાયા, હીન્દુઓમાંથી જૈન અને બૌદ્ધ થયા. ઈસ્લામના ઉદય પહેલાં મક્કા મદીનામાં મુર્તી પુજા હતી.
ટુંકમાં ઘેટાઓ એક વાડામાંથી બીજા વાડામાં ગયા. એક ભરવાડ ને બદલે એનો ભાઈ બીજો ભરવાડ આવ્યો.
ડાંગ બને પાસે સરખી હતી. વધારાનું ઉન કાતરવા કાતર પણ સરખી જ. આ ભરવાડમાં યેશુ કે ઈશુ પણ આવી જાય.
ભરવાડને ખબર છે ઘેટાઓ જઈ જઈ ક્યાં જશે?
આ જગતનો કયો ભરવાડ સાચો છે, મહાન છે, જેણે આ જગત સર્જ્યુ છે અને એના પર રાજ કરે છે એ મને સમજાવશો પ્લીઝ?
http://rutmandal.info/parimiti/2009/12/23/naataal/
http://www.stephen-knapp.com/why_be_a_hindu_booklet.htm
શુ યાર, તમે પણ, મને ફરીથી, ESCON TEMPLE પ્રોમોષ્નલ સાઈટ દેખાડી. જો કે આ લોકો ખુબજ સરસ લોકો છે, ભવ્ય મંદિર હોય છે, જે અમારે ત્યાં દિલ્લીમાં, મુંબઈમાં જુહુ ચોપાટી પર પણ છે અમે ગયેલા છિએ, જ્યારે હુ ક્રુષ્ણને માનતો હતો, પણ હવે એ મારા કામનુ નથી રહ્યુ કેમ કે રામ લોક કે ક્રુષ્ણ લોકમાં જવા કરતા હુ આકાશવાણી કરનારા પરમપિતા પરમેશ્વરમાં જ એકાકાર બની જવાનુ પસંદ કરુ છુ, કેમ કે આ ધરતી, આકાશ, એ સર્વ અને આખેથી દેખાતી અને નહિ દેખાતી સર્વ વસ્તુઓના સર્જક પરમ્પિતા પરમેશ્વર જ તો છે જે તમને મને અને અન્ય સહુને જીવાડે, રક્ષા કરનાર, વધારનાર, અને અન્ય સર્વ જરુરિયાતો પુરી પાડનાર છે. તમે જ મને કહો જોઉ બીજુ કોણ છે આ સર્વ કરનાર. તમે જેને માનો છે એ તો એ આકાશવાણી કરનારા પરમ્પિતાના મોકલેલ છે જેને આપણે ભુલથી પરમેશ્વર માનીને પરમપિતાનુ અપમાન કરીએ છીએ. જેવી રીતે પવન, જળ, વિજળી, સુરજ, ચાંદ, તારાઓ, અને અન્ય ઘણા.. એ શક્તિઓ તો છે જ પણ કંઈ સંપુર્ણ શક્તિ નથી. ગોરખપુરપ્રેસની ગીતા જે મે રૂ. ૧૦/- માં ખરીદેલી, એની પ્રસ્તાવાનામાં કે મહત્વમાં એવુ લખ્યુ છે કે ઃ
વિષ્ણુ શેષનાગ પર સુઈ રહ્યા હતા અને લક્ષ્મી પગ ચાંપી રહ્યા હતા, એવામાં લક્ષ્મીને થયુ કે આ તો જગના સ્વામિ અને આખા જગતના માલિક છે અને સુતા રહે એ સારુ ના કહેવાય એમણે તો જગતનો લ્હાવો લેવો જાઈએ અને જગતનુ ધ્યાન રાખવુ જોઈએ. આ વાત વિષ્ણુએ પોતાના અંતરમાં જાણી લીધી અને લક્ષ્મીને કહ્યુ હે સ્ત્રી, મુરખ જેવા વિચાર ના કર, હુ કાંઈ નિંદર નથી માણી રહ્યો હુ તો આ જગતના સાચા પિતા જોડે સંવાદ સાંધીને જ સર્વ સામર્થનુ રસ પાન કરી રહ્યો છુ, લક્ષ્મીએ કહ્યુ, હે? તમારાથી પણ મહાન બીજુ કોઈ છે? વિષ્ણ્યુ કહે એ જ તો છે પરમ્પિતા, શીવના પણ પિતા, એમનથી તો હુ સામર્થ પામુ છુ અને જગતનુ પાલન કરુ છુ. એને કોઈ જોઈ નથી શક્તુ, નથી આડી શકતુ, એનો કોઈ આકાર નથીએ, નથી કોઈ રુપ, નથી સુગંધ, કે રંગ, એને કોઈ બાળી શકે નહિ, ના ભીંજવી શકે, ના સ્વચ્છ કરી શકે ના ગંદા. એ જ તો આ જગતનો પ્રકાશ છે, એનાથી જ આ જગત પ્રકાશિત છે. અમે તો એના દાસ છીએ. લક્ષ્મીએ કહ્યુ તમારાથી પણ કોઈ મહાન છે? એ શક્તિ વિશે મને વધુ જણાવો. અને બસ એ શક્તિનુ વર્ણન કરવા ગીતાની રચના મહર્ષિ વેદ વ્યાસજીએ કરી.
