માર્ક.૧.૯-૧૩
૯. એ દિવસોમાં પ્રભુ યીશુ ગલીલ નામના નાનકડા શહેરમાંથી નાસરત નામના ગામમાં આવીને, જોર્ડન નદીમાં બાપ્તિસ્મ આપનારા સંત જ્હોન ભવિષ્યવક્તા મારફતે સામર્થ પ્રદાન કરનાર પરમાત્માના પવિત્ર આત્માના બાપતિસ્મા ગ્રહણ કર્યા.
૧૦. અને જ્યારે પ્રભુ ડુબકી લગાવીને પાણીમાંથી નીકળીને ઉપર આવ્યા, ત્યારે તુરંત આકાશ ખુલી ગયુ અને પરમપિતા પરમેશ્વરના પવિત્ર આત્માને કબુતરના જેમ પોતાની ઉપર આવતા જોયો.
૧૧. અને આકાશવાણી થઈ, કે “તુ મારો પ્રિય પુત્ર છે, તારાથી હુ અતિપ્રસન્ન છુ.”
૧૨. ત્યારે આત્માએ તરત જ પ્રભુને જંગલની તરફ મોકલ્યા. (પરીક્ષા માટે)
૧૩. અને જંગલમાં ચાલીસ દિવસ સુધી શૈતાને એમની પરીક્ષા કરી; અને પ્રભુ વન પશુઓ ની સાથે રહ્યા; અને સ્વર્ગદુત એમની સેવા કરતા રહ્યા.
*
આ પ્રસંગ દર્શાવે છે કે પ્રભુ યીશુ મસીહા પોતે જ પરમેશ્વર પરમ્પિતાના પુત્ર હોવા છતાં પણ માનવીય સ્વભાવે માનવીય શરીરે જન્મ લીધો હતો એટલે સામન્ય માનવીય રીતી સ્થાપવા એમણે પોતે પવિત્ર આત્મા પ્રદાન કરનારા બાપતિસ્મા ગ્રહણ કર્યા જેથી સામાન્ય માણસ પણ એનુ અનુકરણ કરી શકે નહિ તો આપણા દેશના જેમજ જગત દરેક લોકો પોતાને પોતાના મન પ્રમાણે અન્ય લોકો સમક્ષ પોતાને પરમેશ્વરના ઠરેલા જ મનાવત.
પણ પ્રભુ યીશુ મસીહાએ એવુ ના કર્યુ અને માનવિય ગુણ પ્રમાણે એમણે દરેકે દરેક મનુષ્ય જેવા દુખ-સુખ, ભુખ-પ્યાસ, ઉંઘ-ઉજાગરા, શાંતિ-અશાંતિ-વ્યાકુળતા વગેરે સહન કર્યા હતા.
એમણે જ્યારે જગત સામે પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ દર્શાવી પોતાના સર્વોપરી ગ્રહણ કર્યા અને તરત જ પરમ્પિતા પરમેશ્વર તરફથી અતિ પરાક્રમી, સામર્થી પવિત્ર આત્મા કબુતર જેવો, કબુતરના જેમ, ઉતરી આવી પોતાના માં સમાઈ જતા જોયો હતો. આ ક્ષણ અતિ રોમાંચકારી હોય છે.
જ્યારે મળસ્કે સાડાત્રણ કે ચાર વાગે પવિત્ર આત્માને મે મારા માથા થી લઈને પિઠ પર હાથ ર્ફેરવતા જ્યારે મેં જોયો હતો ત્યારે મને પણ આખાયે શરીરમાં ઝણ્ઝણાટી થઈ આવી હતી. ઘણી ચીજો, આકાર, આપણે અથવા સામાન્ય મનુષ્યો જોઈ અથવા જાણી નથી શક્તા, એવો જ આ અનુભવ હોય છે. અને પરમેશ્વરનુ રાજ્ય ફક્ત અને ફક્ત આ પવિત્ર આત્મા જ પ્રદાન કરે છે, એનુ ઉદાહરણ બેન્ની હિન, જોયેસ માયેર, ડો. ડી.જે.એસ. દિનાક્રણ અને એમનુ કુટુંબ, અને અન્ય સામાન્ય જનો જે પ્રભુ યીશુમાં પોતાનો વિશ્વાસ કાયમ કરે છે તેઓ પણ એ પવિત્ર આત્મા અને એનુ સામર્થ પોતાના વિશ્વાસ અને સમર્પણતા પ્રમાણે પ્રાપ્ત કરી શકે છે.
અને જ્યારે આ પવિત્ર આત્મા પ્રભુ યીશુ પર આવીને સમાઈ ગયો પછી એ જ પવિત્ર આત્મા પ્રભુ યીશુને માનવીય જીવનથી દુર જંગલ તરફ લઈ ગયો, જ્યાં શૈતાન (સંસારી સ્વભાવ) ની સામે એમની પરીક્ષા થવાની હતી. અને એ શૈતાને પ્રભુ યીશુને પથ્થરને રોટી બનાવી દેવા કહેલુ, અને જગતનો સર્વ વૈભવ પ્રભુ યીશુને આપી દેવા જણાવેલુ પણ પ્રભુએ એની ફગાવી દિધુ હતુ, એ સિવાય પ્રભુ યીશુને કહ્યુ કે ઉંચા કાંગરા ઉપરથી કુદી પડે તો પરમેશ્વર બચાવી લે એવી એવી ઘણી પરીક્ષા કરી જોઈ પણ છેવટે એ હારીને જતો રહ્યો અને તરત જ સ્વર્ગદુતો આવીને પ્રભુ યીશુને સેવા કરવા લાગી ગયા. અને પરમેશ્વરના અતિસામર્થી રાજ્યની વાતો થી એમને તરબતર કરવા લાગ્યા કેમ કે ત્યારે એમની ઉંમર ૩૦ વરસની હતી અને એમનામાં અલ્પ માનવીય સ્વભાવ હતો એને સંપુર્ણ રીતે ઈશ્વરીય સામર્થમાં બદલી દિધો હતો અને ત્યાર પછી પ્રભુ યીશુએ પોતાની સેવકાઈ શરુ કરી, ત્યાં સુધી તેઓ સામાન્ય સુથારીનુ જ કામ કરતા વર્ણવવામાં આવ્યા છે.
*
*
Leave your Valuable Reply and be Blessed.....