બાઈબલ – યીર્મયાહ ૨૩.૯ થી૩૨ માં પરમેશ્વર યીર્મયાહ દ્વાવારા જુઠા ધર્માધીકારીઓ વિશે નીચે પ્રમાણે કહે છે ;
૯. ભવિષ્યવક્તાઓ (ધર્માધીકારીઓ) વિશે મારુ હ્રદય અંદર અંદરથી જ ફાટી રહ્યુ છે, મારા બધા જ હાડકાં થરથરાઈ રહ્યાં છે; યહોવાએ જે પવિત્ર વચન કહ્યા, એને સાંભળીને, જે દાખમધુ (દ્રાક્ષાસવ)ના નશા માં ચુર થઈ ગયો હોય એવા મનુષ્ય જેવો હું બની ગયો છુ.
૧૦. કેમ કે “આ દેશ વ્યભિચારીઓથી ભરાઈ ગયો છે; એના પર એવો શ્રાપ પડ્યો છે કે એ વિલાપ કરી રહ્યો છે, વન ની ચરામણ પણ સુકાઈ ગઈ છે. લોકો ખુબ દોડાદોડ કરે છે, પરંતુ બુરાઈ તરફ જ; અને વીરતા તો કરે છે, પરંતુ અન્યાય ની સાથે(વિરુધ્ધ નહિ).
૧૧. કેમ કે ભવિષ્યવક્તા અને યાજકો બન્ને ભક્તિહીન બની ગયા છે; મારા ભવનમાં પણ મેં એની બુરાઈ જોઈ છે,” યહોવા પરમેશ્વરની આ વાણી છે.
૧૨. એના કારણે તેઓનો માર્ગ અંધારૂ અને લપસણો હશે જેમાં એ લોકોને ધકેલીને પાડી નાખવામાં આવશે; કેમ કે, યહોવા પરમેશ્વરની આ વાણી છે કે દંડવાના વર્ષમાં હુ એમના પર ઘોર વિપત્તિ નાખીશ.
૧૩. શોમરોન ના ભવિષ્યવક્તાઓમાં મેં આવી મુર્ખતા જોઈ હતી કે (ખોટા) બાઆલ દેવતાના નામથી ભવિષ્યવાણી કરતા હતા અને મારી પ્રજા ઈઝરાએલને ભટકાવી દેતા હતા.
૧૪. પરંતુ યરુશલેમમાં મે એવા એવા કામો જોયા છે, કે જેનાથી રુંવાડા ઉભા થઈ જાય છે, અર્થાત વ્યાભિચાર અને પાખંડ; તેઓ કુકર્મીઓને એવો તો દિલાસો અપાવે (પીઠ થપથપાવે) છે કે કુકર્મીઓ પોતાની ભુંડાઈઓનો પશ્ચાતાપ પણ નથી કરતા; બધા નિવાસીઓ મારી દ્રષ્ટીમાં સોડોમી અને ગોમોરાઓના સમાન બની ગયા છે.
૧૫. એના કારણે સેનાઓનો યહોવા યરુશલેમના ભવિષ્યવક્તાઓના વિષયમાં એમ કહે છે કે, હું તેઓને કડવી વસ્તુ ખવડાવીશ અને વિષ પિવડાવીશ; કેમ કે એમના કારણે આખો દેશ ભક્તિહીન બની ગયો છે.
૧૬. સેનાઓના પરમેશ્વર યહોવાએ તમને એમ કહ્યુ છે, “આ ભવિષ્યવક્તાઓની વાતો પર અને જે તમને ભવિષ્યવાણીઓ કરીને ભરમાવે છે, તેના પર કાન ના લગાવશો, કેમ કે તેઓ તમને વ્યર્થ વાતો જ શીખવે છે; તેઓ દર્શનનો દાવો કરીને યહોવાના મોંઢાની નહિ, પણ પોતાના મનની ઘડેલી વાતો જ કહે છે.
૧૭. જે લોકો મારો તિરસ્કાર કરે છે એમને આ ભવિષ્યવક્તા સદા કહેતા જ રહે છે કે યહોવા કહે છે, તમારુ કલ્યાણ થશે; અને જેટલા લોકો પોતાની હઠ ઉપર જ ચાલે છે, તેઓથી ભવિષ્યવક્તાઓ કહે છે, તમારા પર કોઈ વિપત્તિ નહિ પડે.
૧૮. ભલા કોણ યહોવાની ગુપ્ત સભામાં ઉભા રહીને એમના વચન સાંભળી અને સમજી શકે છે?
૧૯. અથવા કોણે ધ્યાન દઈને મારા વચન સાંભળ્યા છે? જુઓ, યહોવાની બળતરા નુ પ્રચંડ તોફાન અને આંધી ચાલવા લાગી છે; અને એનો થડાકો દુષ્ટોના માથા પર જોરથી લાગશે.
૨૦. જ્યાં સુધી યહોવા પરમેશ્વર પોતાના કામ અને પોતની યુક્તિઓ પુરી નહિ કરી લે, તેઓ શાંત નહિ થશે. અંતના દિવસોમાં તમે આ વાતને બરાબર સમજી શકશો.
૨૧. આ ભવિષ્યવક્તાઓ (ધર્માધીકારીઓ) મારી પરવાનગી વિના દોડી જઈને, અને મારા કંઈ પણ કહ્યે વિના, ભવિષ્યવાણી કરવા લાગે છે.