આ મારા શબ્દો નથી, એ ગીતાના મહાત્મય અથવા તો પરિશિષ્ટ કે એવુ કાંઈક છે એના શબ્દો મે જેવા યાદ આવ્યા એવા જ ઉતાર્યા છે અને એ ગીતાની આજે મને જરુર પડી, જે મે વરસો અગાઉ રદ્દીમાં ફેંકી દિધી. ભાઈ એટલે જ કહુ છુ, કે વેદવ્યાસે જ આવી રીતે બધી વાતો જગતને પધરાવી છે અને એમાં હુ પણ આવી ગયો હતો. મારા નાના, દાદા-દાદી, માસી મામા, કાકા ફઈ જે આજે પણ કુંવારા છે અને ભેખ લઈને ખોડિયાર મંદિર ચલાવે છે, એ બધાને હુ સમજાવુ જ છુ કે એ પરમપિતાનુ ભજન કરો કેમ કે આપણે એમની પાસે જ જવાનુ છે, નહિ કોઈ બીજા પાસે, તો પછી હુ ધ્યાન કરુ, કે કુંડળીને જગાડુ, એ બધા જબરજસ્તીના કામો થયા, જે પરમેશ્વરની ઉપર જોર જબસ્તી થઈ કહેવાય એના કરતા તો કોઈ બીમાર, ગરીબ, કે જરુરિયાત માટે રડવુ, કરગરવુ અને પ્રાર્થના કરવી એ વધુ સારુ છે, અને એ જ તો પરમ્પિતા ચાહે છે. એ નથી કહેતાકે કુંડલીની જગાડો કે મંત્રો જપો, કે યજ્ઞો કરો, એતો કહે છે પોતાના આત્માને શુધ્ધ રાખો, બીજાને પ્રેમ કરો, ભટકેલાઓને માર્ગ ચિંધો, પાપથી ઝકડાયેલાઓને છોડાવો, અને દુષ્ટાત્માઓને કાઢી મુકો. જે પરમેશ્વરની ઈચ્છા છે, જેને પરમેષ્વર મારા તમારા દ્વારા જ કરવા માંગે છે. પણ આ શૈતાન જ વચ્ચે આવીને આપણા ભાઈઓને લુંટી લઈને પિતાથી અળગા કરી નાખે છે……જાગો ચિરાગ ભાઈ જાગો, જગતનો સાચો ચિરાગ બનો…પ્રભુના ધન્યવાદ કરો કે આજે મને આ લ્હાવો મળ્યો કે તમારી સામે મે પરમપિતાને રજુ તો કર્યા….
🙂 રાજેશભાઈ, તમે ભારતીય શાસ્ત્રોને જાણ્યા કે સમજ્યા નથી લાગતા. તમે શંકરાચાર્યની અદ્વૈત પરમ્પરા કે રામાનુજાચાર્યની વીશીષ્ટાદ્વૈત પરમ્પરાને સમજ્યા નથી એટલે આવું બોલો છો.
પરબ્રહ્મ કે પરાશક્તી એ નીર્વીકાર, નીરાકાર અને આપણી મર્યાદાઓની બહારની વસ્તુ છે. આપણે બધાં એની અન્દર છીએ કે એ આપણી અન્દર છે. કોઈ ભેદ નથી. જેમ દુધ કે એની સફેદી જુદા નથી, એમ પરબ્રહ્મ કે એની શક્તી જુદા નથી. એ સ્ત્રી પણ નથી કે પુરુષ પણ નથી. એ બધી આપણી મર્યાદાની વાત થઈ. એને જ્યારે નાટકની ઈચ્છા થઈ ત્યારે શુન્યમાંથી બે હાથવાળા કૃષ્ણની રચના થઈ. તેમના ડાબે પડખેથી રાધા જન્મ્યા. તે બેમાંથી વીરાટપુરુષ ઉત્પન્ન થયા અને વીરાટપુરુષના રોમેરોમમાં બ્રહ્માંડનો જન્મ થયા. દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ અને શીવની ઉત્પત્તી થઈ. એટલે વિષ્ણુ વીરાટપુરુષનું ધ્યાન ધરે છે.
આપણી ભક્તીથી અનંતસાગરમાં બરફની ઘનતા જેવું સાકાર સ્વરુપ જણાય છે, જ્યારે જ્ઞાનનો ઉદય થાય ત્યારે એ બરફ પીગળી પાછું મુળ શુન્ય/નીરાકાર સ્વરુપને સમજી શકાય છે. જો કે બન્ને સાચા જ છે. પદાર્થ કે એની શક્તી બન્ને એક જ છે અને એક જ મુળભુત અભીવ્યક્તી છે. આપણી અજ્ઞાનતાથી એ બન્ને અલગ જણાય છે.
તમે જેને પરમપીતા કહો છો એને હું પરમેશ્વરી કહું છું. પીતા કે માતા કહેવું એ આપણી મનુષ્યત્વની મર્યાદા છે. જ્યારે જીવ શીવમાં ભળે છે ત્યારે જે પરબ્રહ્મની અનુભુતી થાય છે તેને કોઈ શબ્દોથી આજસુધી કોઈ વર્ણવી શક્યું નથી. ૐ તત સત.
બધુ જ વાંચીને સમજીને જ કરુ છુ, પ્રિય ભાઈ, આજે ૪૭ વરસ થઈ ગયા છે, ૪૨ વરસ સુધી એ જ તો કર્યુ છે, મારા લાડલા ભાઈ, શુ કહુ તમને? વિવેકચુડામણી પ્રથમ અધ્યાય સ્લોક ૬ જરા વાંચીને મને જરા ફોડ પાડી આપોને સાહેબ, ગીતા અધ્યાય ૯.૨૫ વંચો, એમા જે મમ કહ્યુ છે એ મમ એ કાળ છે છે ક્રુષ્ણ કે પરમાત્મા નહિ કેમ કે જ્યારે ભિષ્મના મુત્યુ પછી જ્યારે યુધિષ્ઠીરે તેમને ફરીથી ગીતાનુ જ્ઞાન આપવા કહ્ય હતુ ત્યારે તેંમણે અસામર્થતા વર્ણવી હતી
વાહ આજ તો હુ ચાહુ છુ કે તમે એ જ આકાશવાણી કરનારી શક્તિ જે નિરાકાર, અવર્ણનીય, અશબ્દીય છે અને એને અજ્ઞાનતાથી લોકો ૐ કહે છે, એને મહત્વ આપો એને ભજો, ચાહો અને એજ શક્તિ મારા-તમારા અને સહુના જડ શરીર અને, જગતમાં વ્યાપ્ત સર્વ જડ વસ્તુઓને જીવન આપનારી નીરાકાર શકિત એ જ પરમેશ્વર છે, જેની આરાધના કરવાનુ પ્રભુ ઈશુ કહે છે, અને એ પિતા છે માતા નહિ. પિતા પોષે અને રક્ષા કરે છે જ્યારે આ જડ વસ્તુઓ જ માતા છે, એ જડ માતા ઉપર જ્યારે પરમ પિતા પરમેશ્વર આશિષનો વર્ષાવ કરે છે ત્યારે એ ફળ આપવાને યોગ્ય બને છે જે મારા-તમારા જડ શરીરને જીવન આપે છે અને એ શરીરમાં અજ્ઞાનતાનો સૈતાન બેસીને અવનવી રીતો શોધીને લૌકીક અને અલૌકીક વિજ્ઞાન કહી લોકોને ભરમાવી મારીને નિરાકાર પિતાથી અળગા કરી ભટકાવી મારીને ૮૪ લાખના ફેરા ફેરવતી ચકડોળમાં ફરવા મજબુર કરે છે. માટે જ કહુ છુ પિતાની આરાધના કરો અને બાકી સર્વ પ્રકારની માતાઓને છોડો જે નશ્વર છે અને એને પિતા જ જીવન અને મહિમા પ્રદાન કરે છે. હજુ પણ ઉંડાણમાં જાઓ, અંતે તો તમારો પ્રયાસ પરમપિતામાં એકરસ થઈ જનાર પરમ આત્મા બની જવાનુ જ છે નહિ કે કોઈ નશ્વર દેવી કે દેવતા લોકમાં ભટકનાર મુઢાત્મા. જે તમારા ગુરુ છે એ તમને સાચ્ચો માર્ગ નહિ બતાવી શકે, તમે જે સ્વપ્ન જુઓ છો એ તમને મોક્ષ નહિ અપાવી શકે, તમે જે કહો છો એને તમારા અંતરાત્માને જ પુછી જુઓ, હુ ફક્ત એક જ પરમાત્માની વાતો તમારી સાથેના સંવાદમાં રજુ કર્યા છે જ્યારે તમે હજુ પણ એ એકજ તત્વ સુધી પહોચવા ઘણા લોકોનો સાથ લઈ રહ્યા છો, ભલે છતાંપણ અંતે તમારો ઉધ્ધાર તો થવાનો જ કેમ કે આજે આપણે કમસે કમ આપણા પિતાની સામર્થ પર ચર્ચા તો કરી ને એમને આપણા મનમાં તો જીવીત કર્યા, પણ સરસ, ખુબ જ સરસ ચર્ચા થઈ રહિ છે, તમે મને શીખવો જે હુ તમને પાછુ સોંપુ એ આપ લે કરવામાં જ તો આપણી બન્નેની જીત થઈ રહિ છે ને…બસ ચર્ચા કરતા જ રહેજો અને મને લખતા રહેજો, હુ તમને ચોક્ખા હ્રદય થી પ્રેમ કરુ છુ, તમે પણ કરતા જ હશો….
રાજેશભાઈ હજી તમે હું જે કહેવા માંગુ છું એ સમજ્યા નથી. ખેર, તમે જે રસ્તે જાઓ છો એ તમારો પોતાનો છે, તમે કોઈ બીજાને એ માટે ફરજ ના પાડી શકો કે એ જ સાચો છે એવું કહી ના શકો. હીન્દુ અને ખ્રીસ્તી/મુસ્લીમ વીચારસરણીમાં આ જ એક પાયાનો ભેદ છે. ખ્રીસ્તી/મુસ્લીમ વીચારને અપનાવનાર એમ જ માને છે મારો રસ્તો જ સાચો છે, બાકી બધો ખોટો અને બીજાએ એમાંથી બહાર આવવાનું છે. માફ કરજો, તમારો રસ્તો તમને મુબારક. મારો મને મુબારક. ૐ તત સત.
બાઈબલના ઉપદેશ પતંજલિના અષ્ટાંગ યોગના પ્રથમ બે અંગની (યમ, નિયમ) જ સમજુતી છે. ત્યાં એ અટકી જાય છે. કુરાન (જો કે વ્યવસ્થીત અભ્યાસ મેં હજી નથી કર્યો) ત્રણ અંગ (યમ, નિયમ, આસન) આગળ આવીને અટકી જાય છે.
અને એટલે લોકો આઠ અંગ વાળા અષ્ટાંગ યોગને પસંદ નથી કરતા, કેમ કે એ કરનારાઓને લોકો જુવે છે અને એમના લક્ષણોને અનુભવે પણ છે ઍટલે જ્ તો તમે દર્શાવેલા બે જ અંગોમાં ઉધ્ધાર થઈ જતો હોય, મોક્ષ મળી જતો હોય તો આઠ અંગો જે સમજાતા ન હોય એ તો કોઈ અભણ ગામડીઓ ક્યાથી સમજે…..બિચારો અમે સાચુ માનજો આ અષ્ટાંગ યોગ શિખનારા ધનવાનો જ હોય છે કોઈ ગરીબ નહિ…એમ કેમ?
🙂 તમે સાચા શીખવનાર અને શીખનારની ભેળસેળ કરો છો. જે બાબત તમારી માન્યતાને લાગુ પડે એ અહીં પણ લાગુ ના પડે? તમે પોપ અને અમેરીકા વીશે જે કહો છો એ સન્દર્ભની વાત કરું છું.
આપની દ્ર્ષ્ટીએ સાચા શીખવનાર કોણ છે આ જગતમાં? અને સાથે સાથે સાચુ શીખનાર પણ કોણ છે એ પણ બની કહી જણાવો, પ્લીઝ…
હું તમારી દરેક કોમેંટના પ્રતીતર્કમાં ઉદાહરણો આપી શકુ એમ છું.
પણ,
એમ કરવાથી તમે કે હું આપણો મત બદલવાના નથી.
તર્ક-વીતર્ક ચાલ્યા જ કરવાના. આપણી દરેક ચર્ચાનો નીચોડરુપ એક જ વાક્ય કહીશ:
તમે માત્ર યહોવાને પરમપીતા અને ખ્રીસ્તી ધર્મને જ સાચો ધર્મ માનશો અને બીજા પાસે એવું માનવાનો આગ્રહ રાખશો તો મને ચર્ચા ચાલુ રાખવામાં કોઈ રસ નથી, મારી પાસે તમારી દરેક બાબતોના જવાબ હોવા છતાં.
તમે સ્વામી વિવેકાનન્દના લખાણોનો અભ્યાસ કરી જુઓ કે રામકૃષ્ણ પરમહંસના જીવનનો અભ્યાસ કરી જુઓ. માત્ર અને માત્ર અભ્યાસુની જીજ્ઞાસાવૃત્તી રાખીને…
વ્હાલા ભઈલા….. આ પ્રેમ ભર્યા તર્ક વિતર્કો બંધ થઈ જશે તો પ્રભુનો પ્રેમ પ્રવાહ પણ તો બંધ થઈ જશે, આપના પ્રત્યેક તર્ક-ઉદાહરણો મને પ્રભુની વધુ ઉંડાણમાં લઈ જશે અને આપને મા ના ઉંડાણમાં, અને હુ એજ ચાહુ છો, માટે આવવા દો આપના પ્રેમને હુ પ્રભુ યીશુની જોડે ખાળી લઈશ…પણ તર્ક વિતર્ક બંધ ના થવા જોઈએ……વ્હાલા ભઈલા…..
ચેતનભાઈ, આપણે મોક્ષ કેવી રેતે પામી શકીએ ? નિખાલસ ચર્ચા કરીએ, પ્લીઝ,…..
ભાઈશ્રી રાજેશ
આપ મારાં બ્લોગની મુલાકાત લેતા રહો છો તે જાણા આનંદ થયો. આપે આપના બ્લોગની મુલાકાત માટે નિમંત્રણ પાઠવી મારો મત જણાવવા કહ્યું તે મારા અહોભાગ્ય ગણું છું. મારો મત આપતા પહેલા એક પ્રામાણિક અને નિખાલસ કબુલાત કરી આપને જણાવું છું કે મેં આપના જેટલા કોઈ પુસ્તકો વાંચ્યા નથી. અલબત્ત મને વાચનનો શોખ છે વાંચ્યા કરું છું અને મારા વિચારોમાં અનુભવ થતા રહે તેમ પરિવર્તન પણ કરતો રહું છું. કોઈ પણ વિચાર કે પુસ્તક કે કોઈ પણ સાધુ-સ્વામી-ગુરૂ-મહંત-મૌલાવી કે પાદરીના કથનોથી પ્રભાવિત થતો નથી. હું અમુક નિશ્ચિત માન્યતા કે વલણનો કેદી નથી મને મારું મન ખુલ્લુ અને ઉદાર રાખવાની આદત છે. ક્યારે ય મારા વિચારો ( PRE CONDITIOND ) ના બને તેની કાળજી રાખું છું. સમયના તકાજા સાથે સતત પરિવર્તનશીલ રહેવાની જીવન શૈલી મેં અપનાવી છે. મેં શાસ્ત્રો કે પુરાણો વાંચ્યા નથી. અલબત્ત ગીતા અને ભાગવત મારાં શાળાના દિવસો દરમિયાન વાંચ્યા છે. મહાભારત અને રામાયણ સંક્ષિપ્તમાં વાંચ્યા છે અને આ બંને ગ્રંથો મને અદભુત લાગ્યા છે. મહાભારતમાં વ્યક્તિના જીવન દરમિયાન જે કોઈ સમસ્યા કે પ્રશ્નો ઉપસ્થિત થાય તો તમામ સમસ્યા અને પ્રશ્નોનું નિરાકરણ મળી રહે છે. કૃષ્ણ જેવું ચારિત્ર્ય દુનિયાના કોઈ પણ સાહિત્યમાં હોય તેવું હું માનતો નથી. કૃષ્ણ થઈ ગયા કે નહિ તે વિવાદમાં મને રસ નથી. મને તે એક કાલ્પનીક પાત્ર હોય તો પણ ખૂબ જ પસંદ છે. વળી રામાયણ અને મહાભારત બંને જાણે એક બીજાના અંતિમો હોય તેવું જણાય છે. રામાયણ ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ રાજગાદી જતી કરી શકે તો મહાભારતમાં રાજ ગાદી મેળવવા તમામ છળ-કપટનો ઉપયોગ વર્જ્ય ના ગણાય ! મેં બાઈબલ કે કુરાન વાંચ્યા નથી એટલે તે વિષે કશું કહી શકું તેમ નથી.
આપનો પરિચય અને આપના બે ક લેખ વાંચી મારા ઉપર એવી છાપ પડી છે કે આપ ઈશુથી ખૂબ જ પ્રભાવિત થયા છો અને તેના સિવાય તમામ ક્ષુલ્લક કે છેતરનાર જણાયા છે. આપને ઈશુ અને તેના અનુયાયી દ્વારા કરવામાં આવેલા ચમત્કારો સ્વીકાર્ય છે પણ આપણાં દેશના કોઈને નામે આવા જ કે તેથી વધારે ચમત્કારો જોડવામાં આવે તો તે સ્વીકાર્ય નથી. એક વાત કહું, માફ કરજો,, આપણાં દેશના કેટલાક લોકોની અન્યનું બધું જ શ્રેષ્ઠ અને આપણું હલકું તેવી એક જડ માન્યતા ઘર કરી ગઈ છે. આપણી જ કોઈ પણ વાત વાયા પશ્ચિમ થઈ આવે તો એ સ્વીકાર્ય છે પણ આપણાં જ દેશમાં આ વાત કોઈ કરે તો તે માન્ય નથી. આ આપણાં દેશની ગુલામી માનસિકતા છે. આપણું સ્વમાન. આત્મ-સન્માન. અને સ્વત્વ વિષે આપણે બિલકુલ સભાન નથી. એક બીજી વાત આપે ક્યારે ય વાંચ્યું કે હિન્દુ ધર્માચાર્યોએ કોઈનું ધર્મ પરિવર્તન કરાવ્યુ ? ધર્મ પરિવર્તન માટે કોઈ પ્રલોભનો આપ્યા કે જનુન પૂર્વક આમ કર્યું ? અરે યાર ! મને કહેવા દો કે, ક્યારે ક તો આપણે જાણે કાયર અને નપુંસક હોઈએ તેવી છાપ ઉભી થાય ત્યાં સુધી જુલ્મો સહન કર્યા છે. ક્યારે ય કોઈ દેશ ઉપર આક્રમણ પણ કર્યું નથી. હિન્દુમાં જે બીન સાંપ્રદાયિકતા-સહિષ્ણુતા-સમતા-અને જતુ કરવાની ભાવના જોવા મળે છે તે અન્ય કોઈ કોમમાં નહિ મળે ! પોતાનો જ ધર્મ સાચો અને દુનિયાભરના લોકોએ તે જ અપનાવવો જોઈએ તેવી રૂઢ માન્યતા અને તે માટે ધર્મ પરિવર્તન કરાવવા અપાતા પ્રલોભનો અને કરાતી બળજબરીથી સૌ પરીચિત છે. મને કહેવાદો આજે આપણાં દેશમાં જે મુસ્લીમો છે તેનો ઈતિહાસ તપાસાય તો 99% તેમની અગાઉની પેઢીમાં હિન્દુ હોવાનું જણાશે પણ જે મુસલમાનોના આક્રમણો થયા અને જનુન પૂર્વક હિન્દુમાંથી ધર્મ પરિવર્તન કરાવી મુસલમાન બનાવેલા તે જણાશે. તેવું જ આપણાં અનેક રાજ્યોમાં હિન્દુઓને અનેક પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન દ્વારા ખ્રિષ્તી બનાવ્યા જણાશે !
બાઈબલ મારાં જાણવા પ્રમાણે ઈશુએ લખ્યું નથી પરંતુ તેમના મૃત્યુ બાદ તેના અનુયાયીએ લખ્યું હોવું જોઈએ અને તો તેમાં લખનારના વિચારો તેનો મત તેના પૂર્વગ્રહો તેની માન્યતાઓ વગેરે વ્યકત થયા વગર ના જ રહે અને તેના વિચારો ઈશુને નામે ચડાવી દેવા સરળ પણ પડે ! અને તેથી બાઈબલમાં જે લખાયુ તે તમામ ઈશુએ જ પ્રમાણ્યું હોય તેમ હું ના સ્વીકારી શકું !
તેમ છતાં એક વાત તો ખુઉબ જ સ્પષ્ટ છે કે તમામ ધર્મોનો મુખ્ય હેતુ કે ઉદેશ એક જ છે કે સદકર્મો કરવા, પ્રમાણિક રીતે જીવવું, કોઈનું અહિત કે અક્લ્યાણ ના કરવું અને સૌથી મહત્વનું માણસે માણસ બની જીવવું ! દયાભાવ રાખવો ! સ્વાર્થી નહિ બનતા અન્યની પીડા-વેદના-કે વ્યથા પ્રત્યે હમદર્દી દાખવવી યથા શક્તિ દીનને સહાય કરવી વગેરે !
અંતમાં ક્યારે ય પોતાના અંતરાત્માના અવાજની વિરુધ્ધ કોઈ કાર્ય નહિ કરવું ! ક્યારે ય અંતરાત્માના અવાજને નહિ છેતરવો ! એક વાત કહું, ક્યારે ય પણ કોઈ પણ વ્યક્તિ કંઈક ખોટું કરવાનું વિચારે છે ત્યારે, અંદર રહેલો માંહ્યલો તેમ નહિ કરવા સંદેશો આપતો જ હોય છે, પરંતુ દુનિયા આખી આમ જ કરે છે, માટે હું પણ કરું, તો કંઈ ખોટું નથી તેમ માંહ્યલાને સમજાવી-પટાવી ટાપલી મારી શાંત કરી ખોટું કરે છે અને પછી અપરાધ ભાવથી પીડાયા કરે છે અને તેથી જ દાન-ધર્મ કરવા નીકળે છે અને તેમાં પણ પોતાનું નામ રહે તેવી પેરવી કર્યા કરે છે.
રહી વાત મોક્ષની હું તો એમ માનું છું કે મૃત્યુ સાથે જ જીવનનો અંત આવે છે છતાં કેટલાકને મતે પુનર્જન્મમાં માને છે અને કર્મ પ્રમાણે ફરીને જન્મ જે તે યોનિમાં મળે છે. જો પુનર્જન્મ થતો જ હોય તો મારે મોક્ષ નથી જોઈતો મને તો આ ધરતી ઉપર એક વિશિષ્ટ લગાવ અને લાગણી પેદા થઈ છે તેથી મને વારંવાર જન્મવું ગમશે ભલે તે જન્મ ઈશ્વર ગમે તે યોનિમાં આપે મને મંજૂર છે.
આ ઉપરાંત મારો એક પત્ર મેં મારા 70મા જન્મદિનના અનુસંધાને મારા મિત્રો અને સ્નેહી સગાઓને લખેલ તે આ સાથે મોકલું છું જે વડે આપ મારાં વિચારો વધારે સ્પષ્ટતાથી સમજી શકશો તેમ ધારું છું.
સ-સ્નેહ
અરવિંદ
ખુબ ખુબ ધન્યવાદ આપે આ નાચીઝ ના બ્લોગ પર પ્રતિભાવ આપ્યો. આપની વાતો માર હ્રદય પર અને આ પાના ઉપર છપાય ગઈ છે જ, પરમેશ્વરને આપને મોક્ષ બક્ષે એવી મારી હ્રદયેચ્છા છે કેમ કે પરમપિતાના આત્મામાં એક રસ થઈ જવુ એ સર્વ મનુશ્યોનો સ્વર્ગીય સિધ્ધ હક્ક છે, એમા આપ પ્રથમ સ્થાને છો એવી મારી પ્રભુ યીશુ ને પ્રાર્થના છે…..
વહાલા રાજેશભાઇ,
આપની ભાવના કેવી ઉત્તમ છે અને કેટલા સરસ વિચારો ધરાવો છો એ તો આપના About Me મા વાંચ્યા પછી જ સમજાયુ હો ભાઇ,
સરસ વર્ણન અને એકદમ સ્પષ્ટ તેમજ ઉમદા વિચારો…
જય માતાજી…
મારા બ્લોગ પર આવ્યા એટલે આભાર. પણ ગજબ લખો છો સાહેબ તમે તો.
I TOTALLY AGREE AND ENDORSE VIEWs presented by Mr. Arvind……especially …on Arguments and Thoughts put forward and exchanged….. in support of “HIS OWN BELIEFs” by Shree Rajesh PADAYAJI…I shall REPEAT WHAT I SAID TO Mr. SURESH JANI…..TODAY….on his blog:
ગુજરાતી લિપિમાં, હિન્દી,ઉર્દુ લબ્જોમાં ‘અંદાઝ-એ-બયાં’
માત્ર લબ્જોપે મત જાઓ, સિર્ફ મતલબ સમજો યાર,
મતલબ સમજકર, મર્મકો પાઓ,ખુદાકા સંકેત સમજો।
વૈસે બિના મતલબ કુછ હોતાહી નહીં,ખુદકો સમજો યાર,
સિર્ફ કહેનેકે વાસ્તે અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ,યાર,
મિલે સૂર-સાઝકે સહારે અપના ગાના સબ ગાતે હૈં,યાર,
કુદરતકે કારોબારર્મે કર્મોકે સહારે સબકુછ પાતે હૈં યાર!
બાત કહેનેકા અપના અંદાઝ-એ-બયાં સબ ગાતેહૈં,યાર.
ખુદકા શુકૂન ભીતરકા સબ બાર બાર દોહરાતે હૈં, યાર!
‘જિસકા જીતના આંચલ હો, ઉતના હી સબ પાતે હૈં,યાર!’
કોઈ ભટક કર કોઈ સીધા ,આખિર સબ પહૂંચ હી જાતે યાર।
જિસકી જૈસી જુસ્તઝૂ ,જિસકી જૈસી આરઝૂ જો સહી હો યાર!
તુમ કહેતે:’ખુદામિલ ગયા’,હમ માનતે:”વો પાસ હૈ હી” યાર!
બાત એક હી હૈ,દાયેં ચલો કિ બાયેં,ગોલગોલ ઘૂમના હી હૈ!
ખુદાને ખુલ્લા છોડા ચુનાવ,અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ.
ઐસા મૌકા જીવનમેં નહીં આતા બારબાર,મેરે યાર,
ઐસે આદમી આદમી સે દિલસે કહાં મિલતા હૈ યાર?
મિલા હૈ ઉસે અચ્છી તરહ નિભાઓ, મઝે લે લો યાર.
‘એક્સિડેંટ’દુર્ઘટનાહી નહીં હોતી, ’ઘટના’ હી કહો,યાર!
છત્ર જાતા હૈ તો,ખુલા આકાશ ઉડનેકો મિલતા હૈ યાર,
અપની અપની જુસ્તઝૂ હૈ અપનીઅપની આરઝૂ હૈ,યાર!
————————————————————
મીત્ર, આજ સવાર સવારમાં મુર્તી પુજા , પત્થર પુજા શબ્દ લખી ગુગલમાં સર્ચ કરી તો આહીં આવી પહોંચ્યો. થયું ચાલો જાત ભાઈને કોમેન્ટ લખું. મેં પણ અભ્યાસ તો સીધ્ધાર્થ કોલેજ, મુંબઈમાં કર્યો છે અને ઈગ્નુમાંથી અભ્યાસ કરવા વીધ્યાર્થીઓને કહું છું. સસ્ત, મસ્ત અને કવોલીટી.
આ બ્લોગ ઉપર પરીચયમાં કોમેન્ટના પ્રથમ ઉત્તરમાં મારું નામ પણ છે એટલે આપણે એક જ જ્ઞાતી, એક જ જાતી, એક જ ધર્મ અને આ બધામાં સૌથી મહત્વ એક જ વીસ્તારના સેન્ડહર્સ્ટ રોડ, મસ્જીદ બંદર, મુંબઈના.