૨૨. જો તેઓ મારી શીખામણમાં સ્થિર રહ્યા હોત, તો મારી પ્રજાના લોકોને મારા સત્ય વચન સંભળાવ્યા હોત; અને તેઓ પોતાની બુરી ચાલ અને (પાપમય, નરકમાં લઈ જતા) કામોથી ફરી જતે.
૨૩. યહોવાની આ વાણી છે, “શું હુ એવો પરમેશ્વર છુ, જે દુર નહિ, નિકટ જ રહેતો હોય ?
૨૪. ફરી, યહોવાની આ વાણી છે, શું કોઈ એવા ગુપ્ત સ્થાનમાં છુપાઈ શકે છે, કે જેને હું જોઈ જ ના શકું? શું સ્વર્ગ અને પ્રુથ્વી બન્ને મારાથી પરીપુર્ણ નથી ?
૨૫. મે જ આ ભાવિષ્યવકતાઓની વાતો સાંભળી છે જે મારા નામથી એમ કહી કહીને ખોટી ભવિષ્યવાણી કરે છે કે મે સ્વપ્ન જોયુ છે, સ્વપ્ન!
૨૬. અગર ભવિષ્યવક્તાઓ ખોટે ખોટી ભવિષ્યવાણી કરે, જેઓ પોતાના મનના છળના જ ભવિષ્યવક્તા છે, એ વાત ક્યા સુધી તેઓથી ગુપ્તમાં સમાયેલી રહેશે.
૨૭. જેવી રીતે મારી પ્રજાના લોકોના પુર્વજો મારુ નામ ભુલીને (ખોટા) બાઆલ દેવાતાનુ નામ લેવા લાગ્યા હતા, એવી રીતે જ આ ભવિશ્યવક્તાઓ લોકોને પોત પોતાના સ્વપ્નને વાતો બતાવી બતાવીને મારા નામને ભુલાવી દેવા ચાહે છે.
૨૮. અગર કોઈ ભવિષ્યવક્તાએ સ્વપ્ન જોયુ હોય, તો તે એનુ વર્ણન કરે, પરંતુ જે કોઈએ મારુ વચન સાંભળ્યુ હોય તો તે મારુ વચન સચ્ચાઈથી સંભળાવે. યહોવાની આ વાણી છે, ક્યા ગયુ ભુંસુ અને ક્યા ગયા ઘઉં?
૨૯. યહોવા ની આ વાણી છે કે શુ મારા વચન આગ જેવા નથી? નહિ તો શુ એ એવા હથોડા જેવા નથી જે પથ્થરોને ફોડી નાખે?
૩૦. યહોવાની આ વાણી છે, કે, જુઓ જે ભવિષ્યવક્તા મારા વચન બીજાથી ચોરી લઈને બોલે છે, હું તેવાઓની વિરુધ્ધમાં જ છું.
૩૧. ફરીથી યહોવાની આ પણ વાણી છે કે જે ભવિષ્યવક્તા “એની આ વાણી છે” એવી જુઠી વાણી કહીને પોત પોતાની જીભને ડોલાવે છે, હું એ લોકોની પણ વિરુધ્ધ જ છુ.
૩૨. યહોવાની આ પણ વાણી છે કે જે મારા મોક્લ્યા વગર અથવા મારી આજ્ઞા વગરના સપના જોવાનો જુઠો દાવો કરે છે, અને એનુ વર્ણન કરીને મારી પ્રજાને જુઠા ઘમંડમાં આવીને ભરમાવે છે, હું એમના પણ વિરુધ્ધ છુ; અને એમનાથી મારી પ્રજાના લોકોને કંઈપણ ફાયદો નહિ થશે.
રાજેશભાઈના જય યીશુ…..
પવિત્ર આત્મા આવ…
ઈઝ્રાયેલના પરમેશ્વર યહોવાની આ વાણી દ્વારા પ્રભુ યેશુ તમને સહુને આશિષ આપે અને સૌની આત્મિક દ્રષ્ટી ખોલે …..
રાજેશભાઈ, બેની હીન એક વીવાદાસ્પદ વ્યક્તી છે. તેના કાર્યો જોતાં એવું લાગે છે કે તેની કુંડલીની જગ્રત થઈ ગઈ હશે અને મણીપુર સુધી પહોંચી હશે જેથી તે થોડાં ચમત્કાર કરી શક્યો. ત્યારબાદ કોઈ પ્રગતી થઈ લાગતી નથી એટલે તેની ભવીષ્યવાણીઓ વગેરે ખોટી પડતી ગઈ. તેની પત્નીએ હાલમાં જ છુટાછેડા માટે અરજી કરેલી છે.
મને ઈશુ પ્રત્યે માન છે જ. પાશ્ચાત્ય સંસ્કૃતીને જે સાંસ્કૃતીક મુલ્યોની જરુર હતી એ તેમણે સમજાવ્યા હતાં. પણ, તેમનો જ રસ્તો સાચો છે એ વાત સદંતર ખોટી. રામકૃષ્ણ પરમહંસે જે વ્યક્તીત્વોનો સાક્ષાત્કાર કર્યો હતો એમાં ઈશુનો પણ સમાવેશ થાય છે. ૐ તત સત.
ૐ તત સત -> ની વ્યાખ્યા સમજાવો, મારે એનો તમારી દ્રષ્ટીથી અર્થ તારવવો છે..
એકમેવ “તે” જ સત્ય છે જેને ૐ કહીએ છીએ.
ચાલો એક વાત સાંભળીને ટાઢક તો થઈ કે તમને પ્રભુ ઈશુ પ્રત્યે માન છે, એટલે હુ સાચે રસ્તે છુ એ સાબીત થયુ જ ને. (બાકી પાદરીઓએ જ તો પ્રભુ યીશુનો દાટ વાળ્યો છે એનાથી પ્રભુ ઈશુની સચ્ચાઈ લેશમાત્ર પણ ઓછી થવાની નથી) રહિ વાત રામાનુજાચાર્યની સમજણ, એ મે વાંચી નથી, એ વાંચીને કદાચ તમને પ્રેમથી ગુદગુદી કરુ તો ખોટુ ના લગાડશો, મને તમારા પ્રેમની, સમજણની જરુર છે જ ને અને હા તમારી આત્મિક પ્રગતી પણ જોતો રહુ અને આનંદિત થતો તો રહુ જ ને…લખતા રહેજો, પ્રભુ યીશુ તમને, બેનને અને આપના સંતાનોની દરેક રીતે રક્ષા અને મદદ કરે એવી પ્રાર્થના કરુ છુ…… ધન્યવાદ…
રાજેશભાઈ, આપણે વાંચીએ એ આમ્બાના ઝાડના પાંદડા ગણવા જેવું છે. હકીકતમાં તો કેરી જ ખાઈને આનન્દ માણવો જોઈએ. જેટલા વીચારોને વાંચી શકાય, સમજી શકાય એ જ માનવ હોવાની સાબીતી છે. તમારો રસ્તો ખોટો છે એમ હરગીઝ નહી કહું. હા, તમે બીજાઓને તમારે રસ્તે વાળવાનો પ્રયત્ન કરો છો એનો હરહમ્મેશ વીરોધ કરીશ 🙂
હુ આખા જગતને પ્રભુ યીશુ તરફ વાળવા માંગુ છુ…., અને તમે જેને માનો છો એ તરફ આખા જગતને વાળો……, તમારી તરફ ફક્ત મારા હિંદુ ભાઈઓ જ આવશે……., જ્યારે બાઈબલ એટલે મુસ્લીમોનુ ધર્મશાસ્ત્ર……, યહુદિઓનુ તોરાહ એ બાઈબલના પ્રથમ પાંચ અદ્યાયો જ છે….., મુસ્લીમો, યહુદિઓ અને ખ્રિસ્તીઓ પોતાને ઈબ્રાહીમની સંતાન માને છે,….. જીઝસે એ વખતે અપાતુ પશુ બલિદાન પોતાનુ બલિદાન આપીને જ અટકાવ્યુ…… એટલે કે ૨૦૦૯ વરસ પહેલા ખિસ્તી…., ધર્મ નહિ પણ માન્યતા……, અસ્તિત્વમાં આવી… અને એ પણ જે પ્રભુ યીશુને નહિ માનનારા લોકો ની નજરોમાં જ….. પ્રભુ યીશુને માનનારાઓને મસીહ, કે ખ્રિસ્તી કહે છે……, ખ્રિસ્તી લોકો પોતાને તો પરમેશ્વરના પુત્ર જ ગણાવે છે…… જે હુ બચપણથી હિંદુ પુજ્યોને માનતો આવ્યો ત્યારે કોઈએ સમજાવ્યુ જ નહોતુને……. અને સામાન્ય ભારતિય હિંદુઓને અને ત્યા પણ આવેલા હિંદુ ભાઈ બહેનોને ખબર પણ નહિ હશે કે આ શરીર પવિત્ર આત્માનુ મંદિર છે…….. અને આપણે મર્યા પછી બાળવાનુ નહિ પણ માટીમાં માટી બની જવાનુ છે….. અને આ જીવને એ શરીરથી અલગ થતા બાર દિવસ લાગે છે……… અને એટલે જ આપણે બારમુ કે તેરમુ કરીએ છીએ જેનુ પણ જ્ઞાન સામાન્ય હિંદુ ભાઈ બહેનોને નથી જ હોતુ…….. તમે લક્કી છો કે તમને આ બધુ જ્ઞાન છે બાકી તો આ બધા ભાઈઓ મારા જેમ ૪૨ વરસ સુધી પાપ જ કર્યા કરે છે પછી તકલીફ આવે ત્યારે પ્રભુ તરફ દોડે છે….તમે લોકોને પ્રભુ યીશુ તરફ આવતા રોકશો તો તમે પ્રભુ યીશુની વિરુધ્દ્દ અને પરમેશ્વરની વિરુધ્ધ જ જશો અને પાપના અને પરમેશ્વરના ગુનેગાર બનશો….અને પરમેશ્વરનો રોષ ના ભાગીદાર ના બનો એવી તમને હુ વિનંતિ કરુ છુ……..કેમ કે ખોટના ધર્મોને તમે રોકી શક્તા તો નથી ને સત્યના ધર્મનો વિરોધ કરવાનુ કહો એ તમને યોગ્ય લાગે તો પછી પરમેશ્વરનો ખોફ પણ ભોગવો એ હુ નથી ઈચ્છતો, હુ અંધકારમાં નહિ પણ પ્રકાશમાં છુ અને મારી પરિક્ષા ફક્ત ઉપરવાળો જ લઈ શકે છે કેમ કે હુ એમને જાણુ છુ અને તેઓ મને જાણે છે….જ્યારે તમે ક્કયારેક પિતાને મહત્વ આપો છો તો ક્યારેક માતાને,…..ભલે ચાલુ રાખજો આપણો વાર્તાલાપ ખતમ ના થવો જોઈએ…મને પણ પવિત્ર અને સામર્થી તો થવુ જ છે,….કેમ કે હુ પણ કમજોર મનુષ્ય છુ…..પિતાનુ સામર્થ તો મને જોઈએ ને….
હું કે તમે લોકોને સાચો માર્ગ બતાવનાર કોણ? હજુ હું મારા માર્ગના ધ્યેય સુધી તો પહોંચુ, પછી બીજાને સુધારવાની (જો કે એ પણ મારી દ્રષ્ટીએ જ) વાત કરું.
જે પરમ પવીત્ર, પરમ કૃપાળુ છે એનો વળી ખોફ શો? એને પણ પ્રશ્ન કરી શકાય એ મને હીન્દુશાસ્ત્રોએ જ શીખવ્યું છે. અને એ એનો પરમશાંતીથી સચોટ જવાબ પણ આપી દે છે. બાકી બાઈબલ કે કુરાન ડરથી આંખ/નાક/કાન/મોઢુ બન્ધ કરી એને સ્વીકારી લેવાનું શીખવે છે. એ જ તો સામાન્ય હીન્દુ પણ કરી રહ્યો છે. પણ, હું અંતીમ ધ્યેય સુધી ના પહોંચુ ત્યા સુધે એમને પણ શું સમજાવું?
તમે જેને પીતા તરીકે ભજો છો એને હું મા તરીકે ભજુ છું. એ કોણ છે એ આજસુધી કોઈ વર્ણવી શક્યું નથી. એટલે આપણે તો આપણને ગમતી માન્યતાનો આધાર લઈને જ આગળ વધવાનું છે. ત્યાં પહોંચીને આગળનું વધુ ખબર પડશે.
જો તમે આખી દુનીયાને એકમાત્ર ઈશુ તરફ વાળવા માંગતા હો તો એનો હું પુરેપુરો વીરોધ કરું છું, ભલે તમારી દ્રષ્ટીએ હું પરમપીતાનો વીરોધી ઠરું. અને મને ખાતરી છે કે ‘મા’નો એમા જરાપણ રોષ કે વીરોધ નથી 🙂
પ્રભુ યીશુ તો પાપોને અંગીકાર કરીને પશ્ચાતાપ કરવાનુ કહે છે, જ્યારે આપની મા તો મારી નાખે છેને વળી, અને એને મારવાનો હક્ક કોણે આપ્યો એ તો પોતે બની બેઠેલી છે, બ્રહ્મસુત્રો, કે યોગસુત્રો કે વિવેક્ચુડામણી કે ગીતા કે ઉપનિષદ માં ક્યા એનુ નામ છે? શુ કામ ગપ મારો છો અને તમે પણ અજ્ઞાની જેવી વાતો કરો છો ભાઈ?…
શું કહો છો રાજેશભાઈ?
જરા આ વાંચી લો ભઈલા….
http://amritgirigoswami.gujaratiblogs.com/?page_id=456
આ જ વાર્તા ગીતા કે કુરાન મુકીને પણ થઈ શકી હોત 🙂 અગત્યનું એ છે કે બાઈબલ ભાવ જગવવામાં નીમીત્ત બની શક્યું.
આ પણ જોઈ લેજો ભઈલા….
http://www.youtube.com/my_playlists?p=B5913C86DC4E804C
હું જે “મા”ની વાત કરું છું એને તમે જાણો છો જ પણ જાણતા નથી. તમારી દ્રષ્ટીએ જે મા છે એ મારી નાખે છે, એમ તમારો જે પીતા છે એ બધાને શ્રાપ આપે છે, ડરાવે છે.
કોઈપણ ગ્રંથમાં “બ્રહ્મ”ની કોઈ જાતી, લીંગ, સ્વરુપનું વર્ણન નથી. તમે તેને પીતા કહો છો, હું મા કહું છું.
હા એ વાત સાચી જ છે, જે બ્રહ્મને તમે અને હુ જાણીએ છીએ એ ને લિંગ નથી એ તો આત્મા છે ચૈતન્ય છે, જે કુંડળી જગાડીને તમે બને લોકો પર જેમ બેન્ની હિન અને અન્ય લોકો ભારતમાં અતિ સામાન્ય લોકો ફક્ત એક કે બે મહિનાના અલ્પ સમયમાં ફક્ત પ્રાર્થના કરીને, પ્રભુ યીશુને હ્રદયમાં બેસાડી, વિશ્વાસ કરીને પામી ગયા છે, એ તમે પણ અત્યારે જ કરી શકો છો, એ માટે કોઈ જાતી, ડિગ્રી અથવા કોઈ બુધ્ધીની જરુર નથી પડતી, એમાં તો ફક્ત આત્માને પરમાત્મા માટે જરુરી પ્રેમ, અને ત્યાગની જરુર પડે છે, એટલે જ તો પરમહંસજી, કે અન્ય મહાનુભાવો કોઈ ડિગ્રી ધારી ન હતા, જ્યારે આજે મારો ભારત દેશ ડિગ્રીઓ પાછળ હાથ ધોઈને પડી ગયો છે અને ભૌતિક્વાદમાં ખુવાર થઈ એ જ બ્રહ્મનો વિરોધી થઈ રહ્યો છે, બસ મારુ કાર્ય એ જ બ્રહ્મને બધા લોકોમાં જગાડવાનુ છે, હુ જાતીનો શુદ્ર છુ, (જે મને મારી ઈચ્છા વગર મારા દેશવાસીઓ મારા ઉપર અને શુદ્રો ઉપર અત્યાચાર કરી રહ્યા છે) પણ કર્મ તો બ્રહ્મને ઉજાગર કરવાનુ કરી રહ્યો છુ. કદાચ હુ કોઈ ઉચ્ચ જાતીનો હોત તો તમને મારો આ ઈશુનો બ્રહ્મ વાદ સારો લાગ્યો હોત. જો કે અમારા ચર્ચનો પાદરી જેને અમે રુઢીવાદી મસીહઓ “ભાઈ” કહિએ છીએ પોપના માનનારાઓના જેમ “ફાદર કે અન્ય ડિગ્રીધારીઓ નહિ” આ પણ લાંબો વિષય થઈ આવશે જેનો નાશ (આત્મિક) થવાની ભવિષ્યવાણી તમે ખોટાધર્માધીકારીમાં જાણી ચુક્યા છો નહિ તો ફરીથી જાણી લેવા વિનંતિ, અને આ જ વાતો આખા જગતના ધર્મોને પણ લાગુ પડે છે. હવે કદાચ આપને ખોટાધર્માધી કારી એ અર્થ જાણવા મળશે…જેની ભાષા અલંકારીક-ઉદાહરણીય ભાષા છે એટલે કે “પેરાબોલીક” છે સર્વ પરમાત્મા વિરોધીઓ માટે….
રાજેશભાઈ, તમે “શુદ્ર” જન્મે છે એ મને હવે જ ખબર પડી!!! હું એ મુદ્દો જ નથી ગણતો…
મારી ઈચ્છા છે જાતિશુદ્રતા નો નાશ થાય અને સર્વ કોઈ આઝાદીથી પરમેશ્વરના રસ્તે આગળ વધે. મારો મુદ્દો આ વિષય પર ચર્ચા કરવાનો નથી, મારો વિષય તો “સર્વ કોઈ જે જન્મેલુ છે એ શુદ્ર ઍટલે કે પાપી છે અને જે કહે છે કે એ પાપી નથી તો એ પોતાને જ છળી રહ્યો છે” આ જ બાઈબલનુ જ વાક્ય છે. અને જે પાપી (ખોટુ બોલવુ એ સૌથી મોટુ પાપ છે, છળ, કપટ, ડાહ, લડાઈ, ઝઘડા, ભેદભાવ, અભિમાન, દંભ, ખુન કરવુ, ત્રાસ આપવો, બીજાને નીચા દેખાડવા, અને લાંબુ લિષ્ટ છે, અરે હા સિગારેટ પીવી, દારુ પીવો, બીન જરુરી માસાહાર માટે નિર્દોષ જ્નાવરોની હત્યા, વ્યભિચાર, સમલૈગીકતા, પવિત્ર શાસ્ત્ર ન વાચવુ, આખો સમય શૈતાની વાતોને મહત્વ આપવુ કે ડુબ્યા રહેવુ જેવુ કે બીઝનેસ માં ડુબેલા રહેવુ, સ્ત્રીઓમાં રત રહેવુ, પરમેશ્વરથી અળગા થવુ અને કરવા, મુર્તી પુજા કરવી, ઉચ્ચાભીમાન, ગુમાન, ધન ની લાલસા, સંગ્રહખોરી, નશો કરવો, પાન-મસાલા ખાઈને દિવાલો ખરાબ કરવી, ગમે ત્યા, ખુલામાં લઘુ કે ગુરુ શંકા કરવી, કચરો કચરા પેટીમાં ન નાંખવો, દોષ લગાવવો, દોષ બીજાને માથે મારવો, કપટથી મારવો કે હટાવવો, કોઈને અને ખાસ કરીને નબળાને મારવો, રાજ્યની વિરુધ્દ્દ બોલવુ, નેતાઓની વિરુધ્ધ થવુ, બીજાના વિચારો ચોરી લેવા, વગેરે વગેરે… આમાના દરેકે દરેક દોષોમાંથી હુ પસાર થયોલો છુ અને હજુ પણ અમુક દોષો પર તો વિજય મેળવ્યો છે અને અમુકમાં હુ આજે પણ ફસાઈ જાઉ છુ એટલે હુ પણ કર્મોથી તો શુદ્ર જ થયોને. બાઈબલ કહે છે “આ જગતમાં દરેક મનુષ્ય પાપી છે” એનો અર્થ આ થયો અને એ પાપ જ મનુષ્યોને પરમેશ્વરના અનુગ્રહથી અળગા રાખે છે કેમ કે પરમેશ્વર પોતે પવિત્ર છે અને એ મને-તમને અને સહુને પવિત્ર બનાવવા માંગે છે, આપના ગુરુઓમાં આ ગુણો ચકાસી જો જો, કદાચ એક ગુણ તો મળી જ આવશે. જગત જ પાપી છે એને મારે-તમારે અને સહુએ મળીને જેમ ગંગા મેલી થઈ ગઈ છે એને સાફ કરવા સ્વયંસેવકોની જરુર છે એવી જ રીતે પરમેશ્વરના રાજ્ય માં સેવકો ખુબ જ ઓછા છે, જે બાઈબલ ના હિસાબે આજ સુધી ૧,૪૪,૦૦૦ જ છે, સાથે મળીને શૈતાનના રાજ્યને નાશ કરવાનો અને પરમેશ્વરના પ્રભુ યીશુના રુપમાં પાછા ફરવાની ભવિષ્યવાણી થયેલી છે. અને આ જગતના ચાર રાજકુમારોનો નાશ થવાનો છે એમાં અમેરીકા પણ આવી ગયુ. આ બધી ગુઢ વાતો છે, આખા જગતની ભવિષ્યવાણી પ્રભ્ય યીશુએ કરેલી છે જે આજે મને સત્ય સાબિત કરવા પુરાવાઓ છે. અને હા ધ્યાન રાખજો હિંદુ ધર્મ કદાચ આખી દુનિયામાં ફેલાઈ જ્શે એવુ મને લાગે જ છે, જેનુ કારણ હુ તમને કહી શકુ એમ નથી…..
અને હા ધ્યાન રાખજો હિંદુ ધર્મ કદાચ આખી દુનિયામાં ફેલાઈ જ્શે એવુ મને લાગે જ છે, જેનુ કારણ હુ તમને કહી શકુ એમ નથી…
તમે આ બાબતે જે કહેવું હોય એ ખુલ્લામાં કે મને અંગત ઈ-મેલથી કહી શકો છો. (chipmap@gmail.com)
ભગવતી ભાગવત મુજબ કળીયુગના 5000 વર્ષ થશે ત્યારે જગતમાં મ્લેચ્છ અને યવન ધર્મ બહુમતીમાં હશે. બીજા 5000 વર્ષ આવા જશે અને પછી કલ્કી અવતાર થશે જે પુનઃ વેદીક ધર્મને સમગ્ર વીશ્વમાં સ્થાપશે.
આનાથી જુદો મત: worldwar3.co.in પર જોશો.
આપણે આપણી અન્દર રહેલા પવીત્ર-પાપથી પર આત્મા કે જે પરબ્રહ્મનો અંશ છે તેને ઓળખવાનો છે, પછી રસ્તો ગમે તે હોય.
૨૦૦૦ વરસ પહેલા બૌધ્ધ ધર્મને ખાળવા માટે ભગવતી ભાગવત વેદવ્યાસજીએ લખેલુ છે, ભાગતવ પણ વેદવ્યાસજીએ જ લખેલુ છે, મહાભારત, ગીતા, અને અમુક પુરાણો અને ઉપનિષદો, અને ગ્રંથો પણ વેદવ્યાસજીએ અમે અન્ય લેખકોએ લખેલા છે, એટલે જ તો એમા ઘણી ખામીઓ રહી ગયેલી છે, કેટલી મહાન સિધ્ધી કહેવાય આને….? જે સત્યથી પર છે.
હિંદુ ધર્મ આખા જગતમાં ફેલાશે એ વાત હુ મારા અત્યાર સુધીના અનુમાન પરથી જ કહિ રહ્યો છુ, પ્રભુ મને માફ કરે, આ હુ મારા મનથી લખુ છુ આજે જેવી રીતે હિંદુઓ જગતને સર કરી રહ્યા છે (જો કે એ પાપી યુરોપિયનો પર ભારત રાજ કરે એ મારા માટે ગર્વની વાત તો છે જ પણ…) એના ઉપરથી કહુ છુ જેનાથી જે જે દેશો અમુર્તી પુજકો હતા તેઓ મુર્તી પુજક બનશે, લોકો જાતીવાદી બનશે, લોકો ભારતના અંધકારને પોતાનો અંધકાર કરીને અપનાવશે, અને લોકો સાચ્ચા પરમેષ્વરને છોડી મનુષ્યોના પુજકો અને મનુષ્યોન ભરમાવેલ બનશે અને આજથી પ૦૦૦ વરસ પહેલાના સમયમાં જતા રહેશે અને પછી ફરીથી મહાભારતથી પણ અતિદુષ્ટ એવુ મહાજગત લખાશે જે વાંચવા કોઈ જ હાજર નહિ હોય…
અને એ પાપી જગતના પાપને નાશ કરવા માટે પ્રભુ યીશુ ફરીથી આવવાના જ છે પોતાની સ્વર્ગીય સેનાઓ જોડે અને ખરેખર જ “૨૦૧૨ ફિલ્મ” ની સત્યતા સાબીત થશે …………
વળી, હજી તો મેં બાઈબલ વીશે પ્રશ્નો શરુ નથી કર્યા… આનો કોઈ અંત જ નથી સીવાય કે આપણે એક્બીજાના પંથનો આદર કરીએ અને સ્વીકારીએ. એક જ સત્યને વીદ્વાનો અનેકરીતે વર્ણવે છે!
વ્હાલા ભઈલા….. આ પ્રેમ ભર્યા તર્ક વિતર્કો બંધ થઈ જશે તો પ્રભુનો પ્રેમ પ્રવાહ પણ તો બંધ થઈ જશે, આપના પ્રત્યેક તર્ક-ઉદાહરણો મને પ્રભુની વધુ ઉંડાણમાં લઈ જશે અને આપને મા ના ઉંડાણમાં, અને હુ એજ ચાહુ છો, માટે આવવા દો આપના પ્રેમને હુ પ્રભુ યીશુની જોડે ખાળી લઈશ…પણ તર્ક વિતર્ક બંધ ના થવા જોઈએ……વ્હાલા ભઈલા…
સત્તા માતાની ના હોય, સત્તા તો પિતાની જ હોય અને કદાચ એટલે હુ આપને ચિરાગ મહેતા કહિએ છીએ, નહિ આપની મોસાળની અટક લગાવીને ચિરાગ ______ કહીને સંબોધત. એટલે સત્તા તો પિતાની જ રહેશે, માતા તો પિતાની સતાને આગળ વધારનારી પિતાની જ ઉત્પત્તિ છે. તમે મને સાબીત કરી આપો કે “પરમપિતા પરમેશ્વર એ માતાની ઉત્પત્તિ છે”? તમે બોલશો ચાલી જશે પણ હુ બોલીશ તો મને પથ્થર મારી મારીને મારી નાંખવામાં આવશે એમ છતાં પણ તો હુ એ બોલુ જ નહિ.
સોરી ચિરાગ પટેલ….(મહેતા નહિ)
પીતા અને માતા આપણા ખ્યાલો છે. હજી આજે પણ માતૃપ્રધાન સમાજ છે જ. પરબ્રહ્મ એ બધાથી પર છે.
પરબ્રહ્મ તો બધાથી પર જ છે અને એમણે જે આ રચના કરી છે એનાથી અલગ તો નથીને અને એની રચના જ તો છે જે તમને મને અને સહુને મદદ કરવા માટે સર્જી છે જેને હુ ૪૨ વરસ સુધી દેવી દેવતા માનીને પુજતો હતો અને પિતાનો ગુનેગાર બન્તો હતો….પરબ્રહ્મ તો અલીંગી જ છે પણ પોતાના પૌત્રો સામે તો એ લીંગીં બની રહેશે કેમ કે આપણે જીવતે જીવતા, એમને, જેમણે આપણે સહુને, પોતાના જ સ્વરુપમાં સર્જ્યા છે, એ માનવુ તો પડે જ ને કેમ કે આપણે કોઈને કોઈ રુપ શોધીએ છીએ, જેવી રીતે આપ જે ઠંડક અનુભવો છો એ પણ એક સ્વરુપ જ થયુને, તો જે અમુર્ત છે, અસ્પર્શી છે એનો સ્પર્શ કોનો સ્પર્શ છે?, એ થંડક કોની છે?…..
આપણા દેશમાં હજ્જારો સંતો કે મહ્રર્ષિઓ જનમ્યા હતા. જેમાંથી એક પણ સંતે અથવા તો મહર્ષિએ જગત પર રાજ્ય નથી ફેલાવ્યુ, શિવાય કે બુધ્ધ જે પણ ભવિષ્યમાં અંત થશે જ, એવુ બાઈબલ્માં ભાખેલુ જ છે…………
આનાથી વીરુધ્ધની ભવીષ્યવાણી પુરાણોમાં છે જે બાઈબલ કરતાં પણ પુરાણા છે. માત્ર 1000 વર્ષ પહેલાં જ હીન્દુધર્મ સમગ્ર અગ્ની-એશીયામાં હતો. 2500-300 વર્ષ પહેલાં સમગ્ર યુરોપમાં હતો. 5000 વર્ષ પહેલાં સમગ્ર વીશ્વમાં હતો. આ જ કળીયુગનો પ્રભાવ છે જે કૃષ્ણના મૃત્યુથી શરુ થયો છે. એની સાબીતી ઉત્ખનનના પુરાવાઓમાં છે.
સનાતનધર્મમાં બળજબરીથી કે લાલચથી ધર્માંતરણ કરવાનું સ્વાભાવે જ નથી. છતાં પણ, લોકોએ સ્વાભાવીકપણે સનાતનધર્મના સીધ્ધાંતો અપનાવ્યા છે. હીન્દુ બની નથી શકાતું, હીન્દુ જન્મવું પડે છે – શબ્દાર્થ ના લઈએ તો પણ ભાવાત્મકરીતે આ સાચુ છે.
૧. પુરાણોની ઓછામાં ઓછી ૨૫ ભવિષ્યવાણી કોણે કરી? ક્યા કરી? ક્યા સાલમાં કરી? અને એ ક્યારે પુરી થઈ? કેવી રીતે પુરી થઈ? એનો વિસ્તાર પુર્વક અહેવાલ મને જણાવો.
૨. અગર હિંદુ ધર્મ અથવા સંસ્ક્રુતિ બાઈબલ કરતા પણ પુરાણી છે તો તો બાઈબલનુ એક સત્ય આજે આપે સિધ્ધ કરી દિધુ છે જે આપને રોમેરોમ બાળી મુકશે એવી હકિકત છે એ…
૩. માયા સંસ્ક્રુતિ, મિસ્ત્ર સંસ્ક્રુતિ, ચીની સંસ્ક્રુતિ અને અન્ય એવી ઘણી સંસ્ક્રુતી ને હિંદુ સંસ્ક્રુતી કહિને તમે અગર વિશ્વવ્યાપી બની રહ્યા છો તો એ વાત તમારા ગળે અટકશે. છતાય પણ હિંદુ સંસ્ક્રુતિ એ મિસ્ત્ર માંથી પલાયન કરીને એશિયા થઈને ભારતમાં આવીને વસેલા મુર્તિ પુજકો આર્ય જ છે જેને આ જ અમુર્તિવાદી યહોવના શ્રાપના તાપથી જ ભાગી નિકળેલા હતા. અને ભારત તો દ્રવીડ સંસ્ક્રુતી, જે આજે આદિવાસીઓ અથવા પછાતો છે એ હતી, જેને આજે બાઈબલે જ તો સમ્રુધ્ધ બનાવ્યો છે, તમે અને તમારા જેવા ઘણા ભાઈ બહેન પણ આજે સમ્રુધ્ધ છો એ હિંદુ સંસ્ક્રુતીને કારણે નહિ પણ બાઈબલને માનનારાઓનુ ભણતરને કારણે જ તો ત્યાં છો, એ તો ભલુ થજો કે આ દેશમાં અંગ્રેજો આવ્યા, લુટી ગયા મારીને ગયા પણ બદલામાં તમને મને અને સર્વ ભારતીયોને અતિ અંધકારમાંથી બહાર તોકાઢીને ગયા જ ને નહિ તો મારી મમ્મને પણ મારા પિતાની પાછળ ચિતા ઉપર બળવુ જ પડતને, નહિતો ઘરમાંથી બહારજ ના નિકળી શક્યા હોતને, એવો તો અંધકાર હતો ભારતમાં, બધી જ તો કુપ્રથાઓ હજુ પણ પ્રવર્તે જ છેને. એને પણ જગતમાં ફેલાવો અને હિંદુ સંસ્ક્રુતીનુ નામ રોશન કરો. ચાલો એ સિવાય માનો અગર આખુ જગત હિંદુ બની જાય તો બધાની જાતી કેવી રીતે ઠેરવશો? કોને બ્રાહ્મણ, કોને ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર બનાવશો. મારા વહાલા ભાઈ મને ખુબ જ દુઃખ થાય છે ભારતમાં હજુ પણ અંધકાર અંધકાર જ છે. અંગ્રેજો તો જતા રહ્ય પણ લિસોટા મુક્ને ગયા એમ આપણે પણ કોઈ હજી સુધી મુક્ત નથી જ થયા, હજુ પણ એ જ જુનવાણી, રુઢીચુસ્તતા છે જ. એટલે જ પ્રભુ યીશુ કહે છે, “મન ફેરવઓ, અને પોતાના પાપોને અંગીકાર કરો અને પ્રાયશ્ચીત કરો, તો પરમેશ્વરનુ રાજ્ય તમારી અંદર જ જાગી ઉઠશે.” નહિ કે મુર્તિઓની પુજા કરી કરીને, કે દ્યાનમાં બેસીને, અથવા કુંડળી જાગ્રુત કરીને. અરે હા મને તમે હજુ સુધી જણાવ્યુ નથી કે ભારતમાં આજે કેટલા લોકોની કૂડલી જાગ્રુત થઈ છે અને શુ કરે છે? જગતનો ઉધ્ધાર કરે છે કે પોતાનુ ઘર ભરે છે? મારા ભઈલા ફક્ત દ્રોપદીના જેમ અંતરના પુકારથી જ પ્રભુ આવે છે નહિ કે ધ્યાનમાં બેસવાથી. બેન્ની હિને કોઈ ધ્યાન નો’તુ કર્યુ, જોયેસ માયરે કોઈ કુંડ્ળી નથી જગાડી, ડો. ડિ.જે. એસ. દિનાકરણે કોઈ કુંડળી નથી જગાડાવી એમણે તો ફકત ગરીબોની, બીમારોની, પરેશાનોની રોઈ રોઈને પ્રાર્થના કરી કરીને જ આજે પરમાત્માને મનુષ્યો પર પ્રગટ કર્યા છે. અને હા મને કોઈએ બળજબરી નથી કરી, કોઈ એ ફસાવ્યો કે ધનની આપ્યુ, કે કોઈ ડિગ્રી કે હોદ્દો આપ્યો, નહિ તો હુ આપની જોડે ચોવીસ કલાક આવી સુંદર આપ લે કર્યા જ કરત. મારી પાસે લેપટોપ ખરીદવા પૈસા નથી, નોકરીએ જવુ પડે છે, બસ એમાં પ્રભુ મને ખુબ જ આનંદ આપે છે, આ મારી પ્રભુ સેવા છે, અને હુ લાલચ કરીશ તો મારો બાપ અને આપની માતા મને દંડ કરશે જે મારી અંદર ચોવિસે કલાક રહે છે, આપની અંદર પણ રહેવા માંગે છે, રહે પણ છે પણ તમે એમને ઓળખો બસ એ જ મારો મુદ્દો છે આઈ. લવ. યુ. બ્રધર………
http://rutmandal.info/parimiti/2008/07/25/vedi/
આ લીંક પર ભારતીય સંસ્કૃતી વીશેના પુરાણા ખ્યાલોથી જુદુ મંતવ્ય વાંચશો.
ભવીષ્ય વીશે અત્યારે તો એક જ લીંક આપું છું : http://sacred-texts.com/hin/db/bk09ch08.htm
બીજા સમય મળ્યે અવકાશે જણાવીશ.
કુંડળી પ્રયત્નપુર્વક જગવો કે એ એની જાતે જાગે, પરીણામ સરખું જ હોય છે. ભક્તી કે પ્રાર્થનામાં રમમાણ થવાથી પણ એ થઈ શકે છે.
2012 જેવી વાહીયાત વાત અહી ક્યાં લાવો છો?
[…] આ પણ પરમેશ્વરના ચાબખા ખોટાધર્માધિકારીઓ માટે http://rajeshpadaya.com/ખોટાધર્માધીકારીઓ/ […]
રાજેશભાઈ, આપના તર્કોમા દમ નથી, ગુઢ જ્ઞાન તો શુ સીધીસાદી વાત આપ સમજી નથી રહ્યા, ઈશ્વર આપને સદબુદ્ધી અર્પે એજ મહેચ્છા, સૌને પોત-પોતાના વીચારો ને ફોલો કરવાનો હક્ક છે, બીજાના વીચારોને છેડ્યા વગર